Punjab: પૂરના પાણીમાં 400 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો ફસાયા, જુઓ સ્થિતિ

  • India
  • August 27, 2025
  • 0 Comments

Punjab heavy rain: પંજાબમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. ગુરદાસપુરના દોરંગલા શહેરમાં સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના 400 વિદ્યાર્થીઓ પૂરના પાણીમાં ફસાયા છે. રાવી નદીનું પાણી કિનારાને ઓળંગીને લગભગ 9 કિલોમીટર દૂર પહોંચી ગયું છે અને આ પાણી ઝડપથી કલાનૌર તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે નજીકના તમામ ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે.

રસ્તામાં દાબુડી જવાહર નવોદય વિદ્યાલય આવેલું છે અને બીજા ઘણા ગામો પણ પાણી પાણી થઈ ગયા છે. જવાહર નવોદય વિદ્યાલયમાં લગભગ પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે.

શાળાના આચર્યએ શું કહ્યું?

આચાર્ય નરેશ કુમારે જણાવ્યું હતુ કે શાળામાં વિવિધ વર્ગોના કુલ 400 વિદ્યાર્થીઓ ફસાયેલા છે જે હોસ્ટેલમાં રહેતા હતા. આ સાથે, શાળાના 40 શિક્ષકો અને સ્ટાફ અને તેઓ પોતે પણ શાળામાં ફસાયેલા છે. વહીવટીતંત્રને મદદ માટે અપીલ કરવામાં આવી છે. એવી અપેક્ષા છે કે વહીવટીતંત્ર ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું શરૂ કરશે.

ભારતીય સેનાએ કર્યું પડકારજનક રેસ્ક્યૂ કામ

પંજાબમાં ભારે પૂરને કારણએ ભારતીય સેનાએ માધોપુર હેડવર્કસ નજીક ફસાયેલા 3 નાગરિકો સહિત 22 CRPF જવાનોને બહાર કાઢ્યા. આજે સવારે 6 વાગ્યે પડકારજનક પરિસ્થિતિઓ છતાં બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા. ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સુરક્ષિત સ્થળે લાવવામાં આવ્યા હતા. જોકે હેલિકોપ્ટર છત પરથી ઉડાન ભરતાં જ ઇમારતનો આગળનો ભાગ તૂટી પડ્યો અને પાણીમાં ગરકાવ થઈ ગયો. આ પછી પણ સેનાએ જર્જરિત ઇમારતની છત પર ફસાયેલા તમામ લોકોને બચાવ્યા.

આ પણ વાંચો:

Gujarat Politics: ગુજરાતમાં તમે નામ નહીં સાંભળ્યા હોય તેવી પાર્ટીઓને 4300 કરોડનું દાન ક્યાંથી મળ્યું?

Meerut: “સૈનિક પર હુમલો ચલાવી નહીં લેવાય” NHAI દ્વારા ટોલ કંપની પર ₹20 લાખનો દંડ

સુરતની BRTS બસમાં પાર્ટીની મંજૂરી કોણે આપી?, ગોવાની પાર્ટીને ટક્કર મારતા જલસા કર્યા

Surat: BRTS બસમાં ડ્રગ્સ બતાવી ઉત્પાત મચાવનાર નશેડી ઝડપાયો, કહ્યું- મને સીટ મળતી ન હતી જેથી મે…

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 6 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 15 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 9 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા