
Sabarkantha: સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક સમાન સાબર ડેરી દ્વારા પશુપાલકોને નાણા ઓછા ચુક્યા હોવાના આક્ષેપ સાથે પશુપાલકો વિરુદ્ધ દર્શાવી રહ્યા છે અને આ વિરોધ ઘર્ષણ સુધી પહોંચી ચૂક્યો હતો જોકે ત્યારબાદ પશુપાલકોએ સાબર ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરી દીધું છે. ત્યારે આ પશુપાલકોને સમજાવવાનો પ્રયાસ કરવામા આવ્યો પરંતુ પશુપાલકો પોતાની માંગ સાથે દૂધ બંધ રાખવા અડગ રહ્યા છે.
પશુપાલકોનો રોષ ઠારવામાં ડિરેક્ટરો નિષ્ફળ
મળતી માહિતી મુજબ આજે હિંમતનગર તાલુકાના ઝોન 60 મંડળીના ચેરમેન સેક્રેટરી અને પશુપાલકોની એક બેઠક હિંમતનગરની સહકારી જીન ખાતે યોજાઇ હતી આ બેઠકમાં હિંમતનગર ઝોનના ડિરેક્ટર વિપુલ પટેલ હાજર રહ્યા હતા પશુપાલકો અને વિપુલ પટેલ વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી ડિરેક્ટર દ્વારા પશુપાલકોને આંદોલન પૂર્ણ કરવા સમજાવવામાં આવ્યા હતા જોકે સાધારણ સભામાં પશુપાલકોને યોગ્ય ભાવ ફેર બીજા તબક્કાનો ચૂકવવા માટેની બાંધરી પણ આપી હતી પરંતુ પશુપાલકો દૂધ બંધ રાખવા અડગ રહ્યા હતા.
ક્યા મુદ્દે સમાધાન થયું અને ક્યાં મુદ્દે સમાધાન ન થયું?
પશુપાલકો દ્વારા એક તરફ દૂધ બંધ કરી વિરુદ્ધ દર્શાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ સાબર ડેરીના ડિરેક્ટરો દ્વારા પશુપાલકોને સમજાવટ કરવામાં આવી રહી છે ત્યારે આજે યોજાયેલી આ બેઠકમાં પશુપાલકો દ્વારા 20 ટકા જેટલો ભાવ ફેર, ઘર્ષણ દરમિયાન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા પશુપાલકોને છોડવા સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ આ ચર્ચામાં ભાવફેર ક્યારે બીજા તબક્કાનો ચૂકવવું તેની તારીખ અને પશુપાલકોને છોડાવવા મુદ્દે ચોક્કસ બાંધરી ન મળતા પશુપાલકો દ્વારા દૂધ બંધ રાખવાનું નિર્ણય અડગ રાખ્યો છે. આ સાથે જ 60 મંડળીઓ દ્વારા ઈડર તાલુકાના જીંજવા ગામના યુવક અશોકભાઈના પરિવારને પાંચ પાંચ હજાર રૂપિયા આર્થિક મદદ કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે જોકે આ નિર્ણય 60 મંડળીઓ દ્વારા કરવાનું નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યું છે.
અહેવાલ: ઉમંગ રાવલ










