
PM Modi: દેશમાં હાલ અરાજકતાનો માહોલ છે,રૂપિયો તળિયે ગયો છે,ગેસ-તેલની તીવ્ર તંગી અને લોકો લાઈનો લગાવીને ઉભા છે ત્યારે આવા સમયે સરકારની ટીકા કરનાર સોશ્યલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી થઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે.
સરકારની વાહવાહી કરતા ગોદી મીડિયા મજા કરે છે કેમકે તેઓ દેશમાં પ્રવર્તી રહેલી વાસ્તવિક સ્થિતિ ઉપર કોઈ ટીપ્પણી કરતા નથી આવા સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે નરેન્દ્ર મોદી સરકાર પર સોશિયલ મીડિયા પર સેન્સરશિપ અને પત્રકારો તથા સ્વતંત્ર અવાજોને દબાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
શ્રીનાતે ઉમેર્યુ કે સરકાર વિરુદ્ધ પ્રશ્નો પૂછતા અથવા જાહેર મુદ્દાઓ ઉઠાવતા અનેક પત્રકારો, સ્વતંત્ર કન્ટેન્ટ ક્રિએટર્સ અને યુટ્યુબર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ (જેમ કે X, YouTube અને Instagram) ભારત સરકારના આદેશથી બ્લોક કે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તેમણે આરોપ લગાવ્યો કે સરકાર IT એક્ટની કલમ 69A નો ઉપયોગ કરીને એવા એકાઉન્ટ્સ અને કન્ટેન્ટને હટાવી રહી છે જે તેમની ટીકા કરે છે.
તેમના મતે, મુખ્યધારાના મીડિયા પર નિયંત્રણ મેળવ્યા બાદ હવે સરકાર સોશિયલ મીડિયાને પણ પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કરી રહી છે જેથી કોઈ પણ પ્રકારની ટીકા કે જવાબદારી ટાળી શકાય, તેમણે નોંધ્યું હતું કે ‘4PM’ જેવી યુટ્યુબ ચેનલો અને ગેસ સિલિન્ડરની અછત જેવા મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરતા યુટ્યુબર્સને નિશાન બનાવવામાં આવ્યા છે.
શ્રીનાતે એવો પણ દાવો કર્યો હતો કે તેમને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ બાબતે સરકાર તરફથી અનેક નોટિસો મળી છે, આ નિવેદન દ્વારા તેમણે સરકારને “ડરપોક” ગણાવી હતી અને કહ્યું હતું કે એકાઉન્ટ બ્લોક કરવાથી જનતાના પ્રશ્નો પૂછાતા બંધ નહીં થાય.
આ મુદ્દા ઉપર વરીષ્ઠ પત્રકાર મયુર જાનીએ વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








