
Changur Baba arrested: ઉત્તર પ્રદેશના લખનૌમાંથી ગત ગુરુવારે 12 લોકોને ઇસ્લામથી હિન્દુ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકને લવ જેહાદમાં ફસાવ્યા બાદ ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું, જ્યારે કેટલાકને પૈસા કે વિદેશમાં નોકરીની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાયું હતુ. ઘરે પાછા ફરેલા કેટલાક પીડિતોએ બલરામપુરના જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબાનું નામ આપ્યું હતુ. જે બાદ ATS એ તપાસ હાથ ધરી હતી. અંતે ધર્મ પરિવર્તન કરાવનાર જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબાની ધરપકડ કરી વધુ તપાસ તેજ કરી છે.
100 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું
ઉત્તર પ્રદેશની ATSએ ગેરકાયદેસર ધર્માંતરણ કેસમાં મોટી કાર્યવાહી કરી અને 50,000 રૂપિયાનું ઈનામ ધરાવતાં જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર પીર બાબા અને તેની સહયોગી નીતુ ઉર્ફે નસરીનની ધરપકડ કરી છે. ચાંગુર બાબાની ગેંગને વર્ષોથી વિદેશથી લગભગ 100 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું છે. ગેંગના ઘણા સભ્યો વિદેશ પ્રવાસ કરતા હતા, જેમાંથી મોટાભાગના ગલ્ફ દેશોમાં જતા હતા. ગેરકાયદે ધર્માંતરણ કરાવતી જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબા ગેંગ અંગે કેટલાક ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે.
ફરિયાદ
બલરામપુરમાં પીર સાહેબ, નસરીન, જમાલુદ્દીન, મહેબૂબ વગેરેના નામે અનેક શંકાસ્પદ વ્યક્તિઓની હાજરી અને વિદેશી ભંડોળથી એક વર્ષમાં કરોડો રૂપિયાની મિલકત વસાવી હતી. જે બાદ પોલીસને શોરૂમ, બંગલા, લક્ઝરી કાર ખરીદવા અંગે ફરિયાદ મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ઉપરોક્ત સરનામે નવીન ઘનશ્યામ અને તેની પત્ની નીતુ નવીન રોહરા અને પુત્રી સમલે નવીન રોહરા સાથે રહેતો હતો. ત્રણેય વ્યક્તિઓ મૂળ સિંધી છે જેમને ચાંગુર શાહે ઇસ્લામ સ્વીકારવા માટે બ્રેઈનવોશ કર્યા હતા.
ઇસ્લામ સ્વીકાર્યા પછી ત્રણેયે પોતાના નામ બદલીને અનુક્રમે જમાલુદ્દીન, નસરીન અને સબીહા રાખ્યા. ચાંગુર બાબા તેમની સાથે ચાંદ ઔલિયા દરગાહની બાજુમાં આવેલા માધપુર ગામમાં રહેતો હતો. તેઓ પોતાને પીર બાબા અને સૂફી બસફા હઝરત બાબા જલાલુદ્દીન કહેતો હતો અને શિજર-એ-તૈયબા નામથી એક પુસ્તક પણ પ્રકાશિત કરાવ્યું હતું, જેના દ્વારા તે ઇસ્લામનો પ્રચાર કરતો હતો.
પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન
અબુ અંસારીએ લખનૌની રહેવાસી ગુંજા ગુપ્તાને નકલી હિન્દુ નામ અમિતનો ઉપયોગ કરીને પ્રેમજાળમાં ફસાવી અને તેને ચાંગુર શાહ નજીક એક દરગાહ પર લઈ ગયો જ્યાં ગુંજા ગુપ્તાનું નીતુ ઉર્ફે નસરીન, નવીન ઉર્ફે જમાલુદ્દીન વગેરેનું બ્રેઈનવોશ કર્યું અને સુખી જીવનની લાલચ આપીને ઇસ્લામ કબૂલ કરાવ્યો અને તેનું નામ અલીના અંસારી રાખવામાં આવ્યું.
હિન્દુ ધર્મની બ્રાહ્મણ, સરદાર કે ક્ષત્રિય છોકરીને ઇસ્લામમાં રૂપાંતરિત કરવા માટે ધર્મ પરિવર્તન માટે 15-16 લાખ રૂપિયા, પછાત જાતિની છોકરી માટે 10 થી 12 લાખ રૂપિયા અને અન્ય જાતિની છોકરીઓ માટે 8 થી 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જોકે બાબાનો ભાંડો ફૂટી જતાં ચકચાર મચ્યો છે.
વિદેશ યાત્રાની વિગતો
માહિતી મળી છે કે ગેંગના સભ્યોએ લગભગ 40 વખત ઇસ્લામિક દેશોની યાત્રા કરી છે. જેઓ ફંડ એકત્રિત કરતાં હોવાનું સામે આવ્યું છે.
બેંક ખાતાઓની વિગતો
ગેંગના સભ્યોએ પોતાના નામે અને વિવિધ સંસ્થાઓના નામે 40 થી વધુ ખાતા ખોલ્યા હતા, જેના દ્વારા લગભગ 100 કરોડ રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હતા.
કેસમાં ફસાવી દેવાની ધમકી
ગરીબોને કાનૂની કેસમાં ફસાવવાની ધમકી આપીને બીજા ધર્મમાં ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતુ હતુ. આ ગેંગના મુખ્ય સભ્યો, ચાંગુર બાબા, મહેબૂબ, પિંકી હરિજન, હજીરા શંકર, આમીન રિઝવી, સગીર, નીતુ રોહરા વગેરે, ગરીબ અને લાચાર લોકોને ધર્મ પરિવર્તન માટે નિશાન બનાવતા હતા અને જો તેઓ સંમત ન થાય, તો તેઓ તેમની સામે કેસ નોંધીને દબાણ કરતો હતો. જાણવા મળ્યું છે કે ઢોગી બાબા સામે પહેલા પણ કેસ નોંધાયેલા છે.
આ પણ વાંચોઃ
Bihar Election: ભાજપની ગંદી રાજનીતી! રાહુલ ગાંધીનો પેડ પર લગાવેલો ફોટો વાયરલ કર્યો, પછી ડિલિટ કર્યો
Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન દુર્ઘટનાનું રહસ્ય ખૂલશે, બ્લેક બોક્સની મેમરી એક્સેસ થઈ
Ahmedabad plane crash: બેદરકારી દાખવવા બદલ એર ઈન્ડિયાના 3 કર્મી સસ્પેન્ડ!
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
Language controversy: ‘કોઈના કપાળ લખ્યું છે કે તે ગુજરાતી છે’, નાટક કરે તો કાન નીચે મારો: રાજ ઠાકરે
Viral Video: ભેંસએ કોબ્રાને ચારો સમજી લીધો, પછી શું થયું?









