
Sanoj Mishra: ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રાએ મુંબઈમાં એક યુટ્યુબ ચેનલના માલિક સહિત 5 લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. આ લોકો પર ડિરેક્ટરને બદનામ કરવાનો અને ‘મહાકુંભની વાયરલ ગર્લ’ મોનાલિસા ભોંસલેને ફિલ્મને રોકવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. 5 લોકો વિરુદ્ધ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
મોનાલિસાની કરિયર બગાડવાનો આરોપ
અંબોલી પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીના જણાવ્યા અનુસાર, ફરિયાદમાં નામ આપવામાં આવેલા 5 લોકોએ મિશ્રા વિરુદ્ધ ફિલ્મના બજેટ અને અન્ય મુદ્દાઓ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. ફરિયાદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સનોજ મિશ્રા દ્વારા બનાવાતી ફિલ્મ કોઈ જ ફિલ્મ આજ સુધી રિલીઝ થઈ નથી અને તે મોનાલિસા ભોંસલેની કારકિર્દી બરબાદ કરી દેશે. ઉલ્લેખનીય છે કે આ 5 આરોપીઓ કોણ છે તે પોલીસે ફોડ પાડ્યો નથી.
સનોજ મિશ્રાએ આરોપોને ખોટા ગણાવ્યા
સનોજ મિશ્રાએ 5 લોકો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે તેમણે તેમની છબી ખરાબ કરવા માટે એક જૂથ બનાવ્યું છે. દિગ્દર્શકે કહ્યું, “આ લોકો જાણી જોઈને મારા વિરુદ્ધ ખોટા અને ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે. સનોજ મિશ્રાએ કહ્યું કે આરોપી નથી ઈચ્છતાં કે મોનાલિસાની ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ બને.” હાલ તો આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વાયરલ ગર્લ મોનાલિસા પર ફિલ્મ બનાવી રહ્યા છે ડિરેક્ટર
તાજેતરમાં સનોજ મિશ્રાએ વાયરલ ગર્લ મોનાલિસા પર ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ બનાવવાની જાહેરાત કરી હતી. મોનાલિસા પ્રયાગરાજમાં ‘મહાકુંભ મેળા’થી સોશિયલ મીડિયા દ્વારા ચર્ચામાં આવી હતી. આ પછી ડિરેક્ટર સનોજ મિશ્રાએ તેની સાથે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. જેથી ડિરેક્ટર ફિલ્મ બનાવવામાં વ્યસ્ત છે. ત્યારે આ દરમિયાન ફરિયાદ નોંધાવતાં સોશિયલ મિડિયામાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ BANASKANTHA: પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રાયસ કરનાર પૂર્વ મહિલા કોર્પોરેટરનું મોત, ગંભીર રીતે દાઝી ગયા હતા
આ પણ વાંચોઃ Shivaratri 2025: જૂનાગઢમાં હર હર મહાદેવના નાદ સાથે માનવ મહેરામણ ઉમટ્યું
આ પણ વાંચોઃ Ahmedabad: નગરદેવી ભદ્રકાળી માતા નગરચર્યાએ નીકળ્યા, રથને કરાયો પ્રસ્થાન, યાત્રામાં કોમી એકતા…
આ પણ વાંચોઃ પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા 3 લાખની લાંચ લેતાં ઝડપાયા, અહીંથી વધુ બે ઝડપાયા