Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાએ ભાજપ સરકાર સામે પોલીસ વિભાગનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું હોવાનો સંવેદનશીલ મુદ્દો છેડી ભારે સનસનાટી જન્માવી છે,કારણ કે મોટાભાગના લોકો એ જાણતા હોતા નથી કે સરકારે પોલીસના મહત્વના વિભાગને કઈ રીતે પ્રાઈવેટ કરી દીધો? હકીકતમાં ગોપાલ ઇટાલિયા વાત કરી રહ્યા છે તે છે 112 ઇમરજન્સી પોલીસ હેલ્પલાઇનનો કે આ આખો ડિપાર્ટમેન્ટ એક ખાનગી સંસ્થા ચલાવે છે.

વિગતો મુજબ ગુજરાતમાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન (જનરક્ષક પ્રોજેક્ટ) ના અમલીકરણને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે, ગુજરાત સરકારે ‘જનરક્ષક’ પ્રોજેક્ટ હેઠળ 112 ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરી છે, જે પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર જેવી સેવાઓ માટેનો એકીકૃત નંબર છે. આ સેવાનું સંચાલન EMRI Green Health Services (ભૂતપૂર્વ GVK EMRI) દ્વારા કરવામાં આવે છે, જે લાંબા સમયથી 108 એમ્બ્યુલન્સ સેવા ચલાવે છે.

શુ છે ગોપાલ ઈટાલિયાના આક્ષેપો? જાણો

આમ આદમી પાર્ટીના નેતા- ધારાસભ્ય અને પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ વિભાગ જેવી મહત્વના સરકારી વિભાગનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. તેઓનું કહેવું છે કે પોલીસની મુખ્ય જવાબદારીઓ ખાનગી સંસ્થાને સોંપવી એ સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય નથી કારણ જે આ વિભાગ સંવેદનશીલ ગણાય છે જેનું સંચાલન માત્ર સરકારી વિભાગ હેઠળજ થવું જોઈએ.

હાલની વ્યવસ્થામાં નાગરિકોની વ્યક્તિગત અને સંવેદનશીલ માહિતી પહેલા પ્રાઇવેટ કંપની સુધી પહોંચે છે, જે પ્રાઇવસી અને ડેટા સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે, ગોપાલ ઇટાલિયાએ આ સ્થિતિને પોલીસ પ્રણાલીના પ્રાઇવેટાઇઝેશન તરીકે વર્ણવી હતી. તેમના મુજબ, આ માત્ર કોલ સેન્ટર સુધી મર્યાદિત નથી, પરંતુ અગાઉ પણ વિધાનસભામાં એવી માહિતી મળી હતી કે પોલીસને ભાડે આપવામાં આવે છે અને પોલીસ વાહનો પણ પ્રાઇવેટ કંપનીને સોંપવામાં આવ્યા છે. આ માટે સરકારે લગભગ ₹4.63 કરોડ જેટલું ભાડું પણ ચૂકવ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

બીજી તરફ સરકાર આ પ્રોજેક્ટને ‘નવી પેઢીની સ્માર્ટ પોલીસિંગ’ ગણાવે છે. અમદાવાદના કઠવાડા ખાતેના કંટ્રોલ સેન્ટરમાં આશરે 150 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત છે અને આ સિસ્ટમનો હેતુ ઇમરજન્સી પ્રતિસાદનો સમય ઘટાડીને શહેરી વિસ્તારોમાં 10 મિનિટ કરવાનો છે.

EMRI આ સેવા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ ચલાવે છે. 112 નંબર પર આવતા કોલનું વિશ્લેષણ કરી નજીકની ‘જનરક્ષક વાન’ ને લોકેશનના આધારે તાત્કાલિક રવાના કરવામાં આવે છે. જોકે,મોટાભાગના લોકોને આ ખબર નહોતી કે 112 સેવા કોઈ ખાનગી સંસ્થા હસ્તક હશે તે વાત ગોપાલ ઈટાલીયાએ છેડી ભારે વિવાદ ઉભો કર્યો છે,જુઓ નીચે આપેલા વિડીયોમાં ગોપાલ ઈટાલીયા શુ કહે છે?જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Gujarat Congress Protest: હિંમતનગરથી ધરમપુર સુધી કોંગ્રેસનો હલ્લાબોલ, ગેસ સિલિન્ડર-બળદગાડા સાથે સરકાર સામે રોષ વ્યક્ત
  • June 12, 2026

Gujarat Congress Protest: ગુજરાતભરમાં કોંગ્રેસ પક્ષે વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને પેપર લીકની ઘટનાઓ સામે સરકારને ઘેરવા માટે ‘જન આક્રોશ’નો શંખ ફૂંક્યો છે. હિંમતનગર, ચીખલી અને ધરમપુર જેવા વિવિધ વિસ્તારોમાં…

Continue reading
Borsi Shrimp Ponds Demolition: પર્યાવરણ બચાવ કે ગરીબોની રોજી પર ઘા? બોરસીના ઝીંગા તળાવો તોડી પાડતા ભારે વિવાદ!
  • June 10, 2026

Borsi Shrimp Ponds Demolition: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના બોરસી ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ઝીંગા ઉદ્યોગ પર આખરે વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. સરકારી જમીન પર કોઈ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

  • June 12, 2026
  • 3 views
Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

  • June 12, 2026
  • 5 views
NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!

  • June 12, 2026
  • 7 views
Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!

UP University Anti-Conversion Cell: યુપીની યુનિવર્સિટીઓમાં ધર્માંતરણ-વિરોધી સેલનો વિવાદ!

  • June 12, 2026
  • 5 views
UP University Anti-Conversion Cell: યુપીની યુનિવર્સિટીઓમાં ધર્માંતરણ-વિરોધી સેલનો વિવાદ!

Ayodhya Ram Mandir: રામ મંદિરના દાનમાં કરોડોનો ગોટાળો? સંતો અને ભાજપના નેતાઓના જ ટ્રસ્ટ પર ગંભીર સવાલો!

  • June 12, 2026
  • 16 views
Ayodhya Ram Mandir: રામ મંદિરના દાનમાં કરોડોનો ગોટાળો? સંતો અને ભાજપના નેતાઓના જ ટ્રસ્ટ પર ગંભીર સવાલો!

Exam System Reform: પેપર લીક, ગડબડીઓ અને રાજકારણ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને બચાવવાની કસોટી

  • June 12, 2026
  • 10 views
Exam System Reform: પેપર લીક, ગડબડીઓ અને રાજકારણ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને બચાવવાની કસોટી