
BJP: ગુજરાતમાં મોદી અને અમિત શાહ સામે પડનારા આઇપીએસ અધિકારીઓને પાછળથી ભારે હેરાન કરવામાં આવ્યા હોવાનું વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
સંસદના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકાર પ્રમાણિક પોલીસ અધિકારીઓને હેરાન કર્યા હતા, ગોહિલે IPS અધિકારી સતીશ શર્માનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક પ્રમાણિક અધિકારીને નિવૃત્તિના એક દિવસ પહેલા સેવામાંથી દૂર કરીને હેરાન કરવામાં આવ્યા.
બદલાની રાજનીતિનો આરોપ: તેમણે આક્ષેપ કર્યો કે આ અધિકારીને એટલા માટે પરેશાન કરવામાં આવ્યા કારણ કે તેમણે વર્તમાન ગૃહમંત્રી (અમિત શાહ) ની ધરપકડ કરી હતી ડેપ્યુટેશન અને બઢતી: તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જે અધિકારીઓ હાઈકોર્ટમાં SIT (Special Investigation Team) તરીકે સારું કામ કરે છે, તેમને બઢતી કે મેડલ આપવાને બદલે ગુજરાત બહાર ડેપ્યુટેશન પર કેમ મોકલી દેવામાં આવે છે.
■ આ આઈપીએસ અધિકારીઓ સંસદમાં ચમક્યા હતા.
● રજનીશ રાય
●કુલદીપ શર્મા
●રાહુલ શર્મા
●સંજીવ ભટ્ટ
●સતીષ વર્મા
તેઓના મતે ઉપર મુજબના IPS અધિકારીઓને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ભારે પરેશાન કર્યા હતા, તેમાંથી એન્કાઉન્ટર કેસ અને કોમી રમખાણોમાં ભાજપના નેતા અમિત શાહ અને બીજાઓને ખુલ્લા પાડતાં તેમની સામે કિન્નાખોરી રાખીને નોકરીમાં પરેશાન કરીને રાજીનામાં આપવાની ફરજ પાડી હતી,CAPF બિલ પર ચર્ચા દરમિયાન તેઓએ IPS સાથે થયેલા અન્યાયની વાત કરી હતી, તેમણે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) બિલ, 2026 પરની ચર્ચા દરમિયાન કરી હતી આ સિવાય ગોહિલે મોંઘવારી, LPGની અછત અને MNREGAના બજેટમાં ઘટાડા જેવા મુદ્દે પણ સરકારની ટીકા કરી હતી.
આ મુદે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







