UP: છરીના ઘા મારી ભાભી-ભત્રીજાની હત્યા, લોહીલુહાણ મૃતદેહો છોડી આરોપી ફરાર

  • India
  • August 21, 2025
  • 0 Comments

UP: અમેઠીમાં એક યુવકે જમીનના વિવાદમાં તેની ભાભી અને ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દેતાં ખળભળાટ મચી ગયો છે. ખેતરમાં કામ કરતી વખતે તેણે તેમના પર છરીથી હુમલો કર્યો. થોડી જ વારમાં બંનેનું મોત નીપજ્યું. ગુનો કર્યા પછી આરોપી ત્યાંથી ફરાર થયો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

શું હતી ઘટના?

આ ઘટના મુસાફિરખાના કોતવાલી વિસ્તારના રૂદૌલી ગામમાં બની  છે. સવારે રમા (45) તેના પુત્ર આકાશ (18) સાથે ખેતરમાં કામ કરી રહી હતી. તે સમયે રામરાજ છરી લઈને આવ્યો. અને તેણે ભાભી અને ભત્રીજા પર છરીથી હુમલો કરીને તેમની હત્યા કરી દીધી હતી.

ચીસો સાંભળીને ગામલોકોનું ટોળું એકઠું થયું

હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં બંને ત્યાં પડી ગયા. તેમની ચીસો સાંભળીને ગામલોકોનું ટોળું એકઠું થઈ ગયું. ગામલોકોએ બંનેને મુસાફિરખાનાના સીએચસીમાં લઈ ગયા. ત્યાં તપાસ કર્યા પછી  ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા. ગુનો કર્યા પછી આરોપી ત્યાંથી ભાગી ગયો.

મિલકત માટે કરી હત્યા

અત્યારના સમયમાં પૈસા અને મિલકતની કિંમત માણસ કરતાં વધી ગઈ હોય એવું લાગે છે. લોકો જમીન અને મિલકત પડાવી લેવા માટે અનેક પ્રકારના કાવતરા કરતાં હોય છે. ભાઈ-બહેન, માતા-પિતા, કાકા ભત્રીજા બધા જ સંબંધોને લોકો લજવી કાઢયાં છે. આવી ઘટનાઓમાં સતત થતો વધારો બતાવે છે કે પૈસા આગળ સંબંધોનું મહત્વ ઓછું થવા લાગ્યું છે. લોકો જમીનો માટે સગા ભાઈનું પણ ખૂન કરી નાંખે છે. જે મિલકત મર્યા પછી સાથે નથી લઈ જવાની અહીં જ રહેવાની છે. એના માટે પણ આવા કૃત્ય કરવામાં આવે છે. ખરેખર માણસાઈ મરી પરવારી છે.

પોલીસની કાર્યવાહી

આ ઘટનાની માહિતી મળતાં જ કોટવાલી ઇન્ચાર્જ વિવેક સિંહે સ્થળનું નિરીક્ષણ કર્યું,અને માહિતી એકઠી કરી. ફોરેન્સિક ટીમે પુરાવા પણ એકત્રિત કર્યા છે. સીઓ અતુલ કુમાર સિંહે જણાવ્યું હતું કે આરોપીની શોધ કરવામાં આવી રહી છે. સંભવિત છુપાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો:

Gujarat: રાજયમાં ભારેથી અતિભારે આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી

Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી

Ahmedabad: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં આરોપી વિદ્યાર્થી અને તેના સહયોગીની ધરપકડ, ભારે વિરોધ

MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?

Delhi: 30 દિવસ માટે ધરપકડ થશે તો PM-CMનું પદ ગયુ સમજો, સરકારે ખરડો પસાર કર્યો, શું વિપક્ષને દબાવવાનું પગલુ?

Ahmedabad: ધો.8ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી, બાદમાં લોકોએ શિક્ષકોને ફટકાર્યા

 

Related Posts

Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ
  • June 27, 2026

Ram Mandir Donation Corruption: અયોધ્યાના પવિત્ર રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાનમાં થયેલી કથિત ગેરરીતિ અને ઉચાપતના મામલામાં શુક્રવારે એક મોટો વળાંક આવ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ…

Continue reading
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.
  • June 26, 2026

Indian Passport Citizenship: વિદેશ મંત્રાલયના તાજેતરના એક સ્પષ્ટીકરણે દેશભરમાં નાગરિકતા અને ઓળખના પુરાવાઓને લઈને એક મોટી ચર્ચા અને મૂંઝવણ ઉભી કરી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય પાસપોર્ટ એ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ

  • June 27, 2026
  • 2 views
Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ

Gir Illegal Resorts in Forest: ગીરમાં દેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન

  • June 27, 2026
  • 6 views
Gir Illegal Resorts in Forest: ગીરમાં દેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 4 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 7 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 6 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 11 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા