
Rajkot Anganwadi-School Controversy: રાજકોટની વધુ એક સ્કૂલ આવી વિવાદમાં આવી છે. સરકારી સ્કૂલના પ્રાંગણમાં જ આવેલી આંગણવાડીમાં ભણતા બાળકને સ્કૂલના આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે.
રાજકોટની શ્રી શિવ શક્તિ શાળા નંબર 92 વિવાદમાં આવી છે. માત્ર ફૂલ તોડવા જેવી નજીવી બાબતે સ્કૂલના જ આચાર્ય દ્વારા માર માર્યો હોવાની ફરિયાદ કરવમાં આવી છે. આંગણવાડીમાં ભણતાં બાળકને તાવ આવી જતાં વાલી દ્વારા સ્કૂલમાં રજૂઆત કરવામાં આવી છે. આંગણવાડીમાં 3થી 5 વર્ષના બાળકો ભણે છે. શાળાના આચાર્ય ધર્મિષ્ઠાબેન જગોડીયાએ તમામ આક્ષેપોને નકાર્યા છે.
આંગણવાડી કાર્યકરે શું કર્યા આક્ષેપ?
આંગવણવાડી કાર્યકર રાઠોડ સ્મિતાએ આક્ષેપ કર્યા છે બાળકને આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો છે. ફૂલ તોડવા જેવી નજીવી બાબતે માર મારતાં તે જમ્યું પણ નથી. વધુમાં આચાર્ય પર આક્ષેપ કરતાં કહ્યું કે અમને આંગણવાડીનો રુમ ખાલી કરી આપો. અમારે ક્લાસ ઘટે છે.
આંગણવાડી અને સ્કૂલના વોશરુમ એક જ
સ્કૂલ અને આંગણવાડીના ટોઈલેટ, બાથરુમ એક જ હોવાથી પણ ઘણીવાર વિવાદ થાય છે. આ મામલે આચાર્યએ કહ્યું કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે.
ઝોનલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા રોહિત રાજપૂતએ શું કહ્યું?
આ પણ વાંચોઃ Rajkot: ભુણાવા ગામ પાસે ગેસના બોટલ ભરેલી ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત