
PM Modi: એક સમયે મોદીના સૌથી પ્રખર સમર્થકોમાંના એક મધુ કિશ્વરે મોદીના અસલી રાઝ ખોલવાનું શરૂ કર્યું છે મધુ પૂર્ણિમા કિશ્વરે કહ્યું કે જ્યારે ગુજરાતમાં મોદીએ જે જે મોટી મોટી વાતો કરી હતી તે જગ્યાએ રૂબરૂ મુલાકાત લેતા જે કહ્યું હતું તેવું કંઈજ જોવા મળ્યું ન હતું એ સિવાય જ્યારે તેઓ મોદીના વતન વડનગર ગયા ત્યાં પણ મોદીની વાતો વિપરીત માહોલ જોવા મળ્યો ત્યારે તેમને લાગ્યું કે મોદીની ઘણી વાતો ગપગોળા જેવી હતી તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર સામે ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા.
જે રીતે સ્વર્ગસ્થ રામ જેઠમલાણીને પણ છેલ્લા વર્ષોમાં મોદીને મદદ કરી પોતે ભૂલ કરી હોવાનો અફસોસ થયો અને તેઓ કહેતા હતા કે તેમણે અજાણતાં જનતાને “છેતરવામાં” મોદીને મદદ કરી હતી, હવે બસ આજ રીતે મધુ કિશ્વરે પણ મોદીને સમજવામાં ભૂલ કરી મોદીથી પ્રભાવિત થઈ “મોદીનામા” પુસ્તક લખી નાખ્યું હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.
આજે પાર્ટ-3 માં મધુ કિશ્વરે The Gujarat Reportના MD મયુર જાનીને આપેલા EXCLUSIVE ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીના અનેક રાઝ ખોલ્યા હતા અને પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા આ વીડિયો જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








