Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • India
  • August 5, 2025
  • 0 Comments

Satyapal Malik passed away: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે 79 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેમણે મંગળવારે બપોરે 1 વાગ્યે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ, ત્યારે તેમને 11 મેના રોજ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

સત્યપાલ મલિક ઓગસ્ટ 2018 થી ઓક્ટોબર 2019 સુધી જમ્મુ અને કાશ્મીર રાજ્યના છેલ્લા રાજ્યપાલ હતા. તેમના કાર્યકાળ દરમિયાન 5 ઓગસ્ટ 2019 ના રોજ કલમ 370 રદ કરવામાં આવી હતી અને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરવામાં આવ્યો હતો. યોગાનુયોગ, આજે આ નિર્ણયની છઠ્ઠી વર્ષગાંઠ છે અને આ દિવસે સત્યપાલ મલિકે અંતિમ શ્વાસ લીધા હતા.

તેઓ ઓક્ટોબર 2017 થી ઓગસ્ટ 2018 સુધી બિહારના રાજ્યપાલ હતા. તેમને 21 માર્ચ, 2018 થી 28 મે, 2018 સુધી ઓડિશાના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા પછી સત્યપાલ મલિકને ગોવાના 18મા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ઓક્ટોબર 2022 સુધી મેઘાલયના 21મા રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી.

સત્યપાલ મલિકની રાજકીય સફર

સત્યપાલ મલિકનો જન્મ 24 જુલાઈ 1946 ના રોજ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના હિસાવાડા ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતક અને એલએલબી કર્યું હતું. 1968-69 માં, તેઓ મેરઠ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત હતી. રાજકારણી તરીકે તેમનો પ્રથમ મુખ્ય કાર્યકાળ 1974-77 દરમિયાન ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય તરીકેનો હતો. તેમણે 1980 થી 1986 અને 1986-89 દરમિયાન રાજ્યસભામાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ 1989 થી 1991 સુધી જનતા દળના સભ્ય તરીકે અલીગઢથી 9મી લોકસભાના સભ્ય હતા.

  લોકદળ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા

1980માં ચૌધરી ચરણ સિંહના નેતૃત્વ હેઠળના લોકદળ દ્વારા સત્યપાલ મલિકને રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ 1984માં કોંગ્રેસમાં જોડાયા અને 1986માં પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા. બોફોર્સ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તેમણે 1987માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને વી.પી. સિંહ સાથે જોડાયા. 1989માં તેમણે જનતા દળના ઉમેદવાર તરીકે અલીગઢથી લોકસભાની ચૂંટણી જીતી અને 1990માં થોડા સમય માટે સંસદીય બાબતો અને પર્યટન રાજ્યમંત્રી તરીકે સેવા આપી.

2004 માં મલિક ભાજપમાં જોડાયા અને બાગપતથી લોકસભા ચૂંટણી લડ્યા, પરંતુ તત્કાલીન આરએલડી વડા અજિત સિંહ સામે હારી ગયા. મોદી સરકારે પોતાના પહેલા કાર્યકાળમાં જમીન સંપાદન બિલ પર વિચાર કરતી સંસદીય ટીમના વડા તરીકે મલિકની નિમણૂક કરી. તેમની પેનલે બિલ સામે ઘણી ભલામણો કરી, જેના પગલે સરકારે મુખ્ય સુધારાને પડતો મૂક્યો. કાશ્મીરમાં આતંકવાદ શરૂ થયા પછી સત્યપાલ મલિક જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે નિયુક્ત થનારા પ્રથમ રાજકારણી હતા.

મોદી સમર્થક મલિક વિરોધી કેવી રીતે બન્યા?

જમ્મુ અને કાશ્મીરથી ગોવા રાજભવન મોકલવામાં આવ્યા પછી સત્યપાલ મલિકના વલણમાં પરિવર્તન જોવા મળ્યું અને તેઓ મોદી સમર્થકમાંથી તેમના સૌથી મોટા ટીકાકાર બન્યા. સત્યપાલ મલિકે 2022 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા જાહેરાત કરી હતી કે તેઓ RLD અને સમાજવાદી પાર્ટીને ટેકો આપશે. બાગપતના તેમના ગામ હિસાવાડામાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ‘સક્રિય રાજકારણમાં જોડાવાનો મારો કોઈ ઇરાદો નથી, તેના બદલે હું RLD અને SP માટે માર્ગદર્શક તરીકે કામ કરવા માંગુ છું અને મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિઓનો ભોગ બનેલા ખેડૂતોના કલ્યાણ અને અધિકારો માટે લડવા માંગુ છું.’

 
કિરુ હાઇડ્રો પ્રોજેક્ટ કૌભાંડમાં નામ આવ્યું

સત્યપાલ મલિકને એ પણ ડર હતો કે રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપ્યા પછી તેમને હવે બંધારણીય રક્ષણ નથી, તેથી તેમને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસનો સામનો કરવો પડી શકે છે. બાદમાં સીબીઆઈએ કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે 2,200 કરોડ રૂપિયાના સિવિલ વર્ક કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ગેરરીતિઓના મામલામાં સત્યપાલ મલિક અને અન્ય 7 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

સીબીઆઈએ 20 એપ્રિલ, 2022 ના રોજ આ કેસમાં કેસ નોંધ્યો હતો. એવો આરોપ છે કે ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (CVPPL) ની 47મી બોર્ડ મીટિંગમાં શરૂઆતમાં ચાલુ ટેન્ડરિંગ પ્રક્રિયા રદ કરવાનો અને રિવર્સ ઓક્શન સાથે ઇ-ટેન્ડરિંગ દ્વારા ફરીથી ટેન્ડરિંગનો વિકલ્પ પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે 48મી બોર્ડ મીટિંગમાં આ નિર્ણય કથિત રીતે ઉલટાવી દેવામાં આવ્યો હતો અને 2019 ની પાછળની તારીખ સાથે પટેલ એન્જિનિયરિંગને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

સત્યપાલ મલિકના ઘરે CBI દ્વારા દરોડા 

આ કેસમાં સીબીઆઈએ ફેબ્રુઆરી 2024 માં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 30 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને તલાશી લીધી હતી, જેમાં સત્યપાલ મલિકના પરિસરનો પણ સમાવેશ થાય છે. આ દરોડા જમ્મુ, શ્રીનગર, દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, બાગપત, નોઈડા, પટના, જયપુર, જોધપુર, બાડમેર, નાગૌર અને ચંદીગઢમાં પાડવામાં આવ્યા હતા. ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના પરિસરમાં પણ તલાશી લેવામાં આવી હતી. આ કેસમાં તેમની સામે સીબીઆઈ તપાસ ચાલી રહી હતી.

સત્યપાલ મલિકે અગાઉ દાવો કર્યો હતો કે તેમને બે ફાઇલો ક્લિયર કરવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી, જેમાંથી એક આ પ્રોજેક્ટ સાથે સંબંધિત હતી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સીબીઆઈ દ્વારા તેમના ઘરની તપાસ કર્યા પછી, મલિકે આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે ભ્રષ્ટાચાર કરનારાઓ પર તપાસ થવી જોઈતી હતી. મેં તેનો પર્દાફાશ કર્યો હતો અને મારી વિરુદ્ધ તપાસ થઈ રહી છે.

આ પણ વાંચો:

Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War

યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવો, ‘રશિયાએ 150 ડ્રોનથી હુમલો કર્યો’

મોદીએ સાથી અમિત શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?

Moradabad Burqa Women: બુરખો પહેરેલી મહિલાના પ્રાઇવેટ પાર્ટને દબાવીને ભાગી ગયો યુવક, યોગીના રાજમાં રસ્તાઓ પર પણ મહિલાઓ નથી સલામત

BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા

 

 

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત