80 વર્ષના પિતાએ 52 વર્ષના પુત્રને મારી દીધી ગોળી; પિતાને લગ્ન કરવા હતા ને પુત્ર ના પાડતો હતો

80 વર્ષના પિતાએ 52 વર્ષના પુત્રને મારી દીધી ગોળી; પિતાને લગ્ન કરવા હતા ને પુત્ર ના પાડતો હતો

જસદણ : જસદણમાં 80 વર્ષિય પિતાને બીજા લગ્ન કરતા અટકાવતા પુત્રને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાત જાણે તેમ છે કે, જસદણના ગીતાનગરમાં રહેતા 80 વર્ષના રામભાઈની પત્ની 20 વર્ષ પહેલા ગુજરી ગયા હતા. તેમને બીજા લગ્ન કરવા હતા પરંતુ સમાજ અને પરિવાર વચ્ચે આવતું હતું. તેમાંય ખાસ કરીને પુત્ર ઈચ્છતો નહતો કે, પિતા બીજા લગ્ન કરે. કેમ કે તેમના પિતાની 80 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને આ ઉંમરે લગ્ન કરે તે સારૂ ન લાગે, તેનાથી સમાજમાં ઈજ્જત જાય તેવો ડર પુત્રને સતાવી રહ્યો હતો.

પરંતુ લગ્ન કરવાનો વિરોધ કરવો પુત્રને ભારે પડ્યો છે. લગ્ન ન કરવાની દાજ રાખીને પિતા રામાભાઈએ પુત્ર પ્રતાપને ગોળીઓ ધરબી દીધી છે. જેમાં તેનું મૃત્યુ નિપજ્યું છે.

મૃતકની પત્નીએ કેસ નોંધાવતા બનાવના કારણમાં જણાવ્યું છે કે તેમના સાસુનું 20 વર્ષ પહેલાં અવસાન થઇ ગયું છે. સસરા રામકુભાઈની ઉમર 80 વર્ષની થઇ ગઇ હોવા છતાં તેમને બીજા લગ્ન કરવા હતા. પરંતુ પરિવારના સભ્યો તેમની 80 વર્ષની ઉંમર થઇ ગઇ હોવાથી તથા આબરૂ જવાની બીકથી બીજા લગ્નની ના પાડતા હતાં.

પરિણામે સસરા રામકુભાઈ અવારનવાર તેમના પતિને હથિયાર બતાવી ફાયરીંગની ધમકી આપતા હતા અને કહેતા કે હું તેને તથા તારા પરિવારને મારી નાખીશ. આમ બીજા લગ્ન કરવાની ના પાડતાં તેના ખારમાં પ્રતાપભાઈ ઉપર પીસ્તોલ જેવા હથિયારથી બે રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યા બાદ આરોપીની અટક કરી આગળની તપાસ જસદણ પી.આઈ જાની ચલાવી રહ્યાં છે.

હાલમાં રામભાઈનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાથે તેઓ નિડરપણે વાત કરતાં નજરે પડી રહ્યા છે. આ વાતચીતમાં તેઓ જણાવે છે કે, તેઓ પોલીસ ખાતા અને જીએસટી ખાતામાં નોકરી કરી ચૂક્યા છે. હાલમાં તેઓ ખેતી કરે છે. પોતાના દિકરાને બે ગોળીઓ મારી હોવાની વાતનો પણ તેઓ સ્વીકાર કરે છે.

આ પણ વાંચો- ‘મારા ફેવરેટ એક્ટર PM મોદી’, CM ભજનલાલ શર્માના નિવેદન પર કોંગ્રેસે કહ્યું- તે ઓવર એક્ટિંગની…

  • Related Posts

    Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ
    • June 16, 2026

    Gujarat Farmers Protest: ગુજરાતના ધરતીપુત્રો હવે આકરા પાણીએ છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી ‘કિસાન અધિકાર યાત્રા’ જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહી હતી, ત્યારે ઓગણજ ટોલનાકા પર પોલીસે તેમને…

    Continue reading
    Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતો સામે ખાખી અને કોર્પોરેટની જોડી? વીજ પોલ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ
    • June 15, 2026

    Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપર ગામની ધરતી પર અત્યારે અંધાધૂંધીનો માહોલ છે. પોતાની ખેતીલાયક જમીન અને પાકને બચાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, પરંતુ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

    • June 16, 2026
    • 4 views
    Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

    Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

    • June 16, 2026
    • 4 views
    Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

    Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

    • June 16, 2026
    • 10 views
    Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

    NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

    • June 16, 2026
    • 12 views
    NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

    Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

    • June 16, 2026
    • 12 views
    Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

    BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

    • June 16, 2026
    • 8 views
    BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?