
- PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સંયુક્ત રીતે કર્યું ભારતીય દૂતાવાસનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતના છેલ્લા દિવસે છે. પીએમ મોદી 10 ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સના પેરિસ પહોંચ્યા હતા. બુધવારે, પીએમ મોદીએ ફ્રાન્સના માર્સેલીમાં ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કર્યું. આ વાણજિય દૂતાવાસનું ઉદ્ઘાટન પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
માર્સેલી વિશે શું ખાસ છે?
ભારતે ફ્રાન્સમાં બીજું કોન્સ્યુલેટ ખોલ્યું છે. આ સ્થળ ભારતના ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
#WATCH | PM Narendra Modi and French President Emmanuel Macron jointly inaugurate the Indian consulate in Marseilles pic.twitter.com/8lgOghgP7C
— ANI (@ANI) February 12, 2025
ભૂમધ્ય સમુદ્ર કિનારે તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે માર્સેલી ભારત અને ફ્રાન્સ વચ્ચે વેપાર માટે એક મુખ્ય પ્રવેશદ્વાર છે, અને તે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC)ના પ્રવેશ બિંદુઓમાંનું એક પણ છે. IMEC પ્રોજેક્ટની જાહેરાત નવી દિલ્હીમાં G20 સમિટ 2023 દરમિયાન કરવામાં આવી હતી.
આ પણ વાંચો-Asteroid 2024 YR4: આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે નહીં, ચંદ્ર સાથે અથડાશે! વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી