પોલીસની રાજકીય “જી હુજૂરી”; દિકરીના સરઘસને લઈને ભાજપ-કોંગ્રેસે જ ઉઠાવ્યા અનેક સવાલો

અમરેલી ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાના લેટરકાંડમાં એક મહિલા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવાને લઈને મામલો ગરમાયો છે. આ બાબતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કથારિયાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વેધક પ્રહાર કર્યા છે, તો બીજેપીના નેતા ડો ભરત કાનાબારીએ પણ પોલીસની કામગીરી ઉપર પ્રશ્ન ઉઠાવતી પ્રતિક્રિયા આપી છે. તો જૈની ઠૂમ્મર મહિલા કોંગ્રેસ પ્રમુખે પણ ભાજપની ઝાટકણી કાઢી છે. ઉલ્લેખનિય છે કે, લેટરકાંડ પછી પોલીસે કરેલી કાર્યવાહીમાં એક મોટી ચૂક થઈ ગઈ છે. પોલીસે એક મહિલાનું રિક્ન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે… તો આવો જોણીએ.. ઉપરોક્ત તમામ લિડરોએ શું કહ્યું…

અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધના ડુપ્લીકેટ લેટર કાંડનો મામલો સામે આવ્યો હતો. જેમાં ખુદ ભાજપના નેતા દ્વારા જ ડુપ્લીકેટ લેટર કાંડ થકી કૌશિક વેકરીયાને બદનામ કરવા આ ષડયંત્ર કર્યું હોવાનું સામે આવ્યુ હતું. આ મામલામાં અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા મુખ્ય આરોપી નીકળ્યા હતા. જેથી પોલીસ દ્વારા આ કાંડમાં સામેલ મનીષ વઘાસીયા સહિત અમરેલીના જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા, જીતુ બાવચંદ ખાત્રા અને વિઠલપુરના રહેવાસી કોમ્પ્યુટર ઓપરેટ કરતી પાયલ અશ્વિન ગોટીની પણ ધરપકડ કરવામા આવી હતી.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આ મામલે ગુજરાત સરકાર અને બીજેપી પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, જે રીતે ભારતીય જનતા પાર્ટી બેટી બચાવો બેટી પઢાવોની વાત કરે છે અને એક બાજું કુવારી દિકરી, જેનો કોઈ વાંક નથી, જે પોતાના બોશના કહેવાથી લેટર ટાઈપ કરે, તેને રાત્રે બાર વાગે તેના ઘરેથી ઉપાડે અને બીજા દિવસે તેનો સરઘસ કાઢે, સાહેબ શરમ આવવી જોઈએ આ સરકારને, શું તે બુટલેગર હતી? શું તે દિકરી હિસ્ટ્રીશીટર હતી?

તેમણે વધુમાં કહ્યું કે, જે તમારી પીઆઈની ગાડી ઉલાળી નાંખે તેને પકડી શકતા નથી, મોટા પ્રમાણમાં દારૂ પકડાય છે, આટલી વ્યાજખોરી છે, આટલી લુખ્ખાગીરી છે, તમારી ભાજપની કોર્પોરેટરને આત્મહત્યા કરવી પડે છે, તમારી દિકરી હોદ્દેદારને સુસાઈડ કરવું પડે છે, એની તમે ધરપકડ કરી શકતા નથી, તેના આરોપીઓને પકડી શકતા નથી, તેનો સરઘસ કાઢી શકતા નથી અને એક બિચારી કુવારી દિકરી, તેને પોતાના બોસના કહેવાથી લેટર ટાઈપ કર્યો હોય, ઈ દિકરીની તમે ધરપકડ કરો અને સરઘસ કાઢો.. સાહેબ શરમ આવવી જોઈએ… ઓલો નમાલિયો હોય, માંખી ઉડાવવાની તાકાત નહોય તે બાયડી ઉપર શુરો હોય. ભાજપ સરકાર આ બતાવી રહી છે કે, નમાલી સરકાર દિકરીઓ ઉપર શૂરા થવા જઈ રહી છે.. હું હર્ષ ભાઈ અને ભૂપેન્દ્ર ભાઈને કહું છું કે, તમારી સરકારમાં દિકરીઓનું સરઘસ કાઢવામાં આવે છે, હજું કેટલા દિવસ હોકા ભરવાના છે, કેટલા દિવસ સુધી પાંચ પાંચ કરોડ રૂપિયાના સુટ લેવાના છે, કેટલા દિવસ મોટા મોટા ફંક્શન કરીને સાહેબને બોલાવીને કેટલા દિવસ મોટા કરવા છે… જોગો, કંઇક જૂઓ, સમજો વિચારો..

ઉલ્લેખનિય છે કે, નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધ લખાણ કરી સોશિયલ મીડિયામાં પત્ર વાઈરલ કરાયો હતો. જેમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના બનાવટી લેટરપેડ પર ખોટી સાઈન કરાઈ હતી. આ મામલે પોલીસે યુવા ભાજપના હોદ્દેદારો સહિત 4 લોકોની ધરપકડ કરી તેઓના એક દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા.

આ અંગે ભાજપ નેતા ભરત કાનાબારે જણાવ્યું કે, પોલીસે સમગ્ર ઘટના દરમિયાન દિકરીનો જે રોલ હતો, તે એક ઓફિસના સ્ટાફના ભાગ તરીકે કામ કર્યું છે, તે કોઈ રાજકીય નથી. ગંભીર ગુનો કર્યો હોય તે રીતે દિકરી તરીકે તેને બધાની સાથે જાહેરમાં ફેરવવી એ પોલીસ દ્વારા અતિરેક કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, પોલીસે લેટરકાંડમાં જેવી સક્રિયતા દાખવી છે, તેટલી જ સક્રિયતા દારૂ અને રેતીની ચોરીનું દૂષણ છે, જે પાછલા ત્રણ-ચાર વર્ષમાં ફૂલ્યું-ફાલ્યું છે તેના ઉપર અંકુશ લાવવા નવા એસપી પાસે મારો આગ્રહ છે.

કોંગ્રેસના મહિલા નેતા જૈની બેન ઠૂમ્મરે નકલી લેટરકાંડ અંગે દિકરીના સરઘસ કાઢવાને લઈને પ્રતિક્રિયા આપતા પોલીસ ઉપર આકરા પ્રહાર કર્યા છે. જૈની બેને જણાવ્યું કે, પોલીસે પોતાની પ્રેસ કોન્ફ્રન્સ વખતે પણ દિકરીની ઓળખ છતી કરી તે નિંદનિય છે, તો તેના પછી રિકન્સ્ટ્રક્શન વખતે જાહેરમાં તેનો સરઘસ કાઢવામાં આવ્યો તે તો ખુબ જ ગંભીર બાબત છે. તે ઉપરાંત જૈની બેને પોલીસની કાર્યવાહીનો વિરોધ દર્શાવ્યો હતો.

આ મામલે પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરે સોશિયલ મીડિયા મારફતે રોષ ઠાલવ્યો હતો. ત્યારે પ્રતાપ દુધાતે આ મામલે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલને પણ પત્ર લખ્યો છે અને નરેશ પટેલ અને સમાજના આગેવાનોને દિકરીના સમર્થનમાં આવીને બિન અધિકૃત રીતે દીકરીનું સરઘસ કઢાવનાર અધિકારી સામે કડક તપાસ કરવા માટે સરકાર પાસે માંગણી કરવા જણાવ્યું છે અને આ બાબતે નિવેદન આપવા જણાવ્યું છે. ત્યાકે પ્રતાપ દુધાતે પટેલ સમાજના મોભી નરેશ પટેલને પત્ર પાઠવી સરધાર ધામના ગગજી સુતરીયા, કાનજી ભાલાળા,મથુરભાઈ સવાણીને પત્રની નકલ રવાના કરી છે ત્યારે પ્રતાપ દુધાતના પત્રથી રાજકીય ખળભળાટ મચ્યો છે.

Related Posts

Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?
  • August 8, 2025

Chhota Udepur: છોટાઉદેપુર તાલુકાના સરપંચો ગ્રાન્ટની ફાળવણીમાં અન્યાયનો આક્ષેપ કરી મેદાને આવ્યા છે. તાલુકાના તમામ સરપંચોએ પ્રાયોજના વહીવટદાર સાથે મુલાકાત કરી એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં…

Continue reading
Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ
  • August 8, 2025

Bhavnagar: ભાવનગર જિલ્લામાં તાજેતરના સમયમાં ગુનાખોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં વલ્લભીપુર તાલુકાના કાળા તળાવ ગામે 74 વર્ષીય વૃદ્ધ અરજણભાઈ દિયોરા પર લાકડી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

  • August 8, 2025
  • 3 views
BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

  • August 8, 2025
  • 5 views
Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

  • August 8, 2025
  • 25 views
Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

  • August 8, 2025
  • 14 views
Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ?  વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

Delhi Tubata Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી! સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

  • August 8, 2025
  • 17 views
Delhi Tubata  Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી!  સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ

  • August 8, 2025
  • 15 views
Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ