UP: છરીના ઘા મારી ભાભી-ભત્રીજાની હત્યા, લોહીલુહાણ મૃતદેહો છોડી આરોપી ફરાર

  • India
  • August 21, 2025
  • 0 Comments

UP: અમેઠીમાં એક યુવકે જમીનના વિવાદમાં તેની ભાભી અને ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દેતાં ખળભળાટ મચી ગયો છે. ખેતરમાં કામ કરતી વખતે તેણે તેમના પર છરીથી હુમલો કર્યો. થોડી જ વારમાં બંનેનું મોત નીપજ્યું. ગુનો કર્યા પછી આરોપી ત્યાંથી ફરાર થયો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

શું હતી ઘટના?

આ ઘટના મુસાફિરખાના કોતવાલી વિસ્તારના રૂદૌલી ગામમાં બની  છે. સવારે રમા (45) તેના પુત્ર આકાશ (18) સાથે ખેતરમાં કામ કરી રહી હતી. તે સમયે રામરાજ છરી લઈને આવ્યો. અને તેણે ભાભી અને ભત્રીજા પર છરીથી હુમલો કરીને તેમની હત્યા કરી દીધી હતી.

ચીસો સાંભળીને ગામલોકોનું ટોળું એકઠું થયું

હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં બંને ત્યાં પડી ગયા. તેમની ચીસો સાંભળીને ગામલોકોનું ટોળું એકઠું થઈ ગયું. ગામલોકોએ બંનેને મુસાફિરખાનાના સીએચસીમાં લઈ ગયા. ત્યાં તપાસ કર્યા પછી  ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા. ગુનો કર્યા પછી આરોપી ત્યાંથી ભાગી ગયો.

મિલકત માટે કરી હત્યા

અત્યારના સમયમાં પૈસા અને મિલકતની કિંમત માણસ કરતાં વધી ગઈ હોય એવું લાગે છે. લોકો જમીન અને મિલકત પડાવી લેવા માટે અનેક પ્રકારના કાવતરા કરતાં હોય છે. ભાઈ-બહેન, માતા-પિતા, કાકા ભત્રીજા બધા જ સંબંધોને લોકો લજવી કાઢયાં છે. આવી ઘટનાઓમાં સતત થતો વધારો બતાવે છે કે પૈસા આગળ સંબંધોનું મહત્વ ઓછું થવા લાગ્યું છે. લોકો જમીનો માટે સગા ભાઈનું પણ ખૂન કરી નાંખે છે. જે મિલકત મર્યા પછી સાથે નથી લઈ જવાની અહીં જ રહેવાની છે. એના માટે પણ આવા કૃત્ય કરવામાં આવે છે. ખરેખર માણસાઈ મરી પરવારી છે.

પોલીસની કાર્યવાહી

આ ઘટનાની માહિતી મળતાં જ કોટવાલી ઇન્ચાર્જ વિવેક સિંહે સ્થળનું નિરીક્ષણ કર્યું,અને માહિતી એકઠી કરી. ફોરેન્સિક ટીમે પુરાવા પણ એકત્રિત કર્યા છે. સીઓ અતુલ કુમાર સિંહે જણાવ્યું હતું કે આરોપીની શોધ કરવામાં આવી રહી છે. સંભવિત છુપાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો:

Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી

Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી

Ahmedabad: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં આરોપી વિદ્યાર્થી અને તેના સહયોગીની ધરપકડ, ભારે વિરોધ

MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?

Delhi: 30 દિવસ માટે ધરપકડ થશે તો PM-CMનું પદ ગયુ સમજો, સરકારે ખરડો પસાર કર્યો, શું વિપક્ષને દબાવવાનું પગલુ?

Ahmedabad: ધો.8ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી, બાદમાં લોકોએ શિક્ષકોને ફટકાર્યા

 

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 18 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર