
- સોનિયા ગાંધીની તબિયતમાં સુધારો આવતા હોસ્પિટલે કર્યા ડિસ્ચાર્જ
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને ગુરુવારે સવારે રેગ્યુલર તપાસ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમની તબિયતમાં સુધારો આવ્યો હોવાના કારણે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. સુત્રોએ જણાવ્યું કે, ડોક્ટરની એક ટીમે તેમને મોનિટર કરી રહી હતી.
78 વર્ષીય સોનિયા ગાંધી જાહેરમાં છેલ્લે 13 ફેબ્રુઆરીના રોજ સંસદના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં જોવા મળ્યા હતા. 10 ફેબ્રુઆરીના રોજ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને વસ્તી ગણતરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, દેશમાં લગભગ 14 કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના લાભોથી વંચિત છે. તે ઉપરાંત તેમણે કહ્યું હતુ કે ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરીમાં આટલો વિલંબ કરવામાં આવ્યો છે.
રાજ્યસભામાં પોતાના પ્રથમ શૂન્યકાળમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ લાભાર્થીઓની ઓળખ 2011ની વસતી ગણતરી પ્રમાણે કરવામાં આવી રહી છે, હોવાના કારણે કરોડો લોકો અનાજથી વંચિત રહી રહ્યાં છે. સોનિયા ગાંધીએ સપ્ટેમ્બર 2013માં યુપીએ સરકાર દ્વારા રજૂ કરાયેલ NFSAને દેશની 140 કરોડ વસતી માટે ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી એક ઐતિહાસિક પહેલ ગણાવી હતી.
આ પણ વાંચો-ગુજરાત બન્યું દેવાદાર; રાજ્યનું જાહેર દેવું ₹3,77,963 કરોડને પાર