સૈફ પર હુમલો કરનાર પોલીસથી બચવા સમાચાર જોતો, ફોન બંધ કરી સતત બદલતો લોકેશન!

  • Famous
  • January 19, 2025
  • 1 Comments

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી જાનલેવા હુમલો કરનાર અસલી આરોપીની રાત્રે થાણેથી ધરપકડ કરવામાં આવી છે.  આરોપીએ  વિજય દાસ, બિજોય દાસ અને મોહમ્મદ ઇલ્યાસ નામ આપી મુંબઈ  પોલીસને ગોળગોળ જવાબ આપ્યા હતા તેની કડક પૂછપરછ કરતાં કબૂલ્યું છે કે હાઉસકીપિંગનું કામ કરતો હતો. આ પહેલા તેના હમસકલની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ અગાઉ પોલીસે ખોટા વ્યક્તિની ધરપકડ કરી લેતાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

મુંબઈ પોલીસે કહ્યું છે કે આરોપીએ ધરપકડ બાદ ઘણા ખુલાસા કર્યા છે. પોલીસે કહ્યું આરોપીનું સાચું નામ મોહમ્મદ શહજાદ છે, જે 30 વર્ષનો છે. તે પહેલીવાર સૈફના એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો હતો. તેણે પોતાનું નામ બદલીને વિજય દાસ રાખ્યું હતુ. તે 5-6 મહિના પહેલા મુંબઈ આવ્યો હતો.  પોલીસનું કહેવું છે કે આરોપી છેલ્લા સાત-આઠ મહિનાથી મુંબઈ અને થાણેમાં અલગ અલગ સ્થળોએ કામ કરી રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તે એક બાંધકામ સ્થળે એક કોન્ટ્રાક્ટર સાથે કામ કરી રહ્યો હતો. તે મૂળ બાંગ્લાદેશનો હોવાનું  ઘટસ્ફોટ કર્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં દારૂબંધી ખોટી, નવી લીકર પોલીસી બનાવોઃ શંકરસિંહ વાઘેલા

ન્યૂઝ ચેનલ જોયા બાદ કાર્યવાહી કરી

સૈફ પર હુમલો કરીને ભાગી ગયા પછી, તે સતત ન્યૂઝ ચેનલો જોઈ રહ્યો હતો અને પોલીસ કાર્યવાહી પર નજર રાખી રહ્યો હતો. ધરપકડના ડરથી તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો.  પોલીસ તેનું નામ ન જાણી શકે તે માટે  આરોપી પાસે આધાર કાર્ડ, મતદાન કાર્ડ કે અન્ય કોઈ દસ્તાવેજ રાખ્યા ન હતા.  એટલા માટે પોલીસને પણ શંકા છે કે તે ગેરકાયદેસર રહેતો બાંગ્લાદેશી છે.

રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

આરોપી નજીકના બાંદ્રા સ્ટેશન પર લોકલ ટ્રેનમાં ચઢતા સીસીટીવીમાં કેદ થયો હતો. તે દાદર સ્ટેશન પાસે ઇયરફોન ખરીદતો પણ જોવા મળ્યો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સૈફ અલી ખાનને છરીના ઘા માર્યા હતા

આ ઘટનામાં સૈફ અલી ખાનને કરોડરજ્જુમાં છરી મારી હતી. ગુરુવારે વહેલી સવારે  ઘુસણખોરે અભિનેતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને ચોરીનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ છે. પછી તેણે નોકરાણી સાથે ઝઘડો કરતાં સૈફ વચ્ચે પડ્યો હતો. જેથી આરોપીએ તેના પર પણ  હુમલો કર્યો હતો. ચાકુથી હુમલો કરતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા તેનું ઓપરેશન કરવું પડ્યું હતુ. હાલની તેની સ્થિતિ સ્થિર છે.

 

આ પણ વાંચોઃ AHMEDABAD: મ્યુન્સિપલ સ્કૂલ બોર્ડે 1143 કરોડનું બજેટ ફાળવ્યું

 

 

Related Posts

પ્રખ્યાત અભિનેતા સતીશ શાહનું અવસાન, કિડનીની હતી બિમારી | Satish Shah
  • October 25, 2025

Satish Shah passed away: બોલીવુડ અને ટીવીના જાણીતા અભિનેતા સતીશ શાહનું નિધન થયું છે. તેમણે આજે 25 ઓક્ટોબરના રોજ બપોરે 2:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર સતીશ કિડની સંબંધિત…

Continue reading
જાણિતા સંગીતકાર સચીન સંઘવી સામે FIR, યુવતીએ લગાવ્યા શારીરિક શોષણના આરોપ |  Sachin Sanghvi
  • October 24, 2025

 Sachin Sanghvi Against FIR: પ્રખ્યાત સંગીતકાર સચીન સંઘવી સામે મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે, જોડી સચિન-જીગરના સભ્ય સચિન સંઘવી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ફરિયાદમાં ગાયિકાએ આરોપ લગાવ્યો છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 14 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 8 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 17 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 20 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 12 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ