
■ અમેરિકાએ વેઝુએલા અને ઈરાન ઉપર હુમલા કર્યા હવે શુ ચીને પણ ટ્રમ્પ વાળો પ્લાન અમલમાં મુકવાની તૈયારીઓ શરૂ કરી?
Jeeping: જ્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન હાલ પશ્ચિમ એશિયામાં તણાવ અને યુએસ-ઈરાન સંઘર્ષ પર કેન્દ્રિત છે ત્યારે ચીને તાઇવાનની આસપાસ 26 ફાઇટર જેટ અને 7 નૌકાદળના યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. આમાંથી 16 વિમાનો તાઇવાનના એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન (ADIZ) માં પ્રવેશ્યા તેના જવાબમાં, તાઇવાને પણ તેના ફાઇટર જેટ, નૌકાદળના જહાજો અને મિસાઇલ સિસ્ટમ્સને સક્રિય કરી દીધા છે, છેલ્લા કેટલાક સમયથી આ ક્ષેત્રમાં શાંતિ હતી પણ ઈરાન પર અમેરિકાના હુમલા બાદ હવે ચીનની લશ્કરી પ્રવૃત્તિ અહીં અચાનક ફરી વધી છે.
■ શું ચીન તાઇવાન કબ્જે કરવા યોગ્ય સમય પસંદ કરી રહ્યું છે?
કેટલાક સુરક્ષા વિશ્લેષકો માને છે કે જ્યારે અમેરિકા એકસાથે અનેક વૈશ્વિક કટોકટીઓમાં ફસાયેલું છે, જેમ કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ, રશિયા-યુક્રેન યુદ્ધ અને સ્થાનિક રાજકીય પડકારો, ત્યારે ચીન વ્યૂહાત્મક દબાણ વધારવાનો પ્રયાસ કરી શકે છે.
આ વ્યૂહરચના દબાણ પરીક્ષણ તરીકે ઓળખાય છે. આમાં વિરોધીના પ્રતિભાવ અને ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા માટે મર્યાદિત પરંતુ સતત લશ્કરી પ્રવૃત્તિ દર્શાવવાનો સમાવેશ થાય છે જે એક ટેસ્ટ તરીકે જોવાય છે કે કોઈ વિરોધ કરે છે કે નહીં.
■ શુ છે ગ્રે-જોન વૉર ફેયર રણનીતિ?
તાઇવાનની આસપાસ ચીનની આ પ્રકારની હરકતોને ગ્રે-ઝોન વ્યૂહરચના તરીકે વિશ્લેષકો જુએ છે જેની લાક્ષણિકતાઓ આ મુજબ છે.
●સીધુ યુદ્ધ નહીં, પરંતુ સતત લશ્કરી દબાણ
●લશ્કરી વિમાનો અને જહાજો દ્વારા સતત ઘૂસણખોરીનો પ્રયાસ
● વિરોધી સુરક્ષા વ્યવસ્થાને સતત સક્રિય રહેવા માટે દબાણ કરવું
●સરહદ પર એક નવી સામાન્ય સ્થિતિ બનાવવી
●સરળ શબ્દોમાં કહીએ તો, આ યુદ્ધ અને શાંતિ વચ્ચેની વ્યૂહરચના છે, જ્યાં લશ્કરી શક્તિ પ્રદર્શિત થાય છે પરંતુ ખુલ્લા યુદ્ધ માટે થ્રેશોલ્ડ ઓળંગવામાં આવતો નથી.
●ચીનને આનાથી શું ફાયદો ?
વિશ્લેષકોના મતે, આ વ્યૂહરચનાના અનેક ઉદ્દેશ્યો હોઈ શકે છે જેમકે તાઇવાનની સેનાને આવું કરીને થકવી દેવી. વારંવાર ચેતવણીઓ અને લશ્કરી પ્રતિક્રિયાઓ તાઇવાનની વાયુસેના અને નૌકાદળ પર દબાણ લાવે છે, જેનાથી તેની લશ્કરી પ્રતિભાવ ક્ષમતાઓ ઉપર થતી અસરોનું પરીક્ષણ કરવું. આનો અર્થ એ છે કે આવી પ્રવૃત્તિઓ દ્વારા, ચીન તાઇવાનના ઝડપી પ્રતિભાવ અને તેની લશ્કરી અસરકારકતાનું મૂલ્યાંકન કરી શકે છે, ધીમે આ પ્રદેશમાં સામાન્ય બની શકે છે, જે સંભવિત રીતે ચીનના દબાણમાં કાયમી વધારો કરી શકે છે. આ એક રાજકીય સંદેશ તરીકે પણ કામ કરે છે, જે બેઇજિંગ દ્વારા તાઇવાન સંબંધિત તેની લાલ રેખાઓનું પાલન કરવાનો સંકેત આપે છે.
■ 2020 પછી આવી પ્રવૃત્તિઓમાં વધારો થયો
છેલ્લા કેટલાક વર્ષોમાં, તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે નિયમિતપણે ચીની લશ્કરી વિમાનોની ગતિવિધિઓ અંગે માહિતી પ્રકાશિત કરી છે. અનેક આંતરરાષ્ટ્રીય સુરક્ષા અભ્યાસો અનુસાર, ચીને 2020 થી તાઇવાનની આસપાસ લશ્કરી ફ્લાઇટ્સ અને નૌકાદળ પેટ્રોલિંગમાં નોંધપાત્ર વધારો કર્યો છે. નિષ્ણાતો આને ચીનની લાંબા ગાળાની વ્યૂહરચનાનો એક ભાગ માને છે.
■ તાઇવાન સ્ટ્રેટ શા માટે આટલું મહત્વપૂર્ણ છે?
તાઇવાન સ્ટ્રેટ વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ પ્રદેશોમાંનો એક છે. ચીન તાઇવાનને તેના પ્રદેશનો ભાગ માને છે અને લાંબા સમયથી એવું કહે છે કે તે તેને એક કરી શકે છે, જો જરૂરી હોય તો બળ દ્વારા પણ બીજી તરફ, તાઇવાન પોતાને લોકશાહી અને સ્વતંત્ર રીતે શાસિત પ્રદેશ માને છે. યુનાઇટેડ સ્ટેટ્સ પણ આ મુદ્દામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તાઇવાનને સંરક્ષણ સહાય અને શસ્ત્રો પૂરા પાડે છે.
તાઇવાનની આસપાસ 26 ચીની લશ્કરી વિમાનો અને 7 યુદ્ધ જહાજોની તાજેતરની પ્રવૃત્તિને માત્ર લશ્કરી ઘટના માનવામાં આવી રહી નથી. ઘણા વિશ્લેષકો તેને ચીનની ગ્રે-ઝોન વ્યૂહરચના, પ્રાદેશિક શક્તિ સંતુલન અને વૈશ્વિક રાજકારણ સાથે જોડી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, એશિયા-પેસિફિક ક્ષેત્રમાં આ હિલચાલ સૂચવે છે કે વૈશ્વિક શક્તિ સંતુલનના અનેક મોરચે એક સાથે દબાણ વધી રહ્યું છે, હવે હાલમાં વિશ્વનું ધ્યાન બીજે છે ત્યારે ચીને ફરી તાઇવાન હડપવા માટે ગતિવિધિ શરૂ કરી છે અને “લાગ્યું તો તીર નહિ તો તક્કો” જેવી રણનીતિ અખત્યાર કરી રહ્યું છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







