Sabarkantha: અવિરત વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી, મગફળીના પાકને નુકસાનની ભીતી

Sabarkantha: રાજ્યમાં ચોમાસાના પહેલા વરસાદમા જ મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ બારેમેઘ ખાંગા થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે સાબરકાંઠા જીલ્લામાં અવિરત વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને મોટાભાગે મગફળીના પાકને નુકસાન ની ભીતી સેવાઈ છે પાકમાં ફુગજન્ય રોગ પણ જોવા મળ્યો છે.

ભારે વરસાદને પગલે ખેડૂતોને પડતા પર પાટુ

મળતી માહિતી મુજબ સાબરકાંઠા જીલ્લામાં આ વખતે તમામ તલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેને લઈને ખેડુતોને ભારે નુકશાન થઈ રહ્યુ છે એક તો વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા હતા તો અનેક એવા ખેતરો છે કો જેનું ધોવાણ થયું હતું જેના કારણે બીયારણ સહિત પાકને પણ ભારે નુકશાન થયુ છે. અમુક ખેતરો તો એવા છે કે જેમાં વરસાદી પાણી ભરાયા છે તે હજુ સુધી નિકળ્યા જ નથી અને મગફળીના છોડ બગડવા લાગ્યા છે તો આ ઉપરાંત છોડમાં ફુગજન્ય રોગ પણ જોવા મળ્યા છે એક તો રોગ અને ખેતરમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેને લઈ ખેડુતોને પડતા પર પાટુ સમાન પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.

વરસાદી પાણી ભરાવાથી ખેડૂતોને નુકસાન 

નોંધનીય છે કે, સાબરકાંઠા જીલ્લામાં અત્યાર સુઘી 57 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે જેના કારણે કેટલાક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જ્યારે પાણી ઉતરે ત્યારે કોઈ દવાનો છંટકાવ કરાય તેવુ છે પરંતુ પાણી ઉતરતા જ નથી અને વરસાદ આવી જાય છે જેનો લઈને ખેડુતોના પાકને નુકસાન થઈ રહ્યુ છે તો ખેતી વિભાગ દ્રારા પણ પાક નુકસાન માટે ખેડુતોના અભિપ્રાય લેવાનું શરૂ કર્યુ છે જે નિરિક્ષણ બાદ કામગીરી હાથ ધરાશે તો સતત પાણી ભરાવાને લઈ ફુગનો ઉપદ્રવ થયો છે તેમાં પણ યોગ્ય દવાઓનો છંટકાવ કરવામાં આવે તો ફુગ નિયંત્રણ થઈ શકે તેમ છે પરંતુ હાલ પ્રશ્નએ ઉભો થયો છે કે ખેતરમાં પાણી માંડ ઉતરે છે અને વરસાદ વરસી પડે છે અને ખેતરો ભરાઈ જાય છે. હજુ તો જીલ્લામાં અડધુ જ વાવેતર થયું છે અને બીજુ વાવેતર ખેડુતોને કરવું છે પરંતુ સતત વરસાદી માહોલને લઈ ખેડુતો વાવેતર પણ કરી શકતા નથી.

હજુ પણ ભારે વરસાદની આગાહી 

વરસાદ બંધ ન થતા ખેડુતોને ભારે નુકશાનની ભીતી સેવાઈ રહી છે. વરસાદને પગલે ખેતરમાં પાણી ભરાઈ જાય છે અને ખેડૂતોને બીજુ વાવેતર કરવુ છે પરંતુ ખેતરમાં ટ્રેક્ટર પણ જઈ શકતા નથી એટલો હાલ તો ખેડુત બધી બાજુથી ઘેરાયો છે અને હજુ તો હવામાન વિભાગ ભારે વરસાદની આગાહી કરી છે.

અહેવાલ : ઉમંગ રાવલ

આ પણ વાંચો: 
 
 
 
 
 
 
 

Related Posts

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
  • October 29, 2025

Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

Continue reading
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
  • October 29, 2025

Accident: સુરતના 7 યુવાનોને મહારાષ્ટ્રના શિરડીથી દર્શન કરી પરત આવતી વખતે અકસ્માત નડ્યો છે.ફોર્ચ્યુનરમાં સવાર 7 મિત્રોમાંથી 3 ના મોત થઈ ગયા હતા. જ્યારે અન્યોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 6 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 15 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 11 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 17 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 13 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 21 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા