ખેડૂત આંદોલનના સમર્થનમાં પંજાબ બંધ રહ્યુ; 221 ટ્રેનો રદ તો 200 રસ્તાઓ જામ

  • India
  • December 31, 2024
  • 0 Comments

પંજાબમાં ખેડૂતોએ આપેલા બંધના એલાનના લીધે 221 ટ્રેનો રદ કરવામાં આવી અથવા ડાઇવર્ટ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાની આગેવાની હેઠળ આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધ સોમવારે સવારે સાતથી સાંજે ચાર વાગ્યા સુધી હતો. આ દરમિયાન મેડિકલ કેર સહિતની આવશ્યક સેવાઓ જારી રહી હતી.

જુદા-જુદા પાક પર એમએસપીમાં ગેરંટીના કાયદા સહિતની 13 માંગોને લઈને ખેડૂત આંદોલનના સમર્થનમાં સોમવારે પંજાબ બંધ રહ્યુ હતું. પંજાબમાં 200 રસ્તાઓ જામ હતા. જલંધર-દિલ્હી નેશનલ હાઇવે પર ખેડૂતો બેઠેલા હતા. મોહાલી એરપોર્ટનો રસ્તો બ્લોક કરી દેવાયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેપંજાબના મોહાલી જિલ્લામાં લગભગ 600 પોલીસ કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા હતા. પોલીસની સ્થિતિ પર ચાંપતી નજર છે.

આ બંધનું એસજીપીસી સહિત ઘણા ધાર્મિક સંગઠનોએ સમર્થન કર્યુ છે. એક ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે બંધ દરમિયાન ઇમરજન્સી સર્વિસિસ જારી રહી હતી અને લગ્ન માટે જતી કોઈપણ જાનને રોકવામાં આવી ન હતી. પંજાબમાં શિયાળાના લીધે સ્કૂલોમાં આમ પણ રજાઓ છે. પંજાબ યુનિવર્સિટીએ બંધના પગલે પરીક્ષાઓને સોમવારના બદલે મંગળવાર કરાવવાનો નિર્ણય લીધો છે.

આ હડતાળના લીધે રેલ્વેની 15 ટ્રેનમાં વિલંબ થયો હતો. ફિરોઝપુરની ડીઆરએમ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટેશનો પર હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ સતત સક્રિય રાખવામાં આવી હતી. ખેડૂત નેતા જગજિતસિંહ ડલ્લેવાલનું 34 દિવસથી અનશન જારી છે. ખનૌરીમાં ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે તે પોતાનો વિરોધ જારી રાખવા માટે ગાંધીવાદી માર્ગે આંદોલન કરી રહ્યા છે. આ નેતાઓને હટાવવા માટે બળપ્રયોગ કરવાનો છે કે નહીં તે સરકારે નક્કી કરવાનું છે.

Related Posts

Yogi Adityanath Biopic:ફિલ્મ ‘અજય’ને પ્રમાણપત્ર ન આપવા બદલ કોર્ટે CBFCને આપ્યો ઠપકો, કહ્યું- કોઈ આવું ના કહી શકે
  • August 8, 2025

Yogi Adityanath Biopic:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત પુસ્તક “અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી” ફિલ્મ અંગે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાં એક મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન…

Continue reading
Madhya Pradesh: મુસ્લિમ યુવકો ઓળખ છુપાવી રાખડી વેચવા આવ્યા, મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવી કર્યા વાયરલ
  • August 8, 2025

Madhya Pradesh:  મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ધામનોદ શહેરમાં ગુરુવારે એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો જ્યારે બે મુસ્લિમ યુવાનો રાખડી વેચવાના બહાને પોતાની ઓળખ છુપાવીને શહેરમાં ઘૂસ્યા. બંને યુવાનોએ દુકાનમાં બેસીને સિગારેટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yogi Adityanath Biopic:ફિલ્મ ‘અજય’ને પ્રમાણપત્ર ન આપવા બદલ કોર્ટે CBFCને આપ્યો ઠપકો, કહ્યું- કોઈ આવું ના કહી શકે

  • August 8, 2025
  • 1 views
Yogi Adityanath Biopic:ફિલ્મ ‘અજય’ને પ્રમાણપત્ર ન આપવા બદલ કોર્ટે CBFCને આપ્યો ઠપકો, કહ્યું- કોઈ આવું ના કહી શકે

Madhya Pradesh: મુસ્લિમ યુવકો ઓળખ છુપાવી રાખડી વેચવા આવ્યા, મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવી કર્યા વાયરલ

  • August 8, 2025
  • 2 views
Madhya Pradesh: મુસ્લિમ યુવકો ઓળખ છુપાવી રાખડી વેચવા આવ્યા, મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવી કર્યા વાયરલ

BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

  • August 8, 2025
  • 5 views
BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

  • August 8, 2025
  • 5 views
Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

  • August 8, 2025
  • 25 views
Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

  • August 8, 2025
  • 19 views
Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ?  વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો