
સુરતમાં શાળાના ત્રાસના કારણે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. શાળા દ્વારા ફી ભરવા મુદ્દે દબાણ કરવામાં આવતું હતુ. ફી ભરવાની બાકી હોવાથી વિદ્યાર્થીનીને બહાર ઉભી રાખતાં લાગી આવ્યુ હતુ. જેથી તેના ઘરે જ ગળે ફાંસો ખાઈ આપાઘાત કરી લેતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. બીજી બાજુ શાળા પ્રત્યે લોકોમાં રોષ ભભૂક્યો છે. હાલ પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં વધુ તપાસ હાથ ધરાઈ છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક શાળામાં શૈક્ષણિક ફી નહી ભરવાને લઇને વિદ્યાર્થીને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હોવાના આક્ષેપ થયા છે. વિદ્યાર્થીની સાથે અનેક વખત આવો વ્યવહાર કર્યા બાદ આપઘાત કર્યો હોવાના આક્ષેપ થયા છે. જેથી આખરે કંટાળી દીકરીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. દીકરીએ આપઘાત કરી લેતાં પરિવાર ઉપર દુ:ખના ડુંગર ખડકાયા છે.
હાલ આ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પરિવાર સહિત AAP પાર્ટીએ જવાબદારો સામે કાર્યવાહી કરવા ઉગ્ર માગ કરી છે.
આ પણ વાંચોઃ પેપર સેટરે વિકલ્પો આપવામાં ભૂલ કરી અને ફી વિદ્યાર્થીઓને ભરાવતી સરકાર!, યુવરાજસિંહે શું કહ્યું?