પૂજારી-ગ્રંથીઓને દર મહિને 18 હજાર રૂપિયા- કેજરીવાલની જાહેરાત પર બીજેપીએ શું કહ્યું?

  • India
  • December 30, 2024
  • 0 Comments

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે વધુ એક સ્કીમ જાહેર કરી છે. વરિષ્ઠો અને મહિલાઓ માટે મોટી યોજનાઓ જાહેર કર્યા બાદ પૂજારીઓ અને ગ્રંથીઓ માટે એક યોજના શરૂ કરી છે. અરવિંદ કેજરીવાલે મંદિરના પૂજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓ માટે પૂજારી અને ગ્રંથી સન્માન યોજના જાહેર કરી છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આજે હું વધુ એક મહત્ત્વની જાહેરાત કરવા જઈ રહ્યો છું. યોજનાનું નામ છે પૂજારી ગ્રંથી સન્માન યોજના. મંદિરોના પૂજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓને સન્માન આપવાની જોગવાઈ હેઠળ દરમહિને રૂ. 18000 સહાયપેટે આપવામાં આવશે. દેશમાં પ્રથમ વખત પૂજારી વર્ગ માટે નાણાકીય સહાય આપતી યોજના જાહેર થઈ છે. પેઢી દર પેઢી કર્મકાંડ કરતાં પૂજારીઓ અને તેમના પરિવાર પ્રત્યે આપણે ક્યારેય ધ્યાન આપ્યું નથી.
ક્યારે શરૂ થશે રજિસ્ટ્રેશન

કેજરીવાલે જણાવ્યું કે, આ યોજના માટે આવતીકાલે 31 ડિસેમ્બરથી રજિસ્ટ્રેશન શરૂ થશે. કનોટ પ્લેસના હનુમાન મંદિરના પૂજારીઓના રજિસ્ટ્રેશન કરાવી આ યોજનાનો શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ દિલ્હીના તમામ મંદિરો અને ગુરૂદ્વારાઓમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે.

આ યોજનાની જાહેરાત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અગાઉ પણ મહિલા સન્માન સ્કીમની જાહેરાત બાદ તેના રજિસ્ટ્રેશન અટકાવવાનો પ્રયાસ ભાજપના કાર્યકરોએ કર્યો છે. મારી અપીલ છે કે, હવે તમે પૂજારીઓ અને ગ્રંથીઓની આ યોજના અટકાવવાનો પ્રયાસ કરશો નહીં, નહિ તો પાપ લાગશે. પૂજારીઓ અને ગ્રંથીઓ તરફથી બદદુઆ મળશે.

આ યોજનાની જાહેરાત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અગાઉ પણ મહિલા સન્માન સ્કીમની જાહેરાત બાદ તેના રજિસ્ટ્રેશન અટકાવવાનો પ્રયાસ ભાજપના કાર્યકરોએ કર્યો છે. મારી અપીલ છે કે, હવે તમે પૂજારીઓ અને ગ્રંથીઓની આ યોજના અટકાવવાનો પ્રયાસ કરશો નહીં, નહિ તો પાપ લાગશે. પૂજારીઓ અને ગ્રંથીઓ તરફથી બદદુઆ મળશે.

મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના અમલી

દિલ્હીમાં ચૂંટણી પહેલાં કેજરીવાલે મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના જાહેર કરી હતી. જે હેઠળ દિલ્હીમાં 18 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓને રૂ. 1000 પ્રતિ માસ મળશે. જો 2025માં આપ સરકાર ફરી સત્તા પર આવી તો આ રકમ વધારી રૂ. 2100 પ્રતિ માસ કરવાનું વચન પણ આપ્યું છે. તદુપરાંત સંજીવની યોજના હેઠળ સરકાર 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોની સારવાર ખર્ચનુ વહન કરશે.

દિલ્હીમાં ચૂંટણી પહેલાં કેજરીવાલે મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના જાહેર કરી હતી. જે હેઠળ દિલ્હીમાં 18 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓને રૂ. 1000 પ્રતિ માસ મળશે. જો 2025માં આપ સરકાર ફરી સત્તા પર આવી તો આ રકમ વધારી રૂ. 2100 પ્રતિ માસ કરવાનું વચન પણ આપ્યું છે. તદુપરાંત સંજીવની યોજના હેઠળ સરકાર 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોની સારવાર ખર્ચનુ વહન કરશે.

બીજેપીની પ્રતિક્રિયા

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ‘પુજારી ગ્રંથી સન્માન યોજના’ પર પ્રતિક્રિયા આપી છે.

સચદેવાએ કહ્યું, “છેલ્લા બે વર્ષથી ભારતીય જનતા પાર્ટી દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર મંદિરના પૂજારીઓ અને પૂજારીઓને પગાર મળે તે સુનિશ્ચિત કરવા માટે સતત દબાણ કરી રહી હતી. અમે આ માટે વિરોધ પણ કર્યો હતો.”

બીજેપી નેતા પ્રેમ શુક્લાએ કહ્યું છે કે જો દિલ્હી સરકાર અત્યાર સુધી મૌલવીઓને પૈસા આપતી હતી તો ચૂંટણી સમયે પૂજારીઓની યાદ કેમ આવી? અરવિંદ કેજરીવાલના જણાવ્યા અનુસાર, દિલ્હીના મંદિરો અને ગુરુદ્વારાઓમાં સેવા આપતા પૂજારીઓ અને ગ્રંથીઓને આ યોજના હેઠળ 18 હજાર રૂપિયા માસિક પગાર આપવામાં આવશે.

બીજી તરફ દિલ્હીની મસ્જિદોના ઈમામો પગારને લઈને કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ સાજિદ રશીદીએ કહ્યું કે દિલ્હી સરકારે છેલ્લા 17 મહિનાથી ઈમામોને પગાર ચૂકવ્યો નથી.

Related Posts

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ
  • August 11, 2026

Digital Addiction: આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માત્ર વાતચીત અને મનોરંજનનું સાધન રહ્યું નથી, પરંતુ તે બાળકો અને કિશોરોના સ્વભાવ, વિચારસરણી અને વર્તનને અસર કરતું શક્તિશાળી માધ્યમ બની ગયું છે.…

Continue reading
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા
  • August 11, 2026

NCAP Air Pollution: દેશમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 3 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 4 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 5 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 4 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

  • August 11, 2026
  • 8 views
Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

  • August 11, 2026
  • 11 views
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો