
Rajkot: આજે સવારે રાજકોટ જીલ્લાના ગોંડલમાં સહજાનંદ નગર વિસ્તારમાં સમારકામ દરમિયાન બે માળનું મકાન ધારાશાયી થઈ ગયું છે. એકાએક જમીનદોસ્ત થયેલા મકાનના કામટમાળ નીચે ત્રણ લોકો દટાયા હોવાની માહિતી છે. જેમાં 1 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
1 વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાઈ, બે હજુ દટાયેલા
જેસીબી મશીનથી કાટમાળ હટાવી દટાયેલી એક વ્યક્તિઓને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાઈ છે. જ્યારે હજુ બે લોકો દટાયેલા છે. સુનિલભાઈ વરધાણી અને તેમના પત્ની ઉષાબેન વરધાણી કટમાંળમાં દબાયેલા છે. તેમના માતા મિતાબેન વરધાણીને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટના બનતાં લોકોના ટોળેટાળા ઘટનાસ્થળે પહોંચ્યા છે. બીજી તરફ આ દુર્ઘટના બનતાં વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચોઃ Delhi New CM: બે વખત વિધાનસભા ચૂંટણી હારી જનાર રેખા ગુપ્તા આખરે દિલ્હીના CM પદના લેશે શપથ