
- સુરત: ખેડૂતોના ઉભા પાક બર્બાદ; કેનાલના ગાબડાએ સ્વપ્નો તોડ્યા કે ભ્રષ્ટાચારે
સુરતના માંડવી નજીક કેનાલમાં મોટું ભંગાણ થતાં ખેડૂતોને મોટાપાયે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. કેનાલમાં ભંગાણ પડવાના કારણે મોટા પ્રમાણમાં પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. નદીમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ પાણીની તીવ્રતાને જોતા લાગી રહ્યું હતુ. મળી રહેલી માહિતી અનુસાર, કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના અનેક ખેતરોમાં પહોંચી ગયાં છે. જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સિવાય સિંચાઈ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હોવાનું કહેવાઇ રહ્યું છે, પરંતુ હજુ સુધી પાણીનો પ્રવાહ બંધ થતાં કલાકોનો સમય લાગી શકે છે. તેથી હજું પણ અનેક ખેડૂતોના ખેતરો સુધી પહોંચી જશે. આમ નુકશાનનો આંકડો ખુબ જ ઉંચો જઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ આ કેનાલમાં ભંગાણ થયું હતું. જેથી કેનાલના કામમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મુદ્દે સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ‘વહેલી સવારે ત્રણ વાગ્યે અમને એક ખાતેદારનો કોલ આવ્યો હતો કે, કેનાલમાં આ સ્થળે એક ભંગાણ પડ્યું છે. બાદમાં તપાસ કરાવતાં વિગત સાચી હોવાની જાણ થઈ અને તુરંત ઝીરો એચઆરમાંથી અમે તાત્કાલિક મેઇન કેનાલના દરવાજા બંધ કરાવ્યાં અને એસ્કેપ ઓપન કરાવી પાણી ડાયવર્ટ કર્યું હતું. હાલ, અમે સ્થળ પર હાજર છીએ યુદ્ધના ધોરણે કેનાલના સમારકામની કામગીરી શરૂ થઈ ચુકી છે. જે બે દિવસમાં પૂર્ણ થઈ જશે.’
VIDEO | Gujarat: Several villages and fields flooded in Surat after a breach in the Kakrapar main canal near Mandvi.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/rr8wyAY1E6
— Press Trust of India (@PTI_News) March 5, 2025
એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી, તો બીજી તરફ કેનાલના કામોમાં ભ્રષ્ટાચાર કારણે ખેડૂતોના ઉભા પાકને બર્બાદ થઈ રહ્યુ છે. ખેડૂતો સરકારને સિંચાઈના પાણી માટે પૈસા ચૂકવે છે તો ખેડૂતોને થેયલા નુકશાનનું પણ સિંચાઈ વિભાગે પૈસાની ચૂકવણી કરવી જોઈએ.
આ પણ વાંચો-ભારત સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી |Steve Smith