Delhi: છાવા ફિલ્મ જોયા બાદ અકબરના નામ પર પેશાબ, શિવાજીનું પોસ્ટર ચોટાડી આપી ધમકી

  • India
  • February 22, 2025
  • 0 Comments

Delhi News: જેણે કેટલાક ગરીબ મુસ્લિમ કચરો ઉપાડનારાઓને બાંગ્લાદેશી કહીને માર માર્યો હતો અને કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારને થપ્પડ મારી હતી, તે શખ્સ દક્ષ ચૌધરી જરાય ખચકાઈ રહ્યો નથી.  તંત્રની ઢીલી કામગીરીને કારણે તેણે ફરી એક દુષ્ટકૃત્ય આચર્યું છે. છત્રપતિ શિવાજી પર આધારિત ફિલ્મ ‘છાવા’ જોયા પછી દિલ્હીમાં અકબર રોડના સાઇનબોર્ડ પર પેશાબ કર્યો અને બાબર રોડના સાઇનબોર્ડ પર કાળો રંગ લગાવી દીધો છે. દક્ષે તેના કેટલાક મળતિયા સાથે મળીને આ સાઇન બોર્ડ પર શિવાજીના પોસ્ટરો ચોંટાડ્યા અને દૂધથી અભિષેક કર્યો હતો.  તેણે ધમકી આપી હતી કે જો આ રસ્તાઓના નામ નહીં બદલાય તો તેઓ બોર્ડ ઉખેડી નાખશે અને તેને ફેકી દેશે.

દક્ષ અને તેના મળતિયા સાથીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોતાને ગોરક્ષક કહેનાર દક્ષ એક વીડિયોમાં અકબર રોડના સાઇનબોર્ડ પર પેશાબ કરતો જોવા મળે છે. આ પછી, અકબરનું બોર્ડ પરથી અકબરનું નામ ભૂંસી નાખે છે અને ત્યાં શિવાજીનું પોસ્ટર લગાવે છે. બીજા એક વીડિયોમાં, લોકો બાબર રોડના બોર્ડ પર કાળા રંગના ડાઘ લગાવતા જોવા મળે છે. ત્યાર બાદ તેણે તેના પર શિવાજીનું પોસ્ટર પણ ચોંટાડ્યું છે.

અકબર રોડનું નામ બદલવા આપી ધમકી

દક્ષ ચૌધરી ધમકી આપી હતી કે ‘આજથી અકબર રોડનું નામ છત્રપતિ શિવાજી માર્ગ રાખવામાં આવ્યું છે.’ જો તમે રાષ્ટ્રવાદી સરકાર છો તો શક્ય તેટલી વહેલી તકે આ રસ્તાનું નામ બદલો. અમે દેશદ્રોહી નથી, અને એવું કંઈ કરી રહ્યા નથી. આપણે ફક્ત એ લોકો છીએ જેઓ આપણા ધર્મ માટે, આપણા પૂર્વજોની જેમ, તમે બધાએ ‘છાવા’ ફિલ્મમાં જોયું હશે કે શિવાજી મહારાજનું લોહી કાઢવામાં આવ્યું હતું. તેની આંખોમાં ગરમાગરમ લોખંડના સળિયા નાખવામાં આવ્યા હતા, તેમને ખૂબ જ ક્રૂરતાથી મારી નાખવામાં આવ્યો હતો. આજે આપણું લોહી ઉકળી રહ્યું છે. આ દેશમાંથી આપણે અકબર, બાબર, શાહજહાં અને હુમાયુના નામ ભૂંસી નાખીશું. મારા પર કેસ દાખલ કરો, મને જેલમાં નાખો, હું દરેક રીતે તૈયાર છું. આ વખતે પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે, જો નામ નહીં બદલાય તો બોર્ડ કાઢીને કટરમાં નાખવામાં આવશે.

દક્ષ ચૌધરી કોણ છે?

દક્ષ પહેલા પણ ઘણી વખત વિવાદોમાં રહી ચૂક્યો છે. દિલ્હીમાં તેની સામે ઘણા કેસ નોંધાયેલા છે અને તે એક કરતા વધુ વખત જેલમાં ગયો છે. હાલમાં તે જામીન પર બહાર છે. લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારને થપ્પડ મારી હતી. તેણે દિલ્હીમાં મુસ્લિમોને બાંગ્લાદેશી કહીને માર માર્યો હતો. આ ઉપરાંત, અયોધ્યાના લોકોને દેશદ્રોહી કહ્યા હતા. દક્ષ ચૌધરી ગાઝિયાબાદના ગરિમા ગાર્ડનનો રહેવાસી છે.

Related Posts

Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની
  • June 25, 2026

Tushar Mehta: નવી દિલ્હીના સત્તાના વર્તુળોમાં એક નામ છેલ્લા એક દાયકાથી સૌથી વધુ ચર્ચિત રહ્યું છે—તુષાર મહેતા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતથી દિલ્હીના તખ્ત પર બિરાજમાન થયા, ત્યારે તેમની સાથે…

Continue reading
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?
  • June 25, 2026

India Anti-Defection Law: ભારતીય સંસદમાં આજે સાંસદોની સ્વતંત્રતા જે રીતે દબાવવામાં આવી રહી છે, તે જોતા પ્રશ્ન થાય છે કે શું આપણે ખરેખર લોકશાહીમાં છીએ કે પછી રાજકીય પક્ષોના બંધારણમાં?…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

  • June 25, 2026
  • 3 views
Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

  • June 25, 2026
  • 6 views
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

  • June 25, 2026
  • 6 views
UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

  • June 25, 2026
  • 6 views
Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

  • June 25, 2026
  • 7 views
Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 9 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ