Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાએ ભાજપ સરકાર સામે પોલીસ વિભાગનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું હોવાનો સંવેદનશીલ મુદ્દો છેડી ભારે સનસનાટી જન્માવી છે,કારણ કે મોટાભાગના લોકો એ જાણતા હોતા નથી કે સરકારે પોલીસના મહત્વના વિભાગને કઈ રીતે પ્રાઈવેટ કરી દીધો? હકીકતમાં ગોપાલ ઇટાલિયા વાત કરી રહ્યા છે તે છે 112 ઇમરજન્સી પોલીસ હેલ્પલાઇનનો કે આ આખો ડિપાર્ટમેન્ટ એક ખાનગી સંસ્થા ચલાવે છે.

વિગતો મુજબ ગુજરાતમાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન (જનરક્ષક પ્રોજેક્ટ) ના અમલીકરણને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે, ગુજરાત સરકારે ‘જનરક્ષક’ પ્રોજેક્ટ હેઠળ 112 ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરી છે, જે પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર જેવી સેવાઓ માટેનો એકીકૃત નંબર છે. આ સેવાનું સંચાલન EMRI Green Health Services (ભૂતપૂર્વ GVK EMRI) દ્વારા કરવામાં આવે છે, જે લાંબા સમયથી 108 એમ્બ્યુલન્સ સેવા ચલાવે છે.

શુ છે ગોપાલ ઈટાલિયાના આક્ષેપો? જાણો

આમ આદમી પાર્ટીના નેતા- ધારાસભ્ય અને પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ વિભાગ જેવી મહત્વના સરકારી વિભાગનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. તેઓનું કહેવું છે કે પોલીસની મુખ્ય જવાબદારીઓ ખાનગી સંસ્થાને સોંપવી એ સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય નથી કારણ જે આ વિભાગ સંવેદનશીલ ગણાય છે જેનું સંચાલન માત્ર સરકારી વિભાગ હેઠળજ થવું જોઈએ.

હાલની વ્યવસ્થામાં નાગરિકોની વ્યક્તિગત અને સંવેદનશીલ માહિતી પહેલા પ્રાઇવેટ કંપની સુધી પહોંચે છે, જે પ્રાઇવસી અને ડેટા સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે, ગોપાલ ઇટાલિયાએ આ સ્થિતિને પોલીસ પ્રણાલીના પ્રાઇવેટાઇઝેશન તરીકે વર્ણવી હતી. તેમના મુજબ, આ માત્ર કોલ સેન્ટર સુધી મર્યાદિત નથી, પરંતુ અગાઉ પણ વિધાનસભામાં એવી માહિતી મળી હતી કે પોલીસને ભાડે આપવામાં આવે છે અને પોલીસ વાહનો પણ પ્રાઇવેટ કંપનીને સોંપવામાં આવ્યા છે. આ માટે સરકારે લગભગ ₹4.63 કરોડ જેટલું ભાડું પણ ચૂકવ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

બીજી તરફ સરકાર આ પ્રોજેક્ટને ‘નવી પેઢીની સ્માર્ટ પોલીસિંગ’ ગણાવે છે. અમદાવાદના કઠવાડા ખાતેના કંટ્રોલ સેન્ટરમાં આશરે 150 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત છે અને આ સિસ્ટમનો હેતુ ઇમરજન્સી પ્રતિસાદનો સમય ઘટાડીને શહેરી વિસ્તારોમાં 10 મિનિટ કરવાનો છે.

EMRI આ સેવા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ ચલાવે છે. 112 નંબર પર આવતા કોલનું વિશ્લેષણ કરી નજીકની ‘જનરક્ષક વાન’ ને લોકેશનના આધારે તાત્કાલિક રવાના કરવામાં આવે છે. જોકે,મોટાભાગના લોકોને આ ખબર નહોતી કે 112 સેવા કોઈ ખાનગી સંસ્થા હસ્તક હશે તે વાત ગોપાલ ઈટાલીયાએ છેડી ભારે વિવાદ ઉભો કર્યો છે,જુઓ નીચે આપેલા વિડીયોમાં ગોપાલ ઈટાલીયા શુ કહે છે?જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading
Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો
  • May 10, 2026

Dahod Dhanpur ration scam: કહેવાય છે કે “મિયાં ચોરે મુઠે અને અલ્લા ચોરે ઊંટે”, આ કહેવત આજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં અક્ષરશઃ સાચી સાબિત થઈ છે. જ્યારે કોઈ વ્યક્તિ સત્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 3 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 6 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 5 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 6 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

  • May 10, 2026
  • 18 views
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

Putin Iran USA Conflict: ઈરાન પર પરમાણુ બોમ્બ બનાવવાના આરોપોને પુતિને ફગાવ્યા, શાંતિપૂર્ણ ઉકેલની કરી અપીલ

  • May 10, 2026
  • 10 views
Putin Iran USA Conflict: ઈરાન પર પરમાણુ બોમ્બ બનાવવાના આરોપોને પુતિને ફગાવ્યા, શાંતિપૂર્ણ ઉકેલની કરી અપીલ