Banke Bihari Corridor: બાંકે બિહારી માટે કોરિડોર બનશે જ, તકલીફ હોય તે વૃંદાવન છોડી દે: ભાજપ સાંસદ હેમા માલિનીના નિવેદનથી ભારે વિવાદ, જાણો

  • India
  • July 5, 2025
  • 0 Comments

UP Banke Bihari  Corridor Controversy:  ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવન શહેરમાં આવેલા બાંકે બિહારી મંદિર માટે બનતાં કરિડોરના નિર્માણનનો ભારે વિરોધ થઈ રહ્યો છે. કોરિડોરની વચ્ચે આવતા ઘરો અને દુકાનો તોડી પાડવામાં આવી રહી છે. જેને લઈ વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે ભાજપ સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ ‘બાંકે બિહારી કોરિડોર બનશે જ તેવું નિવેદન આપ્યું છે. સાથે જ તેમને કહ્યું કે જેને મુશ્કેલી હોય તે વૃદાંવન છોડીને જતા રહે. આ નિવેદન ભારે વાયરલ થયું છે.

હાલ વૃંદાવનમાં બાંકે બિહારીમાં કરિડોરના નિર્માણનનો મુદ્દો ભારે ઉછળ્યો છે. ભાજપ કરિડોરના નિર્માણનનું સમર્થન કરી રહ્યું છે. જ્યારે કરિડોરના નિર્માણન કાર્યમાં વચ્ચે આવતાં ઘરો, દુકાનો તોડી પાડવામાં આવતાં લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દો પ્રસ્તાવિત કોરિડોર અને મંદિર ટ્રસ્ટનો છે. જ્યારથી વટહુકમ આવ્યો છે, ત્યારથી લોકો સ્થાનિક સ્તરે તેનો વિરોધ કરી રહ્યા છે.

 

 

હવે સાંસદ હેમા માલિનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમના નિવેદનની ટીકા કરી રહ્યા છે. હેમા માલિની કહી રહી છે કે કોરિડોર બનશે અને જે લોકો વિરોધ કરી રહ્યા છે જેને મુશ્કેલી હોય તો વૃંદાવન છોડીને બીજે ક્યાંક જતા રહે. આ નિવેદન પછી વૃદાંવનના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

શું છે સમગ્ર મામલો?

 Banke Bihari temple
Banke Bihari temple

 

વહીવટીતંત્ર બાંકેબિહારી કોરિડોર બનાવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. તેમણે 2023 માં એક સર્વે કર્યો હતો. હવે તેઓ આ સર્વેના આધારે આગળ વધી રહ્યા છે. સર્વેમાં, લગભગ 275  ઘરો  અને દુકાનો કોરિડોરના માર્ગમાં આવી રહી છે. વહીવટીતંત્રે આમાંથી 70 ઇમારતોની ચકાસણી કરી છે. તેઓ બાકીની ઇમારતોની પણ ચકાસણી કરશે. શ્રી બાંકેબિહારી મંદિર કોરિડોર અંગે વહીવટીતંત્ર અને મંદિર સેવાદારો વચ્ચે કેટલાક મતભેદો છે. તેમ છતાં, સર્વેનું કાર્ય ચાલુ છે.

સુપ્રીમ કોર્ટે કોરિડોર બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ પછી કોરિડોરના કાર્યથી મુશ્કેલીમાં મૂકાયેલા લોકોએ વહીવટીતંત્ર પાસે ફરીથી સર્વે કરાવવાની માંગ કરી છે. જિલ્લા વહીવટીતંત્રે 2023ના સર્વેના આધારે ચકાસણી કરાવવાનો નિર્ણય લીધો છે. એડીએમ એફઆર ડૉ. પંકજ વર્માએ જણાવ્યું હતું કે સર્વેમાં સમાવિષ્ટ ઇમારતોની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણી ટીમ ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે. 2023ના સર્વેમાં 275 ઇમારતો કોરિડોરના કાર્યક્ષેત્રમાં આવતી હતી. ફક્ત તે જ ઇમારતોની ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 70 ઇમારતોની ચકાસણી કરવામાં આવી છે.

ચકાસણી દરમિયાન ઇમારતોની વર્તમાન સ્થિતિ તપાસવામાં આવી રહી છે. તેમના કુલ વિસ્તાર, દિશાઓ, માલિકી હકો અને તેમાં રહેતા ભાડૂઆતો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. વૃંદાવનના લોકોના કોરિડોર વિશે અલગ અલગ મંતવ્યો છે. કેટલાક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેનો વિરોધ કરી રહ્યા છે. તેનો વિરોધ કરનારાઓ કહે છે કે આનાથી તેમની જમીન અને મકાનો છીનવાઈ જશે. બીજી તરફ, તેનું સમર્થન કરનારાઓ કહે છે કે આનાથી વૃંદાવનનો વિકાસ થશે અને પ્રવાસીઓને સુવિધા મળશે.

આ પણ વાંચોઃ

Bihar Election: બિહારી મતદારો પર લટકતી તલવાર, ભારતીય હોવાનું જાતે પુરવાર કરે, મતનો હક છીનવવાનું સડયંત્ર કોનું?

Viral Video: ભેંસએ કોબ્રાને ચારો સમજી લીધો, પછી શું થયું?

Language controversy: મહારાષ્ટ્રમાં ગુજરાતી દુકાનદાર મરાઠી ન બોલતાં માર મરાયો, માર મારના લોકો રાજ ઠાકરેની પાર્ટીના

Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે

IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!

Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો

Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ

ભારતીય પાસપોર્ટની ઈજ્જત આટલી જ!, ભારતીય યુવતીને નાનો રુમ, અમેરિકનોને મફત ફાઇવ સ્ટાર હોટેલ… | Indian passport

UP: કિન્નરો સાથે કામ કરવું મોંઘુ પડ્યુ, પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, બેભાન કરી નપસંક કર્યો, જાણો હચમચાવી નાખતો કિસ્સો

 

Related Posts

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!
  • June 17, 2026

Abhijit Dipak Jaipur Attack: રાજસ્થાનના જયપુરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને લોકશાહીની ગરિમાને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે પર થયેલા હુમલાના આરોપીઓને…

Continue reading
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન
  • June 17, 2026

Jana Sena National Expansion: આંધ્રપ્રદેશના રાજકારણમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ હવે જનસેના પાર્ટી (JSP) ના અધ્યક્ષ કે. પવન કલ્યાણની નજર સમગ્ર દેશના ફલક પર છે. તાજેતરમાં દિલ્હીમાં આયોજિત પક્ષના ‘સેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 3 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 4 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 6 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 11 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 11 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ