કંડલા-મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયું 21 હજાર કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ

  • કંડલા-મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયું 21 હજાર કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ

કંડલા-મુંદ્રા પોર્ટ પરથી પૈસાની બ્લેકમનીના હેરાફેરીનો મસમોટું હવાલા કૌભાંડ ઝડપાયું છે. ચીજ-વસ્તુની વધારે કિંમત કરીને પૈસા વિદેશમાં મોકલવાનો અત્યાર સુધીનું સૌથી મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓએ કૌભાંડનો ખુલાસો કર્યો છે. કંડલા અને મુન્દ્રા પોર્ટ પર રેડ પાડતા 21 હજાર રૂપિયાના કાળા નાણા ભારત બહાર મોકલવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સના અધિકારીઓ વધુ તપાસ કરી રહ્યા છે. આ અંગે મળી રહેલી માહિતી અનુસાર, આ કેસમાં અનેક ક્લાસ વન અધિકારીઓની સંડોવણી સામે આવી શકે છે. આ રેડ દરમિયાન ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેમને રિમાન્ડ ઉપર લઈને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ સમગ્ર પૈસા કયા દેશ મોકલવામાં આવી રહ્યા હતા? તે પ્રશ્નનો જવાબ શોધવામાં આવી રહ્યો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, દેશમાંથી બ્લેકમની સ્વિસ બેંક કે વિદેશમાં પોતાની પ્રોપર્ટી ખરીદવા માટે પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હોઈ શકે છે.

આ સમગ્ર કેસમાં DRIએ તપાસ કરીને કેરી ઈન્ડો લોજિસ્ટિકના માલિક સુનીલ જોઈસર, સુનિલ ગોહિલ અને કસ્ટમ હાઉસ એજન્ટ મુકેશની ધરપકડ કરીને રિમાન્ડ પર લીધા છે. આ ઉપરાંત બીજા બે અધિકારીઓ આશિષ ઠક્કર અને આકાશ કુમારની પણ સંડોવણી બહાર આવી છે. આ કેસમાં મુન્દ્રા એસી ઝેડના ડેવલોપમેન્ટ કમિશનરની પણ સંડોવણી બહાર આવી છે. જો કે હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

આ અંગે ડીઆરઆઈના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ‘મુન્દ્રા પોર્ટ પર વિદેશથી આવેલા 50 બોગસ કંપનીઓના વોલપેપર, સર્જીકલ આઈટમ સહિતની અનેક વસ્તુઓનું ઓવર વેલ્યુએશન કરીને નિયમ મુજબ પેમેન્ટ કરીને બ્લેક મની ભારત બહાર મોકલી દેવામાં આવ્યા હતા. 2023થી 2024 દરમિયાન આ કૌભાંડ કરાયું હતું.

21 હજાર કરોડ રૂપિયાનું બ્લેક મની ભારત બહાર ગયું હોવા છતાં ઈન્કમટેક્સ વિભાગ અને ઈડીના અધિકારીઓને કોઈ જાણ પણ થઈ નથી અને તમામ સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે. હાલ ડીઆરઆઈની તપાસ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી ક્લાસ વન અધિકારીઓ આઈઆરએસ અધિકારીઓ જે તે વખતના કસ્ટમના કમિશનર એડિશનલ કમિશનરની સામે પણ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

21 હજાર કરોડ રૂપિયાના હવાલા કૌભાંડમાં આઇઆરએસ અધિકારીઓ મોટી સંખ્યામાં લાંચની રકમ લઈને ભારત બહાર બ્લેક બની મોકલવામાં મદદગારી કરી છે તેમ છતાં હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. ડી.આર.આઈ ની તપાસ બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

આ પણ વાંચો- અમેરિકન કોર્ટે ચીનને ફટકાર્યો 24 અબજ ડોલરનો દંડ; કોરોના વાયરસના તથ્યો છૂપાવવાનો આરોપ

Related Posts

બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: શીતલ સિમ્મી ચૌધરી મર્ડર મિસ્ટ્રી: હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર…

Continue reading
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 1 views

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 13 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 14 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી