
પાકિસ્તાને ગુરુવારે જણાવ્યું હતું કે સ્પેન પહોંચવાનો પ્રયાસ કરી રહેલી 80 પ્રવાસીઓને લઈ જતી એક બોટ મોરોક્કો નજીક પલટી ગઈ હતી, જેમાં 40થી વધુ પાકિસ્તાની નાગરિકોના મોત થયા હતા. પ્રવાસી અધિકાર જૂથ વોકિંગ બોર્ડર્સે જણાવ્યું હતું કે બોટ પલટી જતાં 50થી વધુ લોકો ડૂબી ગયા હતા.
2 જાન્યુઆરીના રોજ મોરિટાનિયાથી નીકળ્યા બાદ 66 પાકિસ્તાનીઓ સહિત 86 પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી ગયા બાદ મોરક્કન અધિકારીઓએ 36 લોકોને બચાવ્યા હતા. વૉકિંગ બોર્ડર્સના સીઈઓ હેલેના માલેનોએ X પર જણાવ્યું હતું કે ડૂબી ગયેલા 44 લોકો પાકિસ્તાનના હોવાનું માનવામાં આવે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોરક્કોમાં તેનું દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે. ‘રબાત (મોરોક્કો) માં અમારા દૂતાવાસે અમને જાણકારી આપી છે કે મોરિટાનિયાથી રવાના થયેલી 80થી વધુ મુસાફરોને લઈને એક બોટ મોરક્કોના દાખલા બંદર નજીક ડૂબી ગઈ છે, જેમાં ઘણા પાકિસ્તાની નાગરિકોનો સમાવેશ થાય છે.’ હાલમાં પાકિસ્તાનીઓ સહિત બચી ગયેલા લોકો દાખલા નજીકના એક કેમ્પમાં આશ્રય મેળવી રહ્યા છે.
આ પણ વાંચો- 4 પોલીસને કરાયા સસ્પેન્ડ, પોલીસબેડામાં ખળભળાટ, જાણો કેમ કરાયા સસ્પેન્ડ!