પાયલ ગોટી પ્રકરણની PM મોદીને જાણ કરાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી કૌશિક વેકરીયાને છાવરે છે?

 અમરેલીમાં પાયલ ગોટી સાથે લેટરકાંડમાં અત્યાચાર મુદ્દે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. AAP નેતા અને બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિ સતાસીયાએ વડાપ્રધાનને પત્ર લખી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના માનિતા અને શંકાસ્પદ લોકોને છાવરતાં હોવાનો આક્ષેપ કર્યો છે. જેથી તટસ્થ તપાસ થાય  અને ગૃહમંત્રી અને કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટ કરવા  માગ વડાપ્રધાન પાસે કરી છે.

પાયલ ગોટી પ્રકરનો મુદ્દો ફરીએકવાર ઉછળો છે. પાયલ ગોટી પ્રકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિ સતાસીયાએ મોદીને લખી આક્ષેપ કર્યા છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી શંકાસ્પદ લોકોને છાવરી રહ્યા છે. સંઘવીએ વિધાનસભાના બજેટ સત્રમાં કૌશિક વેકરીયાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. જેથી કૌશિક વેકરીયાને છાવરી રહ્યા હોવાના આક્ષેપ થયા છે. હર્ષ સંઘવી કૌશિક વેકરીયાને બચાવવા માંગતા હોવાનો કાંતિ સતાસીયાએ આક્ષેપ કર્યા છે.

અમરેલી એસ.પી. સીટની રચનાનો પણ રિપોર્ટ આવ્યો નથી. FSL રીપોર્ટ જાહેર થયો નથી. અનેક બાબતો હાઇકોર્ટમાં ન્યાય માટે પેડિંગ છે ત્યારે ધારાસભ્યો અને ગૃહમંત્રી ગૃહમાં નિવેદન પાયલ ગોટી મુદ્દે નિવેદનો આપી રહ્યા છે. કાંતિ સતાસીયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પાયલ ગોટી પ્રકરણમાં સંડોવાયેલ હોય તેવી શંકાઓ વ્યક્ત કરી છે. જેથી માંગ કરી છે કે ગૃહમંત્રી અને કૌશિક વેકરીયાનો નાર્કોટેસ્ટ કરવામાં આવે, અને તપાસ કેન્દ્રીય એજન્સી CBIને સોંપવામાં આવે.

કાંતિ સતાસીયાએ વડાપ્રધાનને પત્ર લખી પાયલ ગોટી મુદ્દે રજૂઆત કરતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

પાયલ ગોટીની કરવામાં આવી હતી ધરપકડ 

પાયલ ગોટીનો કેસ   2024માં થયો હતો, જ્યારે એક ખાનગી પત્ર (લેટર) લીક થયો હતો, જેમાં કથિત રીતે અમુક રાજકીય અને સામાજિક વ્યક્તિઓ વચ્ચેના સંબંધો અને વ્યવહારોની વાતો હતી. આ પત્રને લઈને રાજકીય ઉથલપાથલ  મચી ગઈ હતી. આ ઘટનામાં પાયલ ગોટી અને અન્ય એક વ્યક્તિ, મનીષ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે પાયલે આ પત્ર ફેલાવવામાં ભૂમિકા ભજવી હતી, જેનાથી સામાજિક અને રાજકીય અશાંતિ ફેલાઈ.

ત્યાર બાદ પાયલની રાત્રે પોલીસે ધરપકડ કરી હતી.  પાયલમાં પોલીસ મથકમાં માર મારવામાં આવ્યો હતો.  અને તેનું જાહેરમાં “સરઘસ” કાઢવામાં આવ્યું હતુ. પોલીસે આને “રિકન્સ્ટ્રક્શન” (ઘટનાનું પુનર્નિર્માણ) ગણાવ્યું, પરંતુ પાયલે અને પાટીદાર સમાજે તેને અપમાનજનક ગણાવ્યું હતુ.
જાન્યુઆરી 2025માં, પાયલે અમરેલીના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને તાલુકા મામલતદાર સમક્ષ નિવેદન આપ્યું. તેણે જણાવ્યું કે પોલીસે તેને એક રૂમમાં બેસાડી રાખી હતી, અને તેની સામે મનીષ ગોસ્વામીને માર મારવામાં આવતો હતો. આનાથી તેના પર માનસિક દબાણ લાવવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ છે

 

 

આ પણ વાંચોઃ દુષ્કર્મના આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસના જામીન રદ, સ્વામી વિદેશમાં છે ફરાર | Dharmaswarupdas

આ પણ વાંચોઃ Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?

આ પણ વાંચોઃ jharkhand: બે માલગાડીઓ અથડતાં ઉથલી પડી, લાગી આગ

આ પણ વાંચોઃ ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાની બળાત્કારના કેસમાં ધરપકડ, 4 વર્ષ સુધી દુષ્કર્મ, ગર્ભપાત કરાવવા દબાણ કરતો! | Sanoj Mishra

 

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!