
Sabarkantha: 12 અપ્રિલે સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારના 5 સભ્યોએ સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પતિ-પત્નીના મોત થયા, જે બાદ બે પુત્રના પણ મોત થયા હતા. જ્યારે એક બાળકીની સારવાર ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે વ્યાજના ખપ્પરમાં આવી પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. આ ઘટના બાદ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ભદ્રરાજ ચૌહાણ નામના આરોપી કરી ધરપકડ કરી છે. આ ઘટનામાં બે આરોપીઓ વિરુધ્ધ દુષપ્રેરણની ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે.
શું છે ઘટના?
વડાલીના સગરવાસમાં આવેલા બ્રહ્મપુરી વિસ્તારમાં રહેતા વિનુ સગર ઝુંડાળાએ તેની પત્ની કોકીલાબેન પુત્રી ક્રિષ્ના અને પુત્ર નિરવ અને નરેન્દ્ર ઉર્ફે શંકરને 12મી એપ્રિલની વહેલી સવારે ઘરે જંતુનાશક ઝેરી દવા પીવડાવીને પોતે પણ ગટગટાવી લીધી હતી. ઝેરી દવાની ગંભીર અસરથી પતિ-પત્ની અને બે બાળકોના સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે હજુ એક દિકરીની ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
મૃતકના નામ:
1. વિનુભાઈ મોહનભાઈ જુંડાળા (ઉંમર 44)
2. કોકિલાબેન વિનુભાઈ જુંડાળા (ઉંમર 33)
3. નિરવ વિનુભાઈ જુંડાળા (ઉંમર 17)
3. શંકર વિનુભાઈ જુંડાળા (ઉંમર 17)
આ પણ વાંચોઃ
Radhanpur accident: રુંવાડા ઉભો કરી દેતો અકસ્માત, 6નાં મોત, બસની ટક્કરે રિક્ષાનો ભૂક્કો
Surendranagar: સોનગઢમાંથી 2800 મેટ્રિક ટન કોલસો ઝડપાયો, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
શું હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોનો સમાવેશ કરવા તૈયાર છો?: કોર્ટે વક્ફ બીલ પર આવું કેમ કહ્યું? | Waqf
Kheda: માતરના ભલાડામાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો,