કેમ સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 24500 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ ફટકારી?

  • India
  • March 5, 2025
  • 0 Comments
  • કેમ સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 24500 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ ફટકારી

ઓઇલ ઍન્ડ નેચરલ ગેસ કૉર્પોરેશન(ઓએનજીસી)ના બ્લોકમાંથી ગેસ ઉત્પાદિત કરવા બદલ કેન્દ્ર સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને BP Plc સહિત તેના પાર્ટનર્સને 2.81 અબજ ડૉલર(રૂ. 24500 કરોડ)ની ડિમાન્ડ નોટિસ ફટકારી છે.

આ પગલું દિલ્હી હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા આપવામાં આવેલા 14 ફેબ્રુઆરીના ચુકાદાને અનુસરીને લેવામાં આવ્યું છે, હાઇકોર્ટે રિલાયન્સ અને તેના પાર્ટનર્સને જવાબદારીમાંથી મુક્તિ આપનારા અગાઉના આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના નિર્ણયને ઉલટાવી વળતરની માગ કરતો આદેશ આપ્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે કોર્ટના ચુકાદાને આધીન પીએસસી કોન્ટ્રાક્ટર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બીપી એક્સપ્લોરેશન (આલ્ફા) લિ. અને નિકો (NECO) લિ. પાસે 2.81 અબજ ડૉલરનું વળતર ચૂકવવાની માગ કરતી ડિમાન્ડ નોટિસ પાઠવી છે.

આ પણ વાંચો- ડેટા સંરક્ષણ કાયદાની આડમાં મોદી સરકાર ‘લંગડો’ કરી રહી છે RTI એક્ટ

ઓએનજીસીને શંકા હતી કે તેના KG-DWN-98/2 (KG-D5) અને G-4 બ્લોકમાંથી નેચરલ ગેસ રિલાયન્સના કૃષ્ણા-ગોદાવરી બેસિનમાં KG-DWN-98/3 (KG-D6) બ્લોકમાં માઇગ્રેટ થઈ રહ્યો છે. ઓએનજીસીએ દાવો કર્યો હતો કે બ્લોકની સીમા પર રિલાયન્સ દ્વારા ખોદવામાં આવેલા ચાર કૂવાઓ તેનો ગેસ ભંડાર માઇગ્રેટ કરી રહ્યા છે.

ઓએનજીસીની ફરિયાદ બાદ વૈશ્વિક સલાહકાર ડીગોલિયર અને મેકનોટન (D&M) દ્વારા એક સ્વતંત્ર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, 2015માં બે બ્લોક વચ્ચે જોડાણ છે અને ગેસ સ્થળાંતરના જથ્થાનું પ્રમાણ પણ નક્કી કર્યું હતું. જેથી સરકારે હસ્તક્ષેપ કરીને રિલાયન્સ અને તેના પાર્ટનર્સને વળતર આપવા ફરજ પાડી છે.

કૃષ્ણા ગોદાવરી બેસિન બ્લોક KG-DWN-98/3 (KG-D6)માં રિલાયન્સ 60 ટકા, જ્યારે બીપી 30 ટકા અને નિકો 10 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીઓ પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટ હેઠળ નેચરલ ગેસનું ઉત્પાદન કરે છે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ 2023માં અપીલ કરી આ અંગે ફરિયાદ કરી હતી. રિલાયન્સે અગાઉ જણાવ્યું હતું કે, તે આ મામલે દિલ્હી હાઇકોર્ટની ડિવિઝન બેન્ચનો ચુકાદો સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

આ પણ વાંચો- વરૂણ ચક્રવર્તીએ 143 બોલરોને પાછળ છોડ્યા, ICC રેન્કિંગમાં કેપ્ટન રોહિતને નુકશાન; વિરાટ-અક્ષર પટેલને ફાયદો

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 4 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 9 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 5 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 13 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!