
Ropeway service closed in Pavagadh: ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોપ વે સેવા થોડા સમય માટે બંધ રહેશે. પંચમહાલ જીલ્લામાં આવેલા પાવાગઢમાં રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરાઈ છે. જેથી યાત્રિકોને પગપાળા મહાકાળી માતાજીના દર્શન કરવા પડશે.
આગામી 13 દિવસ સુધી રોપ વે બંધ રહેશે. 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. 2 માર્ચથી રાબેતા મુજબ રોપવે કાર્યરત કરવામાં આવશે. પાવાગઢ ખાતે રોપ વેનું પિરિયોડિક મેઇન્ટન્સ કરવાનું હોવાથી રોપ વે બંધ રાખવામાં આવશે.
પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખુબ જ છે. ઘણાં લોકો અહીં ચાલતાં પગપાળા પણ આવે છે. વૃધ્ધ તેમજ ચાલી ન શકે તેવા લોકો રોપ-વેથી મહાકાળી માતાજીના દર્શને જાય છે.
પંચમહાલના હાલોલ નજીક આવેલ યાત્રાધામ પાવાગઢ 51 શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ છે. માતાજીના દર્શન કરવા પાવાગઢ પહોંચ્યા બાદ માચી સુધી જવુ પડે છે, ત્યારબાદ માચીથી રોપ-વે મારફતે તેમજ દાદર ચઢીને મંદિર સુધી જવાય છે.
આ પણ વાંચોઃ Gujarat: અંબાલાલની મોટી આગાહી: શું હજુ પણ ઠંડી રહેશે? માછીમારોને દરિયો ન ખેડવા સૂચના! વાંચો