Tirupati balaji temple prasad: દૂધના એક ટીપાં વગર ₹આઠ કરોડના કેમિકલના ‘નકલી ઘી’માંથી ‘લાડુ’બન્યાનો ખુલાસો!

  • India
  • November 17, 2025
  • 0 Comments

Tirupati balaji temple prasad: ભગવાન તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ બનાવવા માટે કેમિકલથી તૈયાર નકલી ઘી વપરાયું હતું જેમાં દૂધ કે માખણનું એમ ટીપું પણ નાખ્યા વગર ‘આઠ કરોડના કેમિકલમાંથી લાખો કિલો ઘી બનાવી લાડુ બનાવાયા હોવાની વાત સામે આવતા ભારે સનસનાટી મચી ગઇ છે અને ચિટરોએ ભગવાનને પણ છોડ્યા નહિ હોવાના આક્ષેપ લાગ્યા છે.

ટીડીપીના નેતા પટ્ટાબીએ એસઆઈટીના લીક થયેલા રિમાન્ડ રિપોર્ટના આધારે દાવો કર્યો છે કે, “તેમણે રૂ. આઠ કરોડના ખર્ચે સાડા છ લાખ કિલો કેમિકલ ખરીદ્યું હતું અને તેમાંથી બનેલું ઘી સપ્લાય કર્યું હતું.”પટ્ટાબીએ આરોપ મૂક્યો હતો કે મૉનોડાઇગ્લાઇસિરાઇડ્સ તથા ઍસિટિક ઍસિડ ઇસ્ટર જેવા કેમિકલની મદદથી લાખો કિલો નકલી ઘી બનાવવામાં આવ્યું હતું અને આ માટે ડેરીએ એક લિટર પણ દૂધનો ઉપયોગ કર્યો ન હતો અને કેમિકલથી જ નકલી ઘી તૈયાર કરી લાડુ બનાવી દીધા હતા.

રિમાન્ડ રિપોર્ટને ટાંકતાં પટ્ટાબીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે “વર્ષ 2022થી 2024-’25 દરમિયાન ભોલે બાબા નામની ડેરીએ અજયકુમાર સુગંધ નામના શખ્સ પાસેથી રૂ. સાત કરોડ 94 લાખનું સાડા છ લાખ કિલો કેમિકલ ખરીદ્યું હતું.”કંપનીએ એક લિટર દૂધ પણ ખરીદ્યા વગર કેમિકલ અને પામોલિન તેલ તથા કોરિયાથી મૉનોડાઇગ્લાઇસિરાઇડ્સ તથા ઍસિટિક ઍસિડ મંગાવી તેની મદદથી નકલી ઘી બનાવવામાં આવ્યું હતું.

પટ્ટાબીએ કહ્યું હતું કે નેલ્લોરની અદાલતમાં એસઆઈટીએ રિમાન્ડ માટે જે રિપોર્ટ આપ્યો છે, તેમાં આ પ્રકારની કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.જનસેના પાર્ટીના નેતા તથા આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી પવન કલ્યાણે આ આરોપોને ટાંકતાં તાત્કાલિક અસરથી સનાતન ધર્મ સંરક્ષણ બોર્ડની સ્થાપના કરવાની માંગ કરી છે.જ્યારે વાય.એસ.આર.સી.પીના નેતા સજ્જલા રામક્રિષ્ના રેડ્ડીએ આ આરોપો નકાર્યા છે અને ચંદ્રબાબુ નાયડુ રાજકારણ માટે ભગવાનનો ઉપયોગ કરી રહ્યાનો વળતો હુમલો કર્યો છે.

મહત્વનું છે કે તિરુપતિ મંદિરના લાડુમાં ભેળસેળ થઈ હોવાના આરોપોની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સીબીઆઈની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) હાથ ધરી છે.
જેમાં સીબીઆઈની ટીમે અજયકુમાર સુગંધ નામના આરોપીની ધરપકડ કરી તપાસ આગળ વધારી હતી.

આ અગાઉ પણ ભગવાન તિરુપતિના મંદિરમાં પ્રસાદના લાડુ બનાવવા માટે ચોખ્ખા ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબી વપરાયાના આરોપો લાગ્યા હતા.આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગ વિશે નિવેદન આપતા ભારે ચકચાર મચી હતી.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (ટીટીડી)ના કાર્યકારી અધિકારી શ્યામલા રાવે પણ આ વાતની પુષ્ટિ કરી હતી.તેઓએ અગાઉ પ્રસાદમાં માત્ર વનસ્પતિ ઘીની ભેળસેળ થતી હોવાનું જણાવ્યુ હતું પણ ત્યારબાદ શ્યામલા રાવે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે તેમાં પ્રાણીની ચરબી પણ જોવા મળી હોવાનું જણાવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં નવી સરકારની રચના થઈ ત્યારે શ્યામલા રાવને ટીટીડીના કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.આમ,ભગવાન તિરુપતિ બાલાજી મંદીરના પ્રસાદમાં નકલી ઘી વપરાતું હોવાનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ રહ્યો છે અને ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.

આંધ્રપ્રદેશમાં તિરુમાલાની પહાડી પર સ્થિત તિરુપતિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિ ભગવાન વેંકટેશ, વેંકટેશ્વર અને તિરુપતિ સ્વામી અને તિરુપતિ બાલાજીના નામથી ઓળખાય છે,અહીં આવનારા ભક્તોની સંખ્યા કરોડોમાં છે અને મંદિરનો પ્રસાદ એટલે કે લાડુ લઈ ધન્યતા અનુભવે છે. આધ્યાત્મિકતાના પ્રતીક સમા અહીંના પ્રખ્યાત લાડુમાં ભેળસેળની વાતો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બની છે, આ લાડુમાં ગૌમાંસની ચરબી, માછલીનું તેલ અને પશુઓની ચરબીના અંશો મળ્યાના દાવા કરાયા છે હવે કેમિકલ યુક્ત નકલી ઘી વપરાયું હોવાના આક્ષેપ થઈ રહયા છે ત્યારે હવે તિરુપતિના ભક્તોમાં રોષ વ્યાપી ગયો છે અને પવિત્ર લાડુમાં ભેળસેળના દોષિતો સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

  • December 14, 2025
  • 8 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 15 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 17 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 20 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 33 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 7 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી