
Narendramodi: નરેન્દ્ર મોદી જાહેરાતો કરી ભૂલી જવામાં ખુબજ માહેર છે તેઓએ ભૂતકાળમાં જૂનાગઢ જિલ્લા માટે કરેલી 1100 કરોડની જાહેરાતનું કઈક આવું જ થયુ છે.
રાજકીય નેતા જવાહર ચાવડાએ મોદીનું નામ ‘નંદો’ પાડ્યું હતું અને મોદી અને નંદા નું ઉદાહરણ આપતા તે ભારે વાયરલ પણ થયું હતું તે વખતે જવાહર ચાવડાએ નરેન્દ્ર મોદીને નંદા સાથે સરખાવ્યા હતા.જોકે, પાછળથી આજ જવાહર ચાવડા ભાજપમાં જોડાઈ ગયા હતા.
જવાહર ચાવડા વિશે આપને જણાવી દઈએ કે તેઓ માણાવદરથી 1990માં માત્ર 26 વર્ષની ઉંમરે પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા.
વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ 2019માં પક્ષપલટો કર્યો અને ભાજપમાં જોડાઈને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી બની ગયા હતા, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ તો મળી પણ હારી ગયા હતા.
આજ જવાહર ચાવડા જે નરેન્દ્ર મોદી માટે બોલ્યા હતા તે વાત યાદ કરાવવી છે અને નરેન્દ્રભાઈ મોદીએ જૂનાગઢ માટે 1100 કરોડની વાત કરી હતી તે પણ યાદ કરાવીએ છીએ.સિનિયર પત્રકાર દિલીપ પટેલ દ્વારા આ મુદ્દા ઉપર કરાયેલું વિસ્તૃત વિશ્લેષણ અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!








