Sabarkantha: અવિરત વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી, મગફળીના પાકને નુકસાનની ભીતી

Sabarkantha: રાજ્યમાં ચોમાસાના પહેલા વરસાદમા જ મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ બારેમેઘ ખાંગા થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા ત્યારે સાબરકાંઠા જીલ્લામાં અવિરત વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને મોટાભાગે મગફળીના પાકને નુકસાન ની ભીતી સેવાઈ છે પાકમાં ફુગજન્ય રોગ પણ જોવા મળ્યો છે.

ભારે વરસાદને પગલે ખેડૂતોને પડતા પર પાટુ

મળતી માહિતી મુજબ સાબરકાંઠા જીલ્લામાં આ વખતે તમામ તલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેને લઈને ખેડુતોને ભારે નુકશાન થઈ રહ્યુ છે એક તો વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા હતા તો અનેક એવા ખેતરો છે કો જેનું ધોવાણ થયું હતું જેના કારણે બીયારણ સહિત પાકને પણ ભારે નુકશાન થયુ છે. અમુક ખેતરો તો એવા છે કે જેમાં વરસાદી પાણી ભરાયા છે તે હજુ સુધી નિકળ્યા જ નથી અને મગફળીના છોડ બગડવા લાગ્યા છે તો આ ઉપરાંત છોડમાં ફુગજન્ય રોગ પણ જોવા મળ્યા છે એક તો રોગ અને ખેતરમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેને લઈ ખેડુતોને પડતા પર પાટુ સમાન પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.

વરસાદી પાણી ભરાવાથી ખેડૂતોને નુકસાન 

નોંધનીય છે કે, સાબરકાંઠા જીલ્લામાં અત્યાર સુઘી 57 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે જેના કારણે કેટલાક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જ્યારે પાણી ઉતરે ત્યારે કોઈ દવાનો છંટકાવ કરાય તેવુ છે પરંતુ પાણી ઉતરતા જ નથી અને વરસાદ આવી જાય છે જેનો લઈને ખેડુતોના પાકને નુકસાન થઈ રહ્યુ છે તો ખેતી વિભાગ દ્રારા પણ પાક નુકસાન માટે ખેડુતોના અભિપ્રાય લેવાનું શરૂ કર્યુ છે જે નિરિક્ષણ બાદ કામગીરી હાથ ધરાશે તો સતત પાણી ભરાવાને લઈ ફુગનો ઉપદ્રવ થયો છે તેમાં પણ યોગ્ય દવાઓનો છંટકાવ કરવામાં આવે તો ફુગ નિયંત્રણ થઈ શકે તેમ છે પરંતુ હાલ પ્રશ્નએ ઉભો થયો છે કે ખેતરમાં પાણી માંડ ઉતરે છે અને વરસાદ વરસી પડે છે અને ખેતરો ભરાઈ જાય છે. હજુ તો જીલ્લામાં અડધુ જ વાવેતર થયું છે અને બીજુ વાવેતર ખેડુતોને કરવું છે પરંતુ સતત વરસાદી માહોલને લઈ ખેડુતો વાવેતર પણ કરી શકતા નથી.

હજુ પણ ભારે વરસાદની આગાહી 

વરસાદ બંધ ન થતા ખેડુતોને ભારે નુકશાનની ભીતી સેવાઈ રહી છે. વરસાદને પગલે ખેતરમાં પાણી ભરાઈ જાય છે અને ખેડૂતોને બીજુ વાવેતર કરવુ છે પરંતુ ખેતરમાં ટ્રેક્ટર પણ જઈ શકતા નથી એટલો હાલ તો ખેડુત બધી બાજુથી ઘેરાયો છે અને હજુ તો હવામાન વિભાગ ભારે વરસાદની આગાહી કરી છે.

અહેવાલ : ઉમંગ રાવલ

આ પણ વાંચો: 
 
 
 
 
 
 
 

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!