
એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના નિશાના પર હતા. વિપક્ષ કોઈપણ હિસાબે સંસદમાં અદાણી ઉપર લાગેલા આરોપના વિસ્તારપૂર્વક ચર્ચા કરવા માંગતા હતા. તેથી તે આગને ઓલવવા માટે બીજેપી દ્વારા એક આંબેડકર ઉપર નિવેદન આપીને એક નવી ચાલ ચાલવામાં આવી હતી. પરંતુ તે ચાલ તેમની ભૂલ સાબિત થઈ હતી. પરંતુ આ તમામ વિવાદોના શોર-શરાબા વચ્ચે બીજેપીએ વર્ષોથી ચાલી આવતી ચાલાકી વાપરીને એક વખત ફરીથી આંબેડકર અને અમિત શાહ ઉપરથી લોકોનું ધ્યાન હટાવી દીધું છે.
આ ધ્યાન હટાવવા માટે બીજેપીને એકદમ ઉતરતી કક્ષાની રાજનીતિમાંથી પસાર થવું પડ્યું છે. હવે બીજેપીએ રાહુલ ગાંધીને ટાર્ગેટ બનાવી લીધા છે. રાહુલ ગાંધીને કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે, તે જાણવા માટે મયુર જાની ઓફિશિયલ ચેનલ ઉપરના જૂઓ સંપૂર્ણ અહેવાલ