ભાજપના રાજમાં મદદ કરવા માટે પણ પરવાનગી લેવી પડશે; ફ્રિમાં RTE ફોર્મ ભરતા કેમ્પને બંધ કરાવ્યું

  • ભાજપના રાજમાં મદદ કરવા માટે પણ પરવાનગી લેવી પડશે; ફ્રિમાં RTE ફોર્મ ભરતા કેમ્પને બંધ કરાવ્યું

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓેએ રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ બાળકોના માતા-પિતાને ફ્રિમાં ફોર્મ ભરવા મદદ કરવા માટે કેમ્પ લગાવ્યો હતો. જોકે, આ કાર્યકર્તાઓ પોતાનું કામ કરી શક્યા નહતા. સુરતના અમરોલી વિસ્તારમાં RTEના ફોર્મ ભરવા માટે ખોલવામાં આવેલા કેમ્પને ગણતરીની મીનિટોમાં જ બંધ કરી દેવામાં આવ્યું હતું.

આ કેમ્પ બંધ કેમ કરી દેવામાં આવ્યું, તેના વિશે એએમસી અધિકારીએ એક જ રટ ચાલું રાખી હતી કે તમે પરવાનગી લીધી નથી. હવે મદદ કરવા માટે પણ પરવાનગી લેવાની બોલો? ભાજપના રાજમાં અન્ય પાર્ટીના નેતાઓ મદદ કરવા માટે કેમ્પ પણ લગાવી શકતા નથી. ભાજપ ડરેલી પાર્ટી હોય તેવું દેખાઈ રહ્યું છે. કેમ કે તે દરેક નાની-મોટી વાતોથી ડરેલી હોય તેવું દેખાઈ રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, RTE (Right to Education) હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2025-26 અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી પહેલી જૂન 2025ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે.

શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઈટ ટુ એજુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો ચાલો જાણીએ કે તેના માટે કોણ અરજી કરી શકે છે.

આ ફૉર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટની (Documents required for application of RTE Gujarat) જરૂર હોય છે. જે અંગે તમામ માતા-પિતા જાણતા હોતા નથી. તેથી વાલીઓેને મદદ કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સુરતના અમરોલીમાં એક કેમ્પ શરૂ કર્યું હતું. જેમાં વાલીઓને ફ્રિમાં ફોર્મ ભરી આપવાની કામગીરી કરવામાં આવી રહી હતી.

જો કે, હવે બાળકોના ભવિષ્યને સુનિશ્ચિત કરતી કાર્યવાહી પણ એસએમસી જોઈ શકી નહતી. ફ્રિમાં ફોર્મ ભરી આપવા માટે બનાવેલ કેમ્પના તમામ સામાનને પોતાના ટ્રકમાં આવીને ભરી લેવામાં આવ્યું અને કેમ્પને બંધ કરાવી દીધું હતું. આ દરમિયાન એએમસી અધિકારીએ પરવાનગી ન લીધી હોવાનું રટણ ચાલું કર્યું હતું. તો બીજી તરફ આપ કાર્યકર્તાઓ દ્વારા એસએમસી અધિકારીને બીજેપીનો એજન્ટ ગણાવ્યો હતો.

ગુજરાતમાં સત્તાધારીઓના નેજાહેઠળ અધિકારીઓનો ખુબ જ દુરૂપયોગ થઈ રહ્યો હોવાનું સ્પષ્ટપણ દેખાઈ રહ્યું છે. દેશના નાગરિકને અન્ય નાગરિક મદદ કરે છે પરંતુ તે અન્ય પાર્ટી કે અન્ય રાજકીય વિચારધારા સાથે જોડાયેલો હોય તો તેને પોતાનું યોગ્ય કામ પણ કરવા દેવામાં આવતું નથી, તે શું દર્શાવે છે. આપણે લોકશાહીને ગુમાવી બેસ્યા છીએ. આપણે એક સમરમુખ્યારશાહીમાં આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો- Gujarat Politics: રાહુલ ગાંધીનું ગુજરાતમાં આગમન, વર્ષોથી મડદુ થઈ પડેલી કોંગ્રેસ શું કરવા માગે છે?

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!