Ahmedabad: કોંગ્રેસના નેતાઓ જ ભાજપ સાથે મળેલા, 40 નેતાને હાંકી કાઢીશું: રાહુલ ગાંધી

Ahmedabad in Rahul Gandhi: રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે અમદાવાદમાં કાર્યકરો અને નેતાઓ સાથે સંવાદ કર્યો છે. અહીં તેમણે કોંગ્રેસને લઈ એક મોટું નિવેદન આપતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે કહ્યું કોંગ્રેસ નેતાઓ જ ભાજપ સાથે મળેલા છે. જો તેમને કાઢવા પડે તો અમે કાઢી નાખીશું. આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

અડધા ભાજપ સાથે જોડાયેલા: રાહુલ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કોંગ્રેસનું નેતૃત્વ સંગઠિત થઈને લડે, તો બદલાવ શક્ય છે. ગુજરાતને કોંગ્રેસ પાર્ટી રસ્તો બતાવી શકતી નથી. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં બે પ્રકારના લોકો છે. એક જે જનતા સાથે ઉભા છે, જેના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે અને બીજા તે જે જનતાથી દૂર છે. તેમાંથી અડધા ભાજપ સાથે જોડાયેલા છે. જ્યાં સુધી આપણે આ બે લોકોને અલગ કરીશું નહી, ત્યાં સુધી ગુજરાતની જનતા આપણા પર વિશ્વાસ કરશે નહી.  ‘જો આપણે કડક કાર્યવાહી કરવી પડી અને  30,40 લોકોને કાઢી મૂકવા પડે તો એ પણ કરીશું.  ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છો, તો ચલો જાવ બહારથી કામ કરો. ત્યાં તમને સ્થાન નહી મળે, તે તમને બહાર ફેંકી દેશે.’

30 વર્ષ થયા છતાં કોંગ્રેસનું શાસન નહીં

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, મારી અને કોંગ્રેસ પાર્ટીની શું જવાબદારી છે. 30 વર્ષ થઈ ગયા, અહી અમે સરકારમાં નથી. જ્યારે પણ હું આવુ છું ત્યારે ચર્ચા ચૂંટણી માટે થાય છે, પણ સવાલ ચૂંટણીનો નથી. જ્યાં સુધી આપણી જવાબદારીઓ પૂર્ણ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતના જનતા ચૂંટણી આપણે નહી જીતી શકાશે.

રાહુલ ગાંધી કોંગ્રેસને જ આડે હાથ લેતાં ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ જેવા 15 નેતા ઘણા વર્ષથી કોંગ્રેસને બનાવી રહ્યા  હતા. હાર માટે આ નેતાઓ જ જવાબદાર હોવાનું વારંવાર નેતાઓ કહેતા આવ્યા  હતા. આ ટોળકી ભાજપને મદદ કરી રહી હોય એવો માહોલ ગુજરાતની પ્રજા વચ્ચે વારંવાર ઊભો થતો રહ્યો હતો. ત્યારે આ વાતને આજે રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ કહી દીધી છે.

આ પણ વાંચોઃ વિદેશી સહિત બે મહિલાઓ પર ગેંગરેપ, 3 પુરુષોને મારી કેનાલમાં નાખ્યા, પોલીસની સઘન તપાસ |Karnataka Rape Case:

આ પણ વાંચોઃ ભારત-ચીનની વાટાઘાટો વચ્ચે સેના પ્રમુખએ સ્પષ્ટ કહ્યું: ચીન પર ભરોસો ન રાખી શકાય| India Today Conclave

આ પણ વાંચોઃ Gir Somnath: દિનુ બોઘાએ જાતે દબાણો દૂર કર્યા, ઘરનો ટીવી ચેનલ કેબલ કપાવ્યો, શું ચાલી રહ્યું છે?

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

One thought on “Ahmedabad: કોંગ્રેસના નેતાઓ જ ભાજપ સાથે મળેલા, 40 નેતાને હાંકી કાઢીશું: રાહુલ ગાંધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 9 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 15 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 12 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 11 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 26 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 20 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી