
અમરેલીમાં પાયલ ગોટી સાથે લેટરકાંડમાં અત્યાચાર મુદ્દે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. AAP નેતા અને બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિ સતાસીયાએ વડાપ્રધાનને પત્ર લખી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના માનિતા અને શંકાસ્પદ લોકોને છાવરતાં હોવાનો આક્ષેપ કર્યો છે. જેથી તટસ્થ તપાસ થાય અને ગૃહમંત્રી અને કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટ કરવા માગ વડાપ્રધાન પાસે કરી છે.
પાયલ ગોટી પ્રકરનો મુદ્દો ફરીએકવાર ઉછળો છે. પાયલ ગોટી પ્રકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિ સતાસીયાએ મોદીને લખી આક્ષેપ કર્યા છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી શંકાસ્પદ લોકોને છાવરી રહ્યા છે. સંઘવીએ વિધાનસભાના બજેટ સત્રમાં કૌશિક વેકરીયાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. જેથી કૌશિક વેકરીયાને છાવરી રહ્યા હોવાના આક્ષેપ થયા છે. હર્ષ સંઘવી કૌશિક વેકરીયાને બચાવવા માંગતા હોવાનો કાંતિ સતાસીયાએ આક્ષેપ કર્યા છે.
અમરેલી એસ.પી. સીટની રચનાનો પણ રિપોર્ટ આવ્યો નથી. FSL રીપોર્ટ જાહેર થયો નથી. અનેક બાબતો હાઇકોર્ટમાં ન્યાય માટે પેડિંગ છે ત્યારે ધારાસભ્યો અને ગૃહમંત્રી ગૃહમાં નિવેદન પાયલ ગોટી મુદ્દે નિવેદનો આપી રહ્યા છે. કાંતિ સતાસીયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પાયલ ગોટી પ્રકરણમાં સંડોવાયેલ હોય તેવી શંકાઓ વ્યક્ત કરી છે. જેથી માંગ કરી છે કે ગૃહમંત્રી અને કૌશિક વેકરીયાનો નાર્કોટેસ્ટ કરવામાં આવે, અને તપાસ કેન્દ્રીય એજન્સી CBIને સોંપવામાં આવે.
કાંતિ સતાસીયાએ વડાપ્રધાનને પત્ર લખી પાયલ ગોટી મુદ્દે રજૂઆત કરતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
પાયલ ગોટીની કરવામાં આવી હતી ધરપકડ
પાયલ ગોટીનો કેસ 2024માં થયો હતો, જ્યારે એક ખાનગી પત્ર (લેટર) લીક થયો હતો, જેમાં કથિત રીતે અમુક રાજકીય અને સામાજિક વ્યક્તિઓ વચ્ચેના સંબંધો અને વ્યવહારોની વાતો હતી. આ પત્રને લઈને રાજકીય ઉથલપાથલ મચી ગઈ હતી. આ ઘટનામાં પાયલ ગોટી અને અન્ય એક વ્યક્તિ, મનીષ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે પાયલે આ પત્ર ફેલાવવામાં ભૂમિકા ભજવી હતી, જેનાથી સામાજિક અને રાજકીય અશાંતિ ફેલાઈ.
આ પણ વાંચોઃ દુષ્કર્મના આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસના જામીન રદ, સ્વામી વિદેશમાં છે ફરાર | Dharmaswarupdas
આ પણ વાંચોઃ Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?
આ પણ વાંચોઃ jharkhand: બે માલગાડીઓ અથડતાં ઉથલી પડી, લાગી આગ