
Mahakumbh: હવે ધાર્મિક મેળાવડામાં, યાત્રાધામોમાં અને પવિત્ર સ્થળોની મુલાકાત લેવા જતા લોકોના મોતની ઘટનાઓમાં ભાગદોડ(Stampede) થવી અને લોકોના જીવ ગુમાવવા એ એક સામાન્ય બની ગયું છે. મહાકુંભમાં થયેલી ભાગદોડ અને તેના કારણે થયેલા મૃત્યુ ફરી એકવાર સમાચારોમાં મુખ્ય સમાચાર બન્યા છે. નેતાઓ આંસુ વહાવી રહ્યા છે, કદાચ જરૂર પડશે તો એક દિવસ વધુ આંસુ વહાવશે. એ તો ફક્ત મગરના આંસુ સારે છે, જો વહે તો વહેવા દો, એમાં શું ગુમાવે છે? પણ પ્રશ્ન એ છે કે આવું રોજ કેમ થઈ રહ્યું છે?, નેતાઓ પોતાની જવાબદારીઓ ક્યારે સ્વીકારશે?, સાથે જ આપણે પણ આત્મનિરીક્ષણ કરવાની જરુર છે. જો તમારામાં આત્મનિરીક્ષણ કરવાની હિંમત હોય તો જ અમારી સાથે જોડાઓ. કારણ કે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આપણે કેવી રીતે BRAIN DEAD SOCIETY બની ગયા છીએ!, જુઓ વિડિયોમાં ચર્ચા.