
- ભાજપના 33 વર્ષના રાજમાં ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો; જૂઓ ચોંકાવનારા ખુલાસા
ગુજરાતમાં ભાજપના 33 વર્ષના રાજમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો સારો એવો થયો છે. તો આજના સીનિયર પ્રત્રકાર દિલીપ પટેલની ચર્ચામાં આજનો પોઈન્ટ છે ગુજરાતમાં ધર્માંતરણ.. વાત જાણે તેમ છે કે, ગુજરાતના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ધર્માંતર કરવામાં આવી રહ્યું છે અને ધર્મ પરિવર્તન કર્યા પછી પણ સરકારી રેકર્ડ પર પોતાને હિન્દુ દર્શાવવાનું ચાલું રાખી રહ્યા છે.
ખાસ કરીને તાપી જિલ્લામાં ધર્માંતરણનું ચલણ વધારે જોવા મળી રહ્યું છે. આ ચર્ચામાં દિલીપ પટેલ સાથે દેવ બારીયા સેનાના પ્રમુખ અરવિંદ ભાઈ બારીયા અને ઉમેશ ભાઈ જોડાયા હતા. જેમાં અરવિંદ ભાઈ બારિયાએ જણાવ્યું હતુ કે, અમારા તાપી જિલ્લામાં 1500થી વધારે ચર્ચ છે. તેથી આ જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે,તેનું પ્રમાણમાં છે.
અરવિંદ ભાઈ કહે છે કે, અમે અમારી સંસ્કૃતિ અને ધર્મ બચાવવા માટે ઘણા બધા આંદોલન કરીએ છીએ. આ માટે અમે ક્લેક્ટર સહિત તમામ સરકારી અધિકારીઓને રજૂઆત પણ કરી ચૂક્યા છે. તે ઉપરાંત અરવિદ ભાઈએ જણાવ્યું કે, અહીં લોકો આદિવાસીમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા છે પરંતુ સરકારી ચોપડે પોતાના ધર્મનું પરિવર્તન કરી રહ્યા નથી. આમ ઘણા બધા લોકો ભગવાન સાથે અને આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કરી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આજે અમે અમારૂં અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહ્યાં છીએ.