પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર આપ્યું મોટું નિવેદન

  • India
  • December 30, 2024
  • 0 Comments

બિહારની રાજધાની પટનામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા BPSC ઉમેદવારોના વિરોધમાં હવે રાજકારણ શરુ થઈ ગયું છે. જેમાં અલગ અલગ પાર્ટીઓના નેતાઓ એકબીજા પર સતત આરોપ લગાવી રહ્યા છે. હાલ બિહારમાં આ મુદ્દે ભારે રાજનીતિ ચાલી રહી છે. જાણો કેવી રીતે વિદ્યાર્થીઓનું આ આંદોલન બિહારમાં રાજકીય લડાઈનું કેન્દ્ર બની રહ્યું છે.

જન સૂરજના નેતા પ્રશાંત કિશોરે રવિવારે પટનાના ગાંધી મેદાનમાં વિદ્યાર્થી સંસદ બોલાવી હતી. આ પછી મોડી સાંજે પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. હવે આ અંગે પ્રશાંત કિશોરે મોટું નિવેદન આપ્યું છે. તેઓ આજે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. પીકેએ કહ્યું કે, ‘નીતીશ કુમારની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. તેઓ વધુ એક વર્ષ માટે મુખ્યમંત્રી તરીકે કામ કરશે. પોલીસને આડકરતી ધમકી આપતા કહ્યું કે જે પોલીસ અધિકારીઓને હીરો બનવાનો શોખ છે, તેમણે સમજી લેવું જોઈએ કે એક વર્ષમાં સિસ્ટમ બદલાઈ જશે.’

‘લાઠીચાર્જ વખતે તમે કેમ ન આવ્યા?’

જ્યારે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે તેમને ભાજપની બી ટીમ ગણાવ્યા તો પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘બાળકોના મુદ્દે રાજનીતિ ન કરો. લાઠીચાર્જમાં ઘાયલ થયેલા ઉમેદવારોને મળવા હોસ્પિટલ કેમ ન ગયા? લાઠીચાર્જ વખતે તમે કેમ ન આવ્યા?’

પ્રશાંત કિશોર સિટી એસપી વિરુદ્ધ NHRCનો સંપર્ક કરશે

બીજી તરફ જન સૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોરે સ્પષ્ટ કહ્યું કે, ‘જ્યાં સુધી પુનઃ પરીક્ષાની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓનું આંદોલન બંધ નહીં થાય.’ મોટો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, ‘પુનઃપરીક્ષા એટલા માટે નથી થઈ રહી કારણ કે હજારો કરોડની ડીલ થઈ છે. અડધાથી વધુ પોસ્ટ વેચાઈ ગઈ છે. હું વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જને લઈને સિટી એસપી વિરુદ્ધ NHRC કોર્ટમાં જઈશ.’

પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘ત્રીજી વખત BPAC ઉમેદવારો પર લાઠીચાર્જ કેમ કરવામાં આવે છે, સીએમ નીતિશ કુમારને સવાલ પૂછો. તે દિલ્હીમાં બેઠા છે અને કંઈ બોલતા નથી અને બિહારના ચાર નિવૃત્ત અધિકારીઓ સરકાર ચલાવી રહ્યા છે.’

Related Posts

IVF Scam India: ભારતમાં ઝડપથી વધી રહેલા IVF ઉદ્યોગની કાળી હકીકત, ડીએનએ વિવાદ, ભ્રૂણ અદલાબદલી અને બિનલાયસન્સ ક્લિનિક્સ
  • June 27, 2026

IVF Scam India: ભારતમાં આઈવીએફ (IVF) ઉદ્યોગ અત્યારે એક એવા વળાંક પર છે જ્યાં આશા અને છેતરપિંડી વચ્ચેની રેખા ધૂંધળી થઈ ગઈ છે. ગુરુગ્રામના રહેવાસી રાહુલ અને મીનુ રાઠોડના કિસ્સાએ…

Continue reading
Crude Oil Price Analysis: તેલના ભાવ ઘટ્યા છતાં ભારતીયો કેમ મોંઘા પેટ્રોલ-ડીઝલના માર નીચે?
  • June 27, 2026

Crude Oil Price Analysis: ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવના સમયગાળા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ફરી એકવાર યુદ્ધ પૂર્વેના સ્તરે આવી ગયા છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત ૭૨.૪૮ ડોલર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IVF Scam India: ભારતમાં ઝડપથી વધી રહેલા IVF ઉદ્યોગની કાળી હકીકત, ડીએનએ વિવાદ, ભ્રૂણ અદલાબદલી અને બિનલાયસન્સ ક્લિનિક્સ

  • June 27, 2026
  • 2 views
IVF Scam India: ભારતમાં ઝડપથી વધી રહેલા IVF ઉદ્યોગની કાળી હકીકત, ડીએનએ વિવાદ, ભ્રૂણ અદલાબદલી અને બિનલાયસન્સ ક્લિનિક્સ

Crude Oil Price Analysis: તેલના ભાવ ઘટ્યા છતાં ભારતીયો કેમ મોંઘા પેટ્રોલ-ડીઝલના માર નીચે?

  • June 27, 2026
  • 4 views
Crude Oil Price Analysis: તેલના ભાવ ઘટ્યા છતાં ભારતીયો કેમ મોંઘા પેટ્રોલ-ડીઝલના માર નીચે?

Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ

  • June 27, 2026
  • 10 views
Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ

Gir Illegal Resorts in Forest: ગીરમાં દેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન

  • June 27, 2026
  • 12 views
Gir Illegal Resorts in Forest: ગીરમાં દેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 4 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 8 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?