Vadodara: મેયર મૌન અને જળસ્તર બોર્ડ કોરું, વિશ્વામિત્રી અને આજવાની સપાટી કેમ નથી લખાતી?

Vadodara: વડોદરા શહેર દર ચોમાસામાં હાલાકી ભોગવે છે. તે પણ કુદરત નહીં પરંતુ અહીંના સત્તાધિશોના પાપે, કારણ કે અહીંના સત્તાધિશો જાડી ચામડીના હોવાથી તેમને તેમને કોઈ ફરક નથી પડતો. વડોદરા શહેરમાં આવેલી વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધતા વડોદરામાં દર વખતે પૂર આવે છે. ગયા વર્ષે આ પુરને કારણે વડોદરાવાસીઓને ભારે હાલાકીનો સામેનો કરવો પડ્યો હતો. તે વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા દોડી ગયા હતા ત્યારે તેમને લોકોની નારાજગીનો પણ સામનો કર્યો હતો ત્યારે વડોદરામાં ફરી આવી પરિસ્થિતિ ન સર્જાય તેના માટે સરકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે રૂ. 1200 કરોડની જાહેરાત કરી હતી અને ફરી ચોમાસું આવતા સુધીમાં આ પ્રોજેક્ટ પુર્ણ કરવા માટે જણાવ્યું હતું. ત્યારે હવે ચોમાસું બેસી ગયું છે તાજેતરમાં જ્યારે વડોદરાના મેયરને આ પ્રોજેક્ટ અંગે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે મેયર પિન્કીબેન સોની ભેદી મૌન સેવ્યું હતું. જેના કારણે તેમની ભારે ટીકા થઈ હતી ત્યારે હવે વડોદરાના સત્તાધીશોની વધુ એક લાપરવાહી સામે આવી છે.

વિશ્વામિત્રી અને આજવાની સપાટી કેમ નથી લખાતી?

વડોદરાના સ્થાનિક જયેશ મિસ્ત્રીના જણાવ્યા મુજબ વડોદરા કોર્પોરેશન વાળાને હજુ ચોમાસું નથી આવ્યું. કાલાઘોડાના આ પોઈન્ટ ઉપર બ્લેક બોર્ડમાં હજુ પણ વિશ્વામિત્રી, આજવા અને પ્રતાપ સરોવરના પાણીના લેવલની માહિતી નથી લખાઈ. અત્યારે વિશ્વામિત્રી લગભગ 12 થી 14 ફૂટ હશે. પરંતુ શહેરીજનો તેનાથી અજાણ છે. કોર્પોરેશન વાળા પાસે સમય જ નથી કે તેઓ અહીં માહિતી લખી શકે.

 ક્યાં સુધી સત્તાધીશોના પાપે લોકોને હાલાકી ભોગવવી પડશે ?

જે નદીની જળસપાટી વધવાથી વડોદરા પર એવડી મોટી મુસીબત આવે છે તેની કામગીરીમાં કોર્પોરેશન વાળાને કોઈ રસ જ નથી અથવા જાણી જોઈને કરવા નથી માંગતા. જ્યારે રેલો આવે ત્યારે સત્તાધીશો કામગીરી કરવા નિકળી જાય છે જે પછીથી કોઈ અર્થ વગરનું સાબિત થાય છે. ત્યારે વડોદરાવાસીઓ પણ હવે જાગૃત થયા છે જેથી જ્યારે આ સત્તાધીશો પ્રજાની વચ્ચે જાય છે ત્યારે તેઓ તેમને જાકારો પણ આપે જ છે. ગયા ચોમાસામાં કોર્પોરેશન વાળાઓ પર એટલી થું થું થયું તેમને પ્રજાના રોષનો સામનો કરવો પડ્યો છતા પણ જાડી ચામડીના સત્તાધીશોને કોઈ ફરક નથી પડતો. વડોદરામાં આ વર્ષે પૂર ન આવે તેના માટે તંત્રની કામગીરી કેટલે પહોંચી તે અંગે મેયર બોલવા જ તૈયાર નથી બીજી તરફ કોર્પોરેશન વાળાને તેને લગતી કોઈ કામગીરી ન કરતા શું આ વર્ષે પણ વડોદરાવાસીઓને પૂરનો સામનો કરવો પડશે?  ક્યાં સુધી સત્તાધીશોના પાપે લોકોને હાલાકી ભોગવવી પડશે ?  તેવા સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો:

Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન દુર્ઘટનાનું રહસ્ય ખૂલશે, બ્લેક બોક્સની મેમરી એક્સેસ થઈ 

AAP Gujarat: ઉમેશ મકવાણા પક્ષની સામે પડ્યા, AAP એ ધારાસભ્યને તગેડી મુક્યા

Ahmedabad: ડ્રેનેજલાઈનમાં વહી ગયેલા વ્યક્તિનો મૃતદેહ 9 કલાકની જહેમત બાદ મળ્યો, મનીષ દોષીએ કહ્યું ‘ગુનાહિત બેદરકારી’

Surat Rain: સુરતને સ્માર્ટ સિટી બનાવવામાં કરોડોનો ખર્ચ, છતાં કટોકટીની સુવિધાઓ કેમ નહીં ?

Agra Lucknow Expressway accident: બિહારથી દિલ્હી જતી બસનો ભયંકર અકસ્માત, 2ના મોત, 50 ઘાયલ

  • Related Posts

    Bhavnagar: લુવારા ગામે શાળાને તાળાબંધી, 8 દિવસથી આરોગ્ય કેન્દ્ર નિર્માણ સામે વિરોધ
    • June 30, 2025

    Bhavnagar News:  સરકાર એક બાજુ શાળા પ્રવેશત્સોવના બણગાં ફૂકી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાત સરકારના શિક્ષણની પોલી ખૂલી રહી છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના લુવારા ગામે છેલ્લા 8 દિવસથી…

    Continue reading
    Sabarkantha: પ્રાતિંજમાં બે આઈસર વચ્ચે ભયંકર અકસ્માત, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
    • June 30, 2025

    Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કુઈ બ્રિજ પર ભયંકર અક્સ્માતની ઘટના સામે આવી છે જેમાં બ્રિજ પર રાત્રે આઇસરની પાછળ આઇસર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. પ્રાંતિજના તાજપુર કુઈ બ્રિજ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhavnagar: લુવારા ગામે શાળાને તાળાબંધી, 8 દિવસથી આરોગ્ય કેન્દ્ર નિર્માણ સામે વિરોધ

    • June 30, 2025
    • 4 views
    Bhavnagar: લુવારા ગામે શાળાને તાળાબંધી, 8 દિવસથી આરોગ્ય કેન્દ્ર નિર્માણ સામે વિરોધ

    Sabarkantha: પ્રાતિંજમાં બે આઈસર વચ્ચે ભયંકર અકસ્માત, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

    • June 30, 2025
    • 5 views
    Sabarkantha: પ્રાતિંજમાં બે આઈસર વચ્ચે ભયંકર અકસ્માત, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

    યાત્રાધામ શામળાજીમાં ATM કાપીને તસ્કરો 5.50 લાખની ચોરી કરી ફરાર

    • June 30, 2025
    • 18 views
    યાત્રાધામ શામળાજીમાં ATM કાપીને તસ્કરો 5.50 લાખની ચોરી કરી ફરાર

    kutch ની બન્ની ભેંસ રેકોર્ડબ્રેક કિંમતે વેચાઈ, જાણો શું છે તેની ખાસિયત ?

    • June 30, 2025
    • 18 views
    kutch ની બન્ની ભેંસ રેકોર્ડબ્રેક કિંમતે વેચાઈ, જાણો શું છે તેની ખાસિયત ?

    ગુજરાતી ફિલ્મ જગતનો ઝળહળતો તારો ખર્યો: ડિરેક્ટર હરસુખ પટેલનું હાર્ટ એટેકથી અવસાન | Harsukh Patel

    • June 30, 2025
    • 22 views
    ગુજરાતી ફિલ્મ જગતનો ઝળહળતો તારો ખર્યો: ડિરેક્ટર હરસુખ પટેલનું હાર્ટ એટેકથી અવસાન | Harsukh Patel

    Iran Israel Conflict: ઈરાનના ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યો, ટ્રમ્પ અને નેતન્યાહૂને ગણાવ્યા ‘અલ્લાહના દુશ્મન’

    • June 30, 2025
    • 14 views
    Iran Israel Conflict: ઈરાનના ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યો,  ટ્રમ્પ અને નેતન્યાહૂને ગણાવ્યા ‘અલ્લાહના દુશ્મન’