ટીમ ઈન્ડિયા માટે કેટલા ખતરનાક કિવી; આંકડા કહે છે થશે રોમાંચક ટક્કર

  • Sports
  • March 6, 2025
  • 0 Comments
  • ટીમ ઈન્ડિયા માટે કેટલા ખતરનાક કિવી; આંકડા કહે છે થશે રોમાંચક ટક્કર

આ એક અદભૂત અહેસાસ છે. અમે આજે એક મજબૂત ટીમને પડકાર કર્યો હતો. હવે અમે દૂબઈ જઈશું. ત્યાં અમે પહેલા ભારતનો સામનો કર્યો છે.

લાહૌરમાં રમાયેલી આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની બીજી સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને માત આપ્યા પછી ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે આ વાત કહી હતી.

આ ચર્ચા દરમિયાન ન્યૂઝીલેન્ડના કેપ્ટન સેન્ટનર ભારત સામે રમાનાર ફાઈનલને લઈને જરાપણ દબાણમાં હોય તેવું દેખાઈ રહ્યુ નહતું.

આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ભારતીય ટીમ અજેય રહી છે પરંતુ જૂના રેકોર્ડ પર નજર નાંખીએ તો 9 માર્ચે દૂબઈમાં રમાનાર ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરવા ટીમ ઈન્ડિયા માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.

25 વર્ષ પહેલા વર્ષ 2000માં આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ટક્કર જોવા મળી હતી. ત્યારે ખુબ જ રસાકસીપૂર્ણ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતે આપેલા 265 રનના ટાર્ગેટનો પીછો કરતાં બે બોલ બાકી રહેતા ચાર વિકેટથી મેચ જીતી લીધી હતી.

જો કે વન ડે ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ પાસે એકમાત્ર ખિતાબ છે. ટીમ ઈન્ડિયાએ ભલે તે તક ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી ભારતીય ટીમે પાંચ વખત વનડે ફોર્મેટમાં ટૂર્નામેન્ટ પોતાના નામે કરી છે. જેમાં બે વખત ચેમ્પિયન ટ્રોફી ઉપર કબ્જો કરવાનું પણ સામેલ છે.

ન્યૂઝીલેન્ડ ભલે ખિતાબ જીતી શક્યું નહતું પરંતુ આઈસીસી ટૂર્નામેન્ટમાં તેમનું પ્રદર્શન નિરંતર સારૂં રહ્યું છે.

વર્ષ 2007થી લઈને 2023 સુધી ન્યૂઝીલેન્ડની ટીમે દરેક વખત વનડે વર્લ્ડ કપની સેમીફાઈનલ અથવા ફાઈનલ મેચમાં એન્ટ્રી કરી છે.

શું કહે છે ન્યૂઝીલેન્ડ ટીમના આંકડા

લિમિટેડ ઓવર્સ ફોર્મેટના આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ 16 વખત ટકરાયા છે.

આ મેચોમાં 6 વખત ટીમ ઈન્ડિયા વિજેતા બની છે, જ્યારે 9 વખત ન્યૂઝીલેન્ડે જીત મેળવી છે. બંને ટીમો વચ્ચે એક મેચ ડ્રો રહી હતી.

9 માર્ચે ન્યૂઝીલેન્ડની ટીમ ત્રીજી વખત આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં ઉતરશે. જો કે, ન્યૂઝીલેન્ડથી વધારે ફાઈનલ રમવાનો અનુભવ ભારતીય ટીમ પાસે છે. ભારતીય ટીમ 9 માર્ચે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં પાંચમી વખત ફાઈનલ મેચ રમવા ઉતરશે.

પાછલા 6 વર્ષોમાં બે વખત આઈસીસી વનડે વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો સામનો થયો છે. 2019ની વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રને માત આપી હતી. જ્યારે 2023ની વનડે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ભારતે 70 રને જીત મેળવીને જૂની હારનો હિસાબ બરાબર કરી લીધો હતો.

ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ એક જ ગ્રુપમાં હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતીય બેટ્સમેનોને સૌથી વધારે હેરાન ન્યૂઝીલેન્ડના બોલરોએ જ કર્યા છે.

ભારતીય ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 249 રન જ બનાવી શકી હતી. એટલું જ નહીં આ મેચમાં શ્રેયસ અય્યર સિવાય અન્ય એકપણ ભારતીય બેટ્સમેન અર્ધશતક પણ લગાવી શક્યું નહતું.

2019માં ભારતને ફાઈનલમાં પહોંચતા રોકનારા મેટ હેનરી જ આ મેચમાં ભારત માટે સૌથી મોટા પડકાર સાબિત થયા હતા. મેટ હેનરીએ પાંચ વિકેટ લીધી હતી.

જોકે, ભારતીય ટીમ પોતાના સ્પિનર્સના દમ પર ન્યૂઝીલેન્ડને 44 રને માત આપવામાં સફળ રહ્યા હતા.

ન્યૂઝીલેન્ડનું શાનદાર કમબેક

ગ્રુપ સ્ટેજમાં ભારત સામે મળેલી હારનો ન્યૂઝીલેન્ડની ટીમ પર કોઈ વધારે અસર પડી નહતી. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા જ સેમીફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી હતી.

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધની મેચમાં ન્યૂઝીલેન્ડે બેટ અને બોલ બંને દ્વારા શાનદાર પ્રદર્શન કર્યું. રચિન રવિન્દ્ર અને કેન વિલિયમ્સને સેમીફાઈનલ મેચમાં શતક ફટકારી હતી.

તે પછી મિચેલે 37 બોલમાં 49 અને ફિલિપ્સે 27 બોલમાં 49 રનની ઈનિંગ રમી હતી.

આ બંને બેટ્સમેનોની વિસ્ફોટકો બેટિંગની મદદથી ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 362 રનના સ્કોર ખડકી દીધો હતો. આ સાથે જ આ ચારેય બેટ્સમેનોને સાબિત કર્યું કે તેઓ ફાઈનલમાં ભારત માટે સૌથી મોટો પડકાર બની શકે છે.

તો બીજી તરફ લાહોરની બેટિંગ પીચ ઉપર પણ ન્યૂઝીલેન્ડના સ્પિનર્સ ખુબ જ અસરદાર સાબિત થયા.

કેપ્ટન સેન્ટનરે તો 10 ઓવરમાં 43 રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. તે ઉપરાંત ફિલિપ્સ બે વખત બ્રેસવેલ અને રચિન એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

પાકિસ્તાન કરતાં દૂબઈની પિચો સ્પીનર્સ માટે વધારે મદદગાર છે, તેથી ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોનો ખતરનાક પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે ખતરાની ઘંટી સમાન છે.

ભારતીય ટીમની મજબૂત

મર્યાદિત ઓવરો ઉપરાંત 2021માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમાઈ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને ખૂબ જ સરળતાથી આઠ વિકેટથી હરાવ્યું, જેનાથી ભારતની ટાઇટલ જીતવાની આશાઓ પર પાણી ફરી ગયું.

પરંતુ ન્યુઝીલેન્ડ માટે પણ ફાઇનલમાં ભારતનો સામનો કરવો એ કોઈ મોટો પડકાર નથી. ચાર ટોચના સ્પિનરોના કારણે ભારતીય ટીમ ખૂબ જ મજબૂત દેખાય છે.

અક્ષર પટેલ અને કુલદીપ યાદવે ચાર મેચમાં પાંચ-પાંચ વિકેટ લીધી છે. ભારતના રહસ્યમય સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ માત્ર બે મેચમાં સાત વિકેટ લીધી છે.

મોહમ્મદ શમીએ 4 મેચમાં 8 વિકેટ લીધી છે અને તે પણ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટોચના 10 રન બનાવનારા ખેલાડીઓમાં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. વિરાટ કોહલીએ ચાર મેચમાં 217 રન બનાવ્યા છે અને તે આ ટુર્નામેન્ટમાં ભારતનો સૌથી સફળ બેટ્સમેન છે.

9 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં કઈ ટીમ જીતે છે તે મહત્વનું નથી, આ આંકડાઓને ધ્યાનમાં લેતા બંને ટીમો વચ્ચે રોમાંચક સ્પર્ધાની અપેક્ષા રાખી શકાય છે.

આ પણ વાંચો-Vadodara: શહેર ભાજપની જૂથબંધીને જડબાતોડ જવાબ, જયપ્રકાશ સોનીને પ્રમુખ પદ સોંપાયું

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 2 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 7 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 6 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 9 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 14 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર