પૂજારી-ગ્રંથીઓને દર મહિને 18 હજાર રૂપિયા- કેજરીવાલની જાહેરાત પર બીજેપીએ શું કહ્યું?

  • India
  • December 30, 2024
  • 0 Comments

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે વધુ એક સ્કીમ જાહેર કરી છે. વરિષ્ઠો અને મહિલાઓ માટે મોટી યોજનાઓ જાહેર કર્યા બાદ પૂજારીઓ અને ગ્રંથીઓ માટે એક યોજના શરૂ કરી છે. અરવિંદ કેજરીવાલે મંદિરના પૂજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓ માટે પૂજારી અને ગ્રંથી સન્માન યોજના જાહેર કરી છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આજે હું વધુ એક મહત્ત્વની જાહેરાત કરવા જઈ રહ્યો છું. યોજનાનું નામ છે પૂજારી ગ્રંથી સન્માન યોજના. મંદિરોના પૂજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓને સન્માન આપવાની જોગવાઈ હેઠળ દરમહિને રૂ. 18000 સહાયપેટે આપવામાં આવશે. દેશમાં પ્રથમ વખત પૂજારી વર્ગ માટે નાણાકીય સહાય આપતી યોજના જાહેર થઈ છે. પેઢી દર પેઢી કર્મકાંડ કરતાં પૂજારીઓ અને તેમના પરિવાર પ્રત્યે આપણે ક્યારેય ધ્યાન આપ્યું નથી.
ક્યારે શરૂ થશે રજિસ્ટ્રેશન

કેજરીવાલે જણાવ્યું કે, આ યોજના માટે આવતીકાલે 31 ડિસેમ્બરથી રજિસ્ટ્રેશન શરૂ થશે. કનોટ પ્લેસના હનુમાન મંદિરના પૂજારીઓના રજિસ્ટ્રેશન કરાવી આ યોજનાનો શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ દિલ્હીના તમામ મંદિરો અને ગુરૂદ્વારાઓમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે.

આ યોજનાની જાહેરાત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અગાઉ પણ મહિલા સન્માન સ્કીમની જાહેરાત બાદ તેના રજિસ્ટ્રેશન અટકાવવાનો પ્રયાસ ભાજપના કાર્યકરોએ કર્યો છે. મારી અપીલ છે કે, હવે તમે પૂજારીઓ અને ગ્રંથીઓની આ યોજના અટકાવવાનો પ્રયાસ કરશો નહીં, નહિ તો પાપ લાગશે. પૂજારીઓ અને ગ્રંથીઓ તરફથી બદદુઆ મળશે.

આ યોજનાની જાહેરાત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અગાઉ પણ મહિલા સન્માન સ્કીમની જાહેરાત બાદ તેના રજિસ્ટ્રેશન અટકાવવાનો પ્રયાસ ભાજપના કાર્યકરોએ કર્યો છે. મારી અપીલ છે કે, હવે તમે પૂજારીઓ અને ગ્રંથીઓની આ યોજના અટકાવવાનો પ્રયાસ કરશો નહીં, નહિ તો પાપ લાગશે. પૂજારીઓ અને ગ્રંથીઓ તરફથી બદદુઆ મળશે.

મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના અમલી

દિલ્હીમાં ચૂંટણી પહેલાં કેજરીવાલે મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના જાહેર કરી હતી. જે હેઠળ દિલ્હીમાં 18 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓને રૂ. 1000 પ્રતિ માસ મળશે. જો 2025માં આપ સરકાર ફરી સત્તા પર આવી તો આ રકમ વધારી રૂ. 2100 પ્રતિ માસ કરવાનું વચન પણ આપ્યું છે. તદુપરાંત સંજીવની યોજના હેઠળ સરકાર 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોની સારવાર ખર્ચનુ વહન કરશે.

દિલ્હીમાં ચૂંટણી પહેલાં કેજરીવાલે મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના જાહેર કરી હતી. જે હેઠળ દિલ્હીમાં 18 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓને રૂ. 1000 પ્રતિ માસ મળશે. જો 2025માં આપ સરકાર ફરી સત્તા પર આવી તો આ રકમ વધારી રૂ. 2100 પ્રતિ માસ કરવાનું વચન પણ આપ્યું છે. તદુપરાંત સંજીવની યોજના હેઠળ સરકાર 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોની સારવાર ખર્ચનુ વહન કરશે.

બીજેપીની પ્રતિક્રિયા

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ‘પુજારી ગ્રંથી સન્માન યોજના’ પર પ્રતિક્રિયા આપી છે.

સચદેવાએ કહ્યું, “છેલ્લા બે વર્ષથી ભારતીય જનતા પાર્ટી દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર મંદિરના પૂજારીઓ અને પૂજારીઓને પગાર મળે તે સુનિશ્ચિત કરવા માટે સતત દબાણ કરી રહી હતી. અમે આ માટે વિરોધ પણ કર્યો હતો.”

બીજેપી નેતા પ્રેમ શુક્લાએ કહ્યું છે કે જો દિલ્હી સરકાર અત્યાર સુધી મૌલવીઓને પૈસા આપતી હતી તો ચૂંટણી સમયે પૂજારીઓની યાદ કેમ આવી? અરવિંદ કેજરીવાલના જણાવ્યા અનુસાર, દિલ્હીના મંદિરો અને ગુરુદ્વારાઓમાં સેવા આપતા પૂજારીઓ અને ગ્રંથીઓને આ યોજના હેઠળ 18 હજાર રૂપિયા માસિક પગાર આપવામાં આવશે.

બીજી તરફ દિલ્હીની મસ્જિદોના ઈમામો પગારને લઈને કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ સાજિદ રશીદીએ કહ્યું કે દિલ્હી સરકારે છેલ્લા 17 મહિનાથી ઈમામોને પગાર ચૂકવ્યો નથી.

Related Posts

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન
  • May 9, 2026

Congress Attack On Pm Modi: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં શનિવારનો દિવસ એક નવી ગાથા લઈને આવ્યો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા…

Continue reading
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના
  • May 9, 2026

Arvind Kejriwal: બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભાવશાળી પ્રદર્શન બાદ હવે પક્ષની નજર પંજાબ પર ટકી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ હવે પંજાબમાં પોતાની પૂરી તાકાત લગાવવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો

  • May 10, 2026
  • 2 views
Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો

Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

  • May 10, 2026
  • 4 views
Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

  • May 10, 2026
  • 8 views
Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 16 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!