
ગુજરાતભરમાં ચકચાર મચાવનાર અમરેલી લેટરકાંડમાં ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. પાયલ ગોટીના રિકન્સ્ટ્રકશનના વિવાદમાં 3 પોલીસકર્મી ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ અમરેલીના એસ.પી.સંજય ખરાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ(LCB)ના 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. અમરેલીમાં પાયલ ગોટીનું સરઘસ કાઢવાના કેસમાં જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે. ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતે હેડ કોન્સ્ટેબલ કિશન આંસોદરીયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ મૂળયાસીયા અને પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે.
શું છે સમગ્ર મામલો?
તાજેતરમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો. પાયલ ગોટીની અડધી રાત્રે ધરપકડ કરી હતી. જે બાદ બીજા દિવસે રિક્સ્ટ્રક્શન નામે સરઘસ કાઢવામાં આવ્યુ હતુ. ત્યારથી વિવાદ ચાલું છે.
આ પણ વાંચોઃ લોસ એન્જલસ સળગ્યું, અત્યાર સુધીમાં 16 લોકોના મોત, આગ આટલી બધી કેમ ફેલાઈ?