
West Bengal Violence: પશ્ચિમ બંગાળમાં વક્ફ બીલ કાયદો બની જતાં હિંસા ફાટી નીકળી છે. પશ્ચિમ બંગાળમાં હિંસા બેકાબૂ બની છે. મુસ્લીમો વક્ફ કાયદોના ભારે વિરોધ કરી રહ્યા છે. આ હિંસામાં 3 લોકોના મોત છે. ઘણા જાહેર વાહનોમાં આગ ચાંપી દેવામાં આવી છે. હિંસામાં હિંદુઓ પર હુમલા થયા છે. ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ રવિવારે (13 એપ્રિલ, 2025) દાવો કર્યો છે કે વક્ફ કાયદા પર થયેલી હિંસા બાદ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ધુલિયાનમાં 400 થી વધુ હિન્દુઓ ઘર છોડી સ્થળાંતર કર્યુ છે.
સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે મમતા બેનર્જીની પાર્ટીએ કટ્ટરપંથી તત્વોને પ્રોત્સાહન આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા તેમણે કહ્યું, “ધાર્મિક રીતે પ્રેરિત કટ્ટરપંથીઓના ડરથી, મુર્શિદાબાદના ધુલિયાંના 400 થી વધુ હિન્દુઓને નદી પાર કરીને પાર લાલપુર હાઇ સ્કૂલ, દેવનાપુર-સોવાપુર જીપી, વૈષ્ણવનગર, માલદામાં આશ્રય લેવાની ફરજ પડી હતી.” આ પોસ્ટમાં તેણે કેટલાક લોકોના ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે.
&
And, mass migration of Hindus have begun in West Bengal.
More than 400 Hindus from Dhulian, Murshidabad, driven by fear of religiously driven bigots, were forced to flee across the river and take shelter at Par Lalpur High School, Deonapur-Sovapur GP, Baisnabnagar, Malda.… pic.twitter.com/mjabmeSwyu
— Angry Saffron (@AngrySaffron) April 13, 2025
ફોટા અને વીડિયોમાં લોકોએ શું દાવો કર્યો?
ભાજપના નેતાએ જે લોકોના ફોટા અને વીડિયો શેર કર્યા છે તેમાંથી એકે દાવો કર્યો છે કે તેમનું ઘર બળીને ખાખ થઈ ગયું હતું અને પોલીસ અધિકારીઓએ કંઈ મદદ કરી નહીં અને સ્થળ પરથી ભાગી ગયા. ભાજપે વિસ્તારમાં તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) તેમજ જિલ્લા અને રાજ્ય પોલીસને લોકોના સુરક્ષા પુરી પાડવા કહ્યું છે.
સુવેન્દુ અધિકારીએ કહ્યું, “હું જિલ્લામાં તૈનાત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો, રાજ્ય પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને વિનંતી કરું છું કે તેઓ આ વિસ્થાપિત હિન્દુઓનું સુરક્ષિત વળતર સુનિશ્ચિત કરે અને આ જેહાદી આતંકવાદથી તેમના જીવનનું રક્ષણ કરે. બંગાળ સળગી રહ્યું છે. સામાજિક તાંતણું તૂટી ગયું છે. બસ, બસ.”
પોલીસે કહ્યું – પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે
પશ્ચિમ બંગાળ પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે મુર્શિદાબાદમાં વક્ફ (સુધારા) કાયદાને લઈને થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. ઘણા વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી અને જો પોલીસનું કહેવું છે કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.
આ પણ વાંચોઃ
Sabarkantha: પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી, માતા-પિતાનું મોત, 3 બાળકોની હાલત નાજૂક
Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?
Waqf પર દેશભરમાં બબાલ, રાજકીય ખેંચતાણ, CM યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધી શું કહ્યું?
