Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

Surat: રાજ્યમાં હવે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. નાની નાની વાતે લોકો આપઘાત જેવું પગલું ભરી રહ્યા છે. નાની ઉંમરમાં પણ યુવાઓ આવું પગલું ભરી લેતા હોય છે જેના કારણે તેમના પરિવારનો મુશ્કેલીમાં મુકતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે જેમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ છાત્રાલયની હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું છે.

સુરતમાં 14 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં અમર જ્યોત કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં રહેતા 14 વર્ષીય વિદ્યાર્થી કિનસુકકુમાર મનોજભાઈ ચૌધરીએ આપઘાત કરી લીધો છે. તેણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેના કારણે માતા-પિતાને થતો ખર્ચ હવે બંધ થશે અને તે ભણી શક્યો ન હોવાનું કારણ તેના માતા-પિતાની કોઈ ભૂલ નથી.

પ્રાથમિક જાણકારી મુજબ કિનસુકકુમાર, જે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, ઉમરપાડામાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, તેણે 15 જૂનના રોજ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાની જાણ સવારે થતાં ઉમરપાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉમરપાડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો.

સુસાઈડ નોટમાં બહેનોની સંભાળની વિનંતી

પોલીસે કિનસુકની સુસાઈડ નોટ કબજે કરી છે, જેમાં તેણે ચૌધરી ભાષામાં પોતાની બહેનોની સંભાળ રાખવા અને ખર્ચ ન કરવાની વિનંતી કરી છે. તેમજ, માતા-પિતા પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા લખ્યું છે કે, “મારા લીધે તમને ઘણો ખર્ચ થતો હતો, હવે તે નહીં થાય. હું ભણી શક્યો નહીં, પણ તેમાં તમારો કોઈ વાંક નથી.”

પરિવારનો એકમાત્ર દીકરો

કિનસુક તેના પરિવારનો એકમાત્ર દીકરો હતો અને તેણે 9 જૂન, 2025ના રોજ જ હોસ્ટેલમાં નવું એડમિશન લીધું હતું. માત્ર પાંચ દિવસ પહેલાં જ તે હોસ્ટેલમાં રહેવા આવ્યો હતો. આ ઘટનાથી તેનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે, અને આસપાસના વિસ્તારમાં પણ આ ઘટનાએ ચકચાર મચાવી છે.

આ પણ વાંચો:

Israel-Iran Conflict: ઈરાનમાં ઇઝરાયલી હુમલામાં 2 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ, 10,000 ભારતીયોને કરાશે રેસ્ક્યૂ

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • Related Posts

    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
    • February 1, 2026

    Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

    Continue reading
    SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
    • January 30, 2026

    SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

    • February 3, 2026
    • 4 views
    Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

    Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

    • February 2, 2026
    • 5 views
    Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

    Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

    • February 2, 2026
    • 5 views
    Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

    Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

    • February 2, 2026
    • 8 views
    Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

    Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

    • February 2, 2026
    • 8 views
    Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

    Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

    • February 2, 2026
    • 4 views
    Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો