ટીમ ઈન્ડિયા માટે કેટલા ખતરનાક કિવી; આંકડા કહે છે થશે રોમાંચક ટક્કર

  • Sports
  • March 6, 2025
  • 0 Comments
  • ટીમ ઈન્ડિયા માટે કેટલા ખતરનાક કિવી; આંકડા કહે છે થશે રોમાંચક ટક્કર

આ એક અદભૂત અહેસાસ છે. અમે આજે એક મજબૂત ટીમને પડકાર કર્યો હતો. હવે અમે દૂબઈ જઈશું. ત્યાં અમે પહેલા ભારતનો સામનો કર્યો છે.

લાહૌરમાં રમાયેલી આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની બીજી સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને માત આપ્યા પછી ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે આ વાત કહી હતી.

આ ચર્ચા દરમિયાન ન્યૂઝીલેન્ડના કેપ્ટન સેન્ટનર ભારત સામે રમાનાર ફાઈનલને લઈને જરાપણ દબાણમાં હોય તેવું દેખાઈ રહ્યુ નહતું.

આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ભારતીય ટીમ અજેય રહી છે પરંતુ જૂના રેકોર્ડ પર નજર નાંખીએ તો 9 માર્ચે દૂબઈમાં રમાનાર ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરવા ટીમ ઈન્ડિયા માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.

25 વર્ષ પહેલા વર્ષ 2000માં આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ટક્કર જોવા મળી હતી. ત્યારે ખુબ જ રસાકસીપૂર્ણ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતે આપેલા 265 રનના ટાર્ગેટનો પીછો કરતાં બે બોલ બાકી રહેતા ચાર વિકેટથી મેચ જીતી લીધી હતી.

જો કે વન ડે ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ પાસે એકમાત્ર ખિતાબ છે. ટીમ ઈન્ડિયાએ ભલે તે તક ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી ભારતીય ટીમે પાંચ વખત વનડે ફોર્મેટમાં ટૂર્નામેન્ટ પોતાના નામે કરી છે. જેમાં બે વખત ચેમ્પિયન ટ્રોફી ઉપર કબ્જો કરવાનું પણ સામેલ છે.

ન્યૂઝીલેન્ડ ભલે ખિતાબ જીતી શક્યું નહતું પરંતુ આઈસીસી ટૂર્નામેન્ટમાં તેમનું પ્રદર્શન નિરંતર સારૂં રહ્યું છે.

વર્ષ 2007થી લઈને 2023 સુધી ન્યૂઝીલેન્ડની ટીમે દરેક વખત વનડે વર્લ્ડ કપની સેમીફાઈનલ અથવા ફાઈનલ મેચમાં એન્ટ્રી કરી છે.

શું કહે છે ન્યૂઝીલેન્ડ ટીમના આંકડા

લિમિટેડ ઓવર્સ ફોર્મેટના આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ 16 વખત ટકરાયા છે.

આ મેચોમાં 6 વખત ટીમ ઈન્ડિયા વિજેતા બની છે, જ્યારે 9 વખત ન્યૂઝીલેન્ડે જીત મેળવી છે. બંને ટીમો વચ્ચે એક મેચ ડ્રો રહી હતી.

9 માર્ચે ન્યૂઝીલેન્ડની ટીમ ત્રીજી વખત આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં ઉતરશે. જો કે, ન્યૂઝીલેન્ડથી વધારે ફાઈનલ રમવાનો અનુભવ ભારતીય ટીમ પાસે છે. ભારતીય ટીમ 9 માર્ચે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં પાંચમી વખત ફાઈનલ મેચ રમવા ઉતરશે.

પાછલા 6 વર્ષોમાં બે વખત આઈસીસી વનડે વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો સામનો થયો છે. 2019ની વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રને માત આપી હતી. જ્યારે 2023ની વનડે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ભારતે 70 રને જીત મેળવીને જૂની હારનો હિસાબ બરાબર કરી લીધો હતો.

ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ એક જ ગ્રુપમાં હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતીય બેટ્સમેનોને સૌથી વધારે હેરાન ન્યૂઝીલેન્ડના બોલરોએ જ કર્યા છે.

ભારતીય ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 249 રન જ બનાવી શકી હતી. એટલું જ નહીં આ મેચમાં શ્રેયસ અય્યર સિવાય અન્ય એકપણ ભારતીય બેટ્સમેન અર્ધશતક પણ લગાવી શક્યું નહતું.

2019માં ભારતને ફાઈનલમાં પહોંચતા રોકનારા મેટ હેનરી જ આ મેચમાં ભારત માટે સૌથી મોટા પડકાર સાબિત થયા હતા. મેટ હેનરીએ પાંચ વિકેટ લીધી હતી.

જોકે, ભારતીય ટીમ પોતાના સ્પિનર્સના દમ પર ન્યૂઝીલેન્ડને 44 રને માત આપવામાં સફળ રહ્યા હતા.

ન્યૂઝીલેન્ડનું શાનદાર કમબેક

ગ્રુપ સ્ટેજમાં ભારત સામે મળેલી હારનો ન્યૂઝીલેન્ડની ટીમ પર કોઈ વધારે અસર પડી નહતી. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા જ સેમીફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી હતી.

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધની મેચમાં ન્યૂઝીલેન્ડે બેટ અને બોલ બંને દ્વારા શાનદાર પ્રદર્શન કર્યું. રચિન રવિન્દ્ર અને કેન વિલિયમ્સને સેમીફાઈનલ મેચમાં શતક ફટકારી હતી.

તે પછી મિચેલે 37 બોલમાં 49 અને ફિલિપ્સે 27 બોલમાં 49 રનની ઈનિંગ રમી હતી.

આ બંને બેટ્સમેનોની વિસ્ફોટકો બેટિંગની મદદથી ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 362 રનના સ્કોર ખડકી દીધો હતો. આ સાથે જ આ ચારેય બેટ્સમેનોને સાબિત કર્યું કે તેઓ ફાઈનલમાં ભારત માટે સૌથી મોટો પડકાર બની શકે છે.

તો બીજી તરફ લાહોરની બેટિંગ પીચ ઉપર પણ ન્યૂઝીલેન્ડના સ્પિનર્સ ખુબ જ અસરદાર સાબિત થયા.

કેપ્ટન સેન્ટનરે તો 10 ઓવરમાં 43 રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. તે ઉપરાંત ફિલિપ્સ બે વખત બ્રેસવેલ અને રચિન એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

પાકિસ્તાન કરતાં દૂબઈની પિચો સ્પીનર્સ માટે વધારે મદદગાર છે, તેથી ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોનો ખતરનાક પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે ખતરાની ઘંટી સમાન છે.

ભારતીય ટીમની મજબૂત

મર્યાદિત ઓવરો ઉપરાંત 2021માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમાઈ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને ખૂબ જ સરળતાથી આઠ વિકેટથી હરાવ્યું, જેનાથી ભારતની ટાઇટલ જીતવાની આશાઓ પર પાણી ફરી ગયું.

પરંતુ ન્યુઝીલેન્ડ માટે પણ ફાઇનલમાં ભારતનો સામનો કરવો એ કોઈ મોટો પડકાર નથી. ચાર ટોચના સ્પિનરોના કારણે ભારતીય ટીમ ખૂબ જ મજબૂત દેખાય છે.

અક્ષર પટેલ અને કુલદીપ યાદવે ચાર મેચમાં પાંચ-પાંચ વિકેટ લીધી છે. ભારતના રહસ્યમય સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ માત્ર બે મેચમાં સાત વિકેટ લીધી છે.

મોહમ્મદ શમીએ 4 મેચમાં 8 વિકેટ લીધી છે અને તે પણ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટોચના 10 રન બનાવનારા ખેલાડીઓમાં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. વિરાટ કોહલીએ ચાર મેચમાં 217 રન બનાવ્યા છે અને તે આ ટુર્નામેન્ટમાં ભારતનો સૌથી સફળ બેટ્સમેન છે.

9 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં કઈ ટીમ જીતે છે તે મહત્વનું નથી, આ આંકડાઓને ધ્યાનમાં લેતા બંને ટીમો વચ્ચે રોમાંચક સ્પર્ધાની અપેક્ષા રાખી શકાય છે.

આ પણ વાંચો-Vadodara: શહેર ભાજપની જૂથબંધીને જડબાતોડ જવાબ, જયપ્રકાશ સોનીને પ્રમુખ પદ સોંપાયું

Related Posts

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર
  • October 29, 2025

IND vs AUS T20I: ODI શ્રેણી ગુમાવ્યા બાદ, ભારતીય ટીમ T20 મોડમાં પાછી ફરી છે. ટીમ ઈન્ડિયા આજથી, 29 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે.…

Continue reading
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ
  • October 27, 2025

Shreyas Iyer Admitted : ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચ 9 વિકેટથી જીતી લીધી. આ મેચમાં શ્રેયસ ઐયર ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. હર્ષિત રાણાની બોલિંગ પર ઓસ્ટ્રેલિયન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 10 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 11 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 16 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 17 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 12 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 30 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો