UN: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આધાર પર જીવે છે

  • World
  • February 27, 2025
  • 0 Comments

India Blasts Pakistan in UN:  સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ના 58મા સત્રની સાતમી બેઠકમાં ગુરુવારે ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ખખડાવ્યું હતુ. ભારતે પાકિસ્તાનને નિષ્ફળ રાજ્ય જાહેર કર્યું હતુ. એટલું જ નહીં, ભારતે એમ પણ કહ્યું કે આજના સમયમાં ટકી રહેવા માટે પાકિસ્તાનને દાનની જરૂર છે. તે સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય સહાય પર નિર્ભર છે. તે કોઈને જ્ઞાન આપવાની સ્થિતિમાં નથી.

UNમાં ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશે. વધુમાં મિશન ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાન સરકાર પર સૈન્યના ઈશારે કામ કરવાનો અને તેનો પ્રચાર ચાલુ રાખવાનો આરોપ લગાવ્યો છે. ત્યાગીએ આ જવાબ પાકિસ્તાનના કાયદા મંત્રી આઝમ નઝીર તરાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોના આપ્યો છે.

તેમણે કહ્યું, ‘એ જોઈને દુઃખ થાય છે કે પાકિસ્તાનના નેતાઓ અને પ્રતિનિધિઓ તેના લશ્કરી આતંકવાદી સંકુલ દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાનો પ્રચાર કરવાનું ચાલુ રાખે છે.’ પાકિસ્તાન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) ને તેનું મુખપત્ર કહીને તેની મજાક ઉડાવી રહ્યું છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે કાઉન્સિલનો સમય એક નિષ્ફળ રાજ્ય દ્વારા બગાડવામાં આવી રહ્યો છે જે અસ્થિરતા પર ખીલે છે અને આંતરરાષ્ટ્રીય દાન પર ટકી રહે છે. તેનું વક્તવ્ય દંભ, અમાનવીયતા અને અક્ષમતાથી ભરેલું છે. તેનાથી વિપરીત, ભારત લોકશાહી, પ્રગતિ અને તેના લોકો માટે આદર સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરી રહ્યું છે. પાકિસ્તાને જે મૂલ્યો શીખવી જોઈએ.

ભારતે સ્પષ્ટપણે કહ્યું કે પાકિસ્તાન તેના ઘરેલુ સંકટનો ઉકેલ લાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. આ હોવા છતાં, તે પોતાનું વાહિયાત અને બેજવાબદાર વલણ છોડતું નથી. ત્યાગીએ પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અંગ છે અને રહેશે. તેમણે તાજેતરના વર્ષોમાં આ ક્ષેત્રોમાં પ્રાપ્ત થયેલી નોંધપાત્ર વૃદ્ધિ અને સ્થિરતાની પણ નોંધ લીધી.

 

Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

 

આ પણ વાંચોઃ આજથી ધો. 10-12ની પરિક્ષા શરુ, ગુજરાતના 1661 પરીક્ષા કેન્દ્રો, આટલાં વિદ્યાર્થીઓ આપશે પરિક્ષા?|Gujarat Board Exam 2025

આ પણ વાંચોઃ અમદાવાદ વિશે તમે શું જાણો છો? આ રોચક તથ્યો એક ગુજરાતી તરીકે ચોક્કસ જાણવા જોઈએ

 

 

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 8 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ