
Rajkot Crime: ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યા છે. અપરાધીઓ બેલગામ બની રહ્યા છે. ગુજરાતમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ખાસ કરીને રાજકોટ જીલ્લલામાં ગુજરાત સરકાર ન હોય તેવા હાલ સર્જાયા છે. રાજકોટમાં અનેક હત્યા-આપઘાત હત્યાના સીલસીલા ચાલું છે. ત્યારે આ જ જીલ્લામાંથી એક 52 નર્સને છરીના ઘા મારી રહેંસી નાખવામાં આવી છે. હાલ પોલીસે નર્સની હત્યા કરનાર પાડોશ કાનજી વાંજાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક મહિલા મૂળ અમદાવાદના વતની
મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં ઋષિકેશ સોસાયટીમાં રહેતી 52 વર્ષીય ચૌલાબેન પટેલની તેમના પાડોશમાં રહેતા કાનજી વાંજા(ઉ.વ.34) નામના ઈસમે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. નોંધનીય છે કે, મૃતક મહિલા મૂળ અમદાવાદની રહેવાસી હતી. અને હાલ રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી.
આરોપીની ધરપકડ
જાણવા મળી રહ્યું છે કે મૃતક ચૌલાબેન પટેલના ઘરે આરોપીએ આવી બળજબરી કરી હતી. જેનો પ્રતિકાર કરતાં આરોપી કાનજીએ નર્સને છરીના ઘા મારી દીધા હતા. જેમાં તેમનું મોત થઈ ગયું. આ બનાવ અંગે મહિલાના પરિવારજનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
અમદાવાદ સિવિલમાંથી રાજકોટ બદલી થઈ હતી
મૂળ અમદાવાદના વતની ચૌલાબેન ઋષિકેશ સોસાયટીમાં તેમના ઘરની પાછળ જ રહેતા શખસે હત્યા કરી નાખી હતી. આ મહિલા અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા અને ચારેક માસથી તેમની રાજકોટ બદલી થઈ હતી. જાણવા મળી રહ્યું છે કે નર્સ ભાડાના મકાનમાં રહેતી હતી.
નર્સની હત્યાનો અમદાવાદમાં વિવાદ
રાજકોટમાં નર્સની હત્યાના પડઘાં અમદાવાદમાં પડ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સોએ વિરોધ નોધાવ્યો છે. મોટી સંખ્યામાં મહિલા નર્સ વિરોધ પ્રદર્શનમાં જોડાઈને આરોપીને કડક સજા કરવાની માગ કરી છે.
રાજકોટ જીલ્લામાં અપરાધિક ઘટનાઓમાં વધારો!
રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટની હત્યા અને અમિત ખૂંટના આપઘાત બાદ ચકચાર મચી ગઈ છે. અહીં રાજકોટ જીલ્લામાં હત્યાઓનો સીલસીલો યથાવત રહ્યો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર ડબલ ખૂનના આરોપ છે. તેમના પુત્ર ગણેશ પર ખૂનના આરોપ છે. આ પહેલા પણ તેણે દલિત સાથે મારપીટ કર્યાના આરોપ છે.
આ પણ વાંચોઃ
Punjab woman death: પાકિસ્તાની ડ્રોન હુમલામાં ઘાયલ થયેલી મહિલાનું મોત, પિતા-પુત્રની હાલત કેવી?
ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor
Amreli Madrasa Demolition: પાકિસ્તાન કનેક્શનના આરોપમાં ઝડપાયેલા મૌલાનાની મદરેસા તોડી પડાઈ
ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor
ભારતના દરિયામાં ચોમાસું પ્રવેશ્યું, ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? | Monsoon
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
