Surat Rape Case: નારાયણ સાંઈની અરજી પર 30 દિવસમાં નિર્ણય લોઃ ગુજરાત હાઈકોર્ટ

Surat Rape Case: ગુજરાત હાઈકોર્ટે મંગળવારે (11 માર્ચ) સંબંધિત અધિકારીઓને આસારામના પુત્ર નારાયણ સાંઈની ફર્લો માટેની અરજીને પ્રાધાન્ય આપી ઝડપીથી નિકાલ કરવા કહ્યું છે. 30 દિવસમાં ફર્લો અરજી પર નિર્ણય લેવાામં આવે તેમ હાઈકોર્ટે જણાવ્યું છે.

2019માં સુરતની સેશન્સ કોર્ટે સાંઈને બળાત્કારના કેસમાં દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી. આ નિર્ણય સામેની તેમની અપીલ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

ન્યાયાધીશ એમ.આર. મેંગડેએ આદેશ આપતા કહ્યું હતું કે, “એવું લાગે છે કે અરજદારે 27 જાન્યુઆરી, 2025 ના રોજ સંબંધિત અધિકારીઓ સમક્ષ ફર્લો રજા માંગતી અરજી કરી હતી. જો કે તે હજુ પણ પેન્ડિંગ છે. સંબંધિત અધિકારીઓને આ આદેશ મળ્યાની તારીખથી 30 દિવસની અંદર શક્ય તેટલી ઝડપથી અરજીનો નિર્ણય લેવાનો નિર્દેશ આપવામાં આવે છે”.

સુનાવણી દરમિયાન સાંઈના વકીલે દલીલ કરી હતી કે, “મેં 27 જાન્યુઆરી 2025 ના રોજ અરજી કરી હતી. જો કે સંબંધિત અધિકારીઓએ આટલો સમય વિતવા છતાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

સાંઈની અરજીમાં જણાવાયું છે કે તે 4 ડિસેમ્બર, 2013 ના રોજ ધરપકડ કરવામાં આવી ત્યારથી 11 વર્ષ અને 4 મહિના જેલમાં રહ્યો છે, અને આ સમયગાળા દરમિયાન તેને ફક્ત 4 વખત જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ફર્લો અરજી કરી હતી, કારણ કે પોતે અને વૃદ્ધ બીમાર માતાપિતાની તબીબી સારવાર કરાવી છે.

ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈ પોતે જેલમાં સ્વાસ્થ્ય સંબંધિત બિમારીનો સામનો કરી રહ્યો છે. સાથે સાથે તેના પિતા, આસારામ બાપુને તેમના એન્જીયોગ્રાફી રિપોર્ટ મુજબ, હૃદય રોગ જેવી ગંભીર બિમારીથી પિડાઈ રહ્યા હોવાનું જણાવ્યું છે. જેમાં “બે કોરોનરી નળીઓમાં 90% થી વધુ બ્લોક્સ” છે અને તેમને ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને અન્ય બીમારીઓ પણ છે. નારાયણ સાંઈના વકીલે જણાવ્યું હતુ કે જેલ મેન્યુઅલની જોગવાઈઓ મુજબ તેઓ રજા માટે હકદાર છે, જોકે તેમની રજાની અરજી પર હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.

પિતા આસારામ વચગાળાના જામીન પર છે બહાર

ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈના પિતા આસારામ 31 માર્ચ  સુધી જેલ બહાર છે. તેઓ  વચગાળાના  જામીન પર બહાર છે. આસારામ તેમના જ આશ્રમની મહિલાઓ પર બળાત્કાર કરવા ગુનામાં જેલની સજા ભોગવી રહ્યા છે. જો કે તબીબી સારવારના બહાના હેઠળ 31 માર્ચ 2025 સુધી જેલ બહાર છે. ત્યારે હવે જો નારાયણ સાંઈની અરજી પર જલ્દી નિર્ણય લેવાશે તો પિતાપુત્ર મળી શકશે.

 

આ પણ વાંચોઃ સુપ્રિમ કોર્ટે બળાત્કારી આશારામને વચગાળા જામીન આપ્યા, જાણો કારણ!

આ પણ વાંચોઃ આસારામ બાદ બળાત્કારી રામ રહીમ જેલ બહાર, કેટલાં દિવસના મળ્યા પેરોલ?

આ પણ વાંચોઃ Gujarat Rape Case: ગુજરાતમાં કેમ વધી રહ્યા છે મહિલાઓ પર બળાત્કાર?

આ પણ વાંચોઃ પત્નીના વિયોગમાં પતિએ 4 બાળકો સાથે દૂધમાં ઝેર નાખી પી લીધુ, 3ના મોત,જાણો વધુ | Bihar News

આ પણ વાંચોઃ Ahmedabad: વસ્ત્રાપુરમાં ગટરની ગંદકી સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, કોની બેદરકારી?

 

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ