Delhi: છાવા ફિલ્મ જોયા બાદ અકબરના નામ પર પેશાબ, શિવાજીનું પોસ્ટર ચોટાડી આપી ધમકી

  • India
  • February 22, 2025
  • 0 Comments

Delhi News: જેણે કેટલાક ગરીબ મુસ્લિમ કચરો ઉપાડનારાઓને બાંગ્લાદેશી કહીને માર માર્યો હતો અને કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારને થપ્પડ મારી હતી, તે શખ્સ દક્ષ ચૌધરી જરાય ખચકાઈ રહ્યો નથી.  તંત્રની ઢીલી કામગીરીને કારણે તેણે ફરી એક દુષ્ટકૃત્ય આચર્યું છે. છત્રપતિ શિવાજી પર આધારિત ફિલ્મ ‘છાવા’ જોયા પછી દિલ્હીમાં અકબર રોડના સાઇનબોર્ડ પર પેશાબ કર્યો અને બાબર રોડના સાઇનબોર્ડ પર કાળો રંગ લગાવી દીધો છે. દક્ષે તેના કેટલાક મળતિયા સાથે મળીને આ સાઇન બોર્ડ પર શિવાજીના પોસ્ટરો ચોંટાડ્યા અને દૂધથી અભિષેક કર્યો હતો.  તેણે ધમકી આપી હતી કે જો આ રસ્તાઓના નામ નહીં બદલાય તો તેઓ બોર્ડ ઉખેડી નાખશે અને તેને ફેકી દેશે.

દક્ષ અને તેના મળતિયા સાથીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોતાને ગોરક્ષક કહેનાર દક્ષ એક વીડિયોમાં અકબર રોડના સાઇનબોર્ડ પર પેશાબ કરતો જોવા મળે છે. આ પછી, અકબરનું બોર્ડ પરથી અકબરનું નામ ભૂંસી નાખે છે અને ત્યાં શિવાજીનું પોસ્ટર લગાવે છે. બીજા એક વીડિયોમાં, લોકો બાબર રોડના બોર્ડ પર કાળા રંગના ડાઘ લગાવતા જોવા મળે છે. ત્યાર બાદ તેણે તેના પર શિવાજીનું પોસ્ટર પણ ચોંટાડ્યું છે.

અકબર રોડનું નામ બદલવા આપી ધમકી

દક્ષ ચૌધરી ધમકી આપી હતી કે ‘આજથી અકબર રોડનું નામ છત્રપતિ શિવાજી માર્ગ રાખવામાં આવ્યું છે.’ જો તમે રાષ્ટ્રવાદી સરકાર છો તો શક્ય તેટલી વહેલી તકે આ રસ્તાનું નામ બદલો. અમે દેશદ્રોહી નથી, અને એવું કંઈ કરી રહ્યા નથી. આપણે ફક્ત એ લોકો છીએ જેઓ આપણા ધર્મ માટે, આપણા પૂર્વજોની જેમ, તમે બધાએ ‘છાવા’ ફિલ્મમાં જોયું હશે કે શિવાજી મહારાજનું લોહી કાઢવામાં આવ્યું હતું. તેની આંખોમાં ગરમાગરમ લોખંડના સળિયા નાખવામાં આવ્યા હતા, તેમને ખૂબ જ ક્રૂરતાથી મારી નાખવામાં આવ્યો હતો. આજે આપણું લોહી ઉકળી રહ્યું છે. આ દેશમાંથી આપણે અકબર, બાબર, શાહજહાં અને હુમાયુના નામ ભૂંસી નાખીશું. મારા પર કેસ દાખલ કરો, મને જેલમાં નાખો, હું દરેક રીતે તૈયાર છું. આ વખતે પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે, જો નામ નહીં બદલાય તો બોર્ડ કાઢીને કટરમાં નાખવામાં આવશે.

દક્ષ ચૌધરી કોણ છે?

દક્ષ પહેલા પણ ઘણી વખત વિવાદોમાં રહી ચૂક્યો છે. દિલ્હીમાં તેની સામે ઘણા કેસ નોંધાયેલા છે અને તે એક કરતા વધુ વખત જેલમાં ગયો છે. હાલમાં તે જામીન પર બહાર છે. લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારને થપ્પડ મારી હતી. તેણે દિલ્હીમાં મુસ્લિમોને બાંગ્લાદેશી કહીને માર માર્યો હતો. આ ઉપરાંત, અયોધ્યાના લોકોને દેશદ્રોહી કહ્યા હતા. દક્ષ ચૌધરી ગાઝિયાબાદના ગરિમા ગાર્ડનનો રહેવાસી છે.

Related Posts

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે
  • May 10, 2026

Markandey Katju on Vijay: તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં રવિવારનો દિવસ એક નવા યુગની શરૂઆત સમાન રહ્યો. સુપરસ્ટાર અને તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે હજારો સમર્થકોની હાજરીમાં તમિલનાડુના મુખ્યમંત્રી…

Continue reading
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં
  • May 10, 2026

Arvind Kejriwal: પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયું છે. AAP ના રાષ્ટ્રીય સંયોજક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 5 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 5 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 7 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 7 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 7 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

  • May 10, 2026
  • 21 views
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા