World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • Sports
  • February 1, 2026
  • 0 Comments

●બાંગ્લાદેશના સમર્થનમાં 15 ફેબ્રુઆરીએ ભારત-પાક વચ્ચે મેચ નહિ થાય પાકિસ્તાન સરકારે કરી જાહેરાત

World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવા અંગે ટીમ પાકિસ્તાનને રમવા મંજૂરીતો આપી છે પણ ભારત સામે નહિ રમવા જાહેરાત પણ કરી દીધી છે.મહત્વનું છે કે આ મહિનાની 7 તારીખથી ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનાર T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન ભાગ લેવા માટે તૈયાર છે, પરંતુ તેણે ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ફેબ્રુઆરીએ યોજાવાની હતી જે એક હાઇ-વોલ્ટેજ મેચ મનાતી હતી અને સૌનું ધ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હતી પણ હવે આ મેચનો પાકિસ્તાન સરકાર દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાતા ભારત-પાક વચ્ચે મેચ નહિ રમાય.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવીએ બાંગ્લાદેશના સમર્થનમાં T20 વર્લ્ડ કપમાંથી ખસી જવાની ધમકી આપી હતી. આ મામલે ICC દ્વારા પણ કડક નિર્દેશ અપાતા નકવીએ કહ્યું હતું કે વર્લ્ડ કપમાં રમવા અંગેનો અંતિમ નિર્ણય સરકાર લેશે જોકે,ત્યારબાદ ટીમની જાહેરાત કરાતા પાકિસ્તાન ટુર્નામેન્ટનો હિસ્સો બનશે તેવી વાત વહેતી થઈ હતી દરમિયાન,પાકિસ્તાન સરકારના સત્તાવાર X હેન્ડલ પરથી કરવામાં આવેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “પાકિસ્તાન સરકારે પાકિસ્તાન ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ-2026માં ભાગ લેવાની મંજૂરી આપી છે પણ પાકિસ્તાન ક્રિકેટ ટીમ 15 તારીખે T20 વર્લ્ડ કપ-2026માં ભારત સામે મેચ નહિ રમે મતલબ ભારત સામેની મેચ બાયકોટ કરશે.”

પાકિસ્તાનનો આ નિર્ણય ICC દ્વારા બાંગ્લાદેશને 2026 T20 વર્લ્ડ કપમાંથી બાકાત રાખ્યા બાદ આવ્યો હતો. બાંગ્લાદેશ તેની બધી મેચ શ્રીલંકામાં રમવા માંગતું હતું કારણ કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના મતે, તેના ખેલાડીઓ સામે ભારતમાં જોખમ હતું પણ ICC એ તેનો ઇન્કાર કર્યા બાદ બાંગ્લાદેશ પણ તેની વાત ઉપર મક્કમ રહતા ICC એ બાંગ્લાદેશને પડતું મૂકી સ્કોટલેન્ડને તક આપી હતી.

બાંગ્લાદેશને પડતું મુકાયા બાદ પીસીબીના વડા નકવીએ જણાવ્યું હતું કે આઈસીસીએ બાંગ્લાદેશ સાથે ન્યાયીક વર્તન કર્યું નથી અને આ રીતે બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ફરજ પાડી શકાય નહિ. આમ તેઓએ બાંગ્લાદેશના સમર્થનમાં નકવીએ પાકિસ્તાન મેચનો હિસ્સો બનશે કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય સરકાર પર છોડી દીધો હતો અને 26 જાન્યુઆરીએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી, જે દરમિયાન નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો પરંતુ હવે પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ તો લેશે પણ ભારત સામે નહિ રમે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

T20 World Cup 2026: પાકિસ્તાનને યુ-ટર્ન લેવાની ફરજ પડી; ICC આ માસ્ટરસ્ટ્રોકે નકવીનું ઘમંડ ઉતાર્યું!
  • February 10, 2026

T20 World Cup 2026: આખરે પાકિસ્તાન હવે ભારત સાથે મેચ રમવા તૈયાર થઈ. ગયું છે.ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે, પાકિસ્તાને ભારત સાથે નહિ રમવાના પોતાના નિર્ણય પરથી…

Continue reading
T20 World Cup: પાકિસ્તાને બહિષ્કારની ચીમકી આપ્યા બાદ અચાનક વર્લ્ડ કપ રમવા તૈયાર ; ટીમની કરી જાહેરાત
  • January 25, 2026

T20 World Cup: પાકિસ્તાને આજે રવિવારે T20 વર્લ્ડ કપ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસીન નકવીએ જણાવ્યું હતું કે આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે! યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

  • February 14, 2026
  • 3 views
Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે!  યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

  • February 13, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

  • February 13, 2026
  • 3 views
Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

  • February 12, 2026
  • 6 views
India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

Banas Dairy: બનાસ ડેરીમાં ₹ 121 કરોડનુ કૌભાંડ! જાગૃત નાગરિકે તપાસની માંગ સાથે શરૂ કર્યું ઉપવાસ આંદોલન

  • February 12, 2026
  • 4 views
Banas Dairy: બનાસ ડેરીમાં ₹ 121 કરોડનુ કૌભાંડ! જાગૃત નાગરિકે તપાસની માંગ સાથે શરૂ કર્યું ઉપવાસ આંદોલન

Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?

  • February 11, 2026
  • 6 views
Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?